SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯ લંબાણથી કહીએતો વધારે પણ કલ્પી શકાય છે. છતાં આર્ષ પરંપરાનુસાર પરીષહોની સંખ્યા ૨૨ ની જ કહી છે આ ૨૨-પરીષહો ને સમભાવે સહેવા તે પરીષહ-જય કહેવાય છે. પરીષહોને બરાબર સમજવા પરીષહોના પ્રત્યેક ભેદોનું સ્વરૂપ,પરીષહ કયારે જીત્યો કહેવાય [-પરીષહ જય] અને પરીષહકયારે જીત્યો ન કહેવાય -પરીષહ-અજય એ ત્રણે બાબતો બરાબર સ્પષ્ટ થવી જોઈએ (૧)વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરીષહ. (૨)પરીષહ આવતાં રાગ-દ્વેષનેવશનથવું અને સંયમબાધકકોઈ પણ પ્રવૃત્તિનકરવી તે પરીષહ જય. (૩)પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમ બાધક પ્રવૃત્તિ કરવી એ પરીષહ-અજય [૧] સુધા પરીષહ # ગમે તેવી સુધાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુધ્ધ આહાર ન લેતાં સમભાવ પૂર્વક એ વેદના સહન કરવી તે સુધા પરીષહ. 6 અતિશય સુધાની વેદના તે સુધા પરીષહ સુધાને સમભાવે સહન કરવી અને જો સહન ન થાય તો શાસ્ત્રોકતવિધિ મુજબ ગોચરીભિક્ષાને લાવી સુધા શાંત કરવી પણ દોષિત આહાર ગ્રહણ કરવો નહીં તે સુધા પરીષહ-જય. સુધા સહન થઈ શકેતો સહન કરવી નહીંતો દોષયુકત આહાર ગ્રહણ કરી સુધા શાંત કરવી તે પરીષહ-અજય. # શરીર સંબંધે જીવને સુધા પ્રાપ્ત થતાં જે જીવ પોતાના વ્રત-નિયમને બાધા ઉપજાવે તેવો આહાર નહીં કરતા સમ્યક ભાવે સુધા સહન કરે છે તેને સુધા પરીષહ-જય જાણવો. # સુધા વેદનીય સર્વઅશાતા વેદનીય થી અધિક છે. માટે તેવી યુધાને પણ સહન કરવી પણ અશુધ્ધ આહાર ગ્રહણ ન કરવો તેમજ આર્તધ્યાન ન કરવું તે સુધા પરીષહ વિજય કર્યો કહેવાય. [૨]પિપાસા પરીષહ # ગમે તેવી સુધા અને તૃષાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુધ્ધ પાણી ન લેતાં સમભાવ પૂર્વક એ વેદનાઓ સહન કરવી તે પિપાસા પરીષહ કહેવાય. # અતિશય તૃષાની વેદના એ પિપાસા પરીષહ છે. -પિપાસા સમભાવે સહન કરવી, જો ન સહન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ પાણી લાવીને તૃષા શાન્ત કરવી તે તૃષાપરીષહ જય. -પિપાસા સહન ન થાયતો દોષિત પાણી થી પણ એ તૃષા શમાવવી એ પરીષહ-અજય. ૪ ગમે તેવી તરસ લાગી હોય, પણ શાસ્ત્રોકત વિધિ જાળવ્યા વિના પીવાની ચીજ ન લેતાં તેથી થતું કષ્ટ, રાગ-દ્વેષ કર્યા વિના મોક્ષના ઉદ્દેશ થી સહન કરી લેવું તે પિપાસા પરીષહ-જય. $ શરીર સંબંધે જેમને તૃષા લાગવા છતાં જે જીવ પોતાના વ્રત-નિયમને બાધ આવે તેવું પાણી પીતા નથી અને સમ્ય ભાવે પિપાસા-તરસને સહન કરે છે તેને પિપાસા પરીષહ જય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy