SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૩ 96 (અધ્યાયઃ૯-સૂત્ર ૧૩ 0 [1]સૂત્રહેતુ- જ્ઞાનાવરણ કર્મના ઉદયથી કયા પરીષહ આવે તે જણાવવા. D [2] સૂત્ર મૂળ-રાનીવરને પ્રસન્નસાને 0 [3]સૂત્ર પૃથક- સાનાવરણે પ્રજ્ઞા – અજ્ઞાને U [4સૂત્રસાર-જ્ઞાનાવરણ[કર્મના ઉદય]માંપ્રજ્ઞા અને અશાન[એએપરીષહોહોયછે] U [5]શબ્દશાનઃજ્ઞાનાવર-જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં પ્રજ્ઞા-પ્રજ્ઞા નામક પરીષહ અજ્ઞાન-અજ્ઞાન નામક પરીષહ U [6]અનુવૃત્તિ - માવ્યવનિર્નર, સૂત્ર. ૧:૮ થી પરીષદી U [7]અભિનવટીકા-જ્ઞાનાવરણનામક કર્મને પ્રજ્ઞા તથા અજ્ઞાનએબંને પરીષહો નિમિત્તરૂપ ગણેલ છે. જ પ્રશ્ન:-પ્રજ્ઞા બુિધ્ધિ જ્ઞાન સ્વરૂપ છે. જયારે જ્ઞાન એ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હોઈ શકે? સમાધાનઃ-અહીં જ્ઞાનાવરણ કર્મના ઉદયે- નો અર્થ જ્ઞાનાવરણ કર્મનો ઉદય એવા ન કરતા બે વિકલ્પ સૂચવેલા છે (૧)જ્ઞાનાવરણ કર્મના નિમિત્ત થી એવો અર્થ કરવો. (૨)અથવા જ્ઞાનાવરણ કર્મના ઉદય વર્તમાન હોય ત્યારે એવો અર્થ કરવો. આ પ્રકારે બે અર્થોનું સૂચન અહીં કરેલ છે કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે જયારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મના ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે, એવો અર્થ સુસંગત છે. બીજું-જો જ્ઞાનાવરણ ના ઉદયે એટલે કે નિમિત્તે એવો અર્થ સ્વીકારવામાં આવે તો આ પ્રશ્ન સમૂળગો જ ઉદ્ભવશે નહીં. સારાંશ રૂપે એમ કહી શકાય કે જ્ઞાનાવરણ કર્મના નિમિત્તે અથવા તો તેનો સર્વથાલય કેઉપશમ ન થયો હોય તે સંજોગોને જ્ઞાનાવરણ નો ઉદય સમજવો. તો આ પ્રશ્નનું સમાધાન થઈ જશે. જ પ્રશ્નઃ-જ્ઞાનાવરણ ના ઉદયે [-અથવા ક્ષયોપશમે પ્ર [-બુધ્ધિી હોય અથવા તો અજ્ઞાન હોય પણ બંનેનો સંભવ કઈ રીતે હોય? સમાધાન - જ્ઞાનાવરણ ને લીધે એક વિષયમાં પ્રજ્ઞા પરીષહ હોય અને બીજા વિષયમાં અજ્ઞાન પરીષહ પણ હોય, તો બંને એકી સાથે કેમ ન સંભવે? -જેમ કે ગણીતના વિષયમાં તજજ્ઞ વ્યકિત ઇતિહાસમાં અજ્ઞાન પણ હોઈ શકે છે. કર્મગ્રન્થના વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરનાર,કદાચ સિધ્ધાંતમાં નિપુણ ન પણ હોય, તો આ સંજોગોમાં તેને એક વિષયમાં પ્રજ્ઞા પરીષહનો સંભવ છે, જયારે બીજા વિષયમાં અજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy