SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ-પરા એટલે પ્રકૃષ્ટ અથવા ઉત્કૃષ્ટ આ શબ્દ પ્રયોજવાથી મધ્યમકેજધન્ય સ્થિતિનો અર્થ આપોઆપલુપ્ત થાય છે. આ સ્થિતિને ફકત ઉત્કૃષ્ટ સ્થિતિ જ સમજવાની છે તેથી સ્થિતિ ના વિશેષણરૂપે પS શબ્દ મુક્ત છે. સ્થિતિ-અવસ્થાન,કર્મના બંધ કાળથી આરંભીને છેલ્લામાં છેલ્લો દલિક નિર્જરી જાય ત્યાં સુધીનો જે કાળ તેને સ્થિતિ કહે છે. જીવ દ્વારા ગ્રહણ કરેલાં કર્મ પુદ્ગલોની અમુક કાળ સુધી પોતાના સ્વભાવને છોડયા વગર જીવની સાથે રહેવાની કલમર્યાદાને સ્થિતિ બંધ કહે છે. * સંકલિત અર્થ:- (પહેલી)જ્ઞાનાવરણ, (બીજી)દર્શનાવરણ(ત્રીજી)વેદનીય અને (આઠમી) અંતરાય એ ચારે મૂળ કર્મ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની હોય છે. અર્થાત્ કોઇપણ ક્ષણે બંધાયેલ આચાર પ્રકૃત્તિમાંનું કોઇપણ કર્મજીવની સાથે વધુમાં વધુ ૩) કોટી કોટી સાગરોપમ સુધી રહી શકે છે. જ વિશેષઃ-આતબક્કેસિધ્ધસેનીયટીકાઅબાધકાળને પણ જણાવે છે. તેથી સૂત્ર કેભાગમાં ન હોવા છતાં ટીકાકારે જણાવેલ આ મહત્વની વાતનું નિરૂપણ અત્રે કરવું ઉચિત જણાય છે. અબાધાકાળઃ # જે મૂળ પ્રકૃત્તિ તથા ઉત્તર પ્રવૃત્તિ નીજેટલા કોડા કોડી સાગરોપમ ની સ્થિતિ હોય તે પ્રકૃત્તિનો તેટલા સો વર્ષોનો અબાધાકાળ હોય. જેમ કે જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડા કોડી સાગરોપમ ની છે તો તેનો અબધાકાળ ૩૦૦૦ વર્ષનો થાય. 3 અબાધાકાળ એટલે બાંધ્યા પછી પણ તે કર્મ તેટલા કાળ લગે ઉદયમાં ન આવે તેને અબાધાકાળ કહેવાય છે. આઅબાધાકાળજધન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારે જાણવો.જધન્ય અબાધાકાળ તમામ મૂળ તથા ઉત્તર પ્રવૃત્તિઓનો અંતમૂહર્ત જ કહેલો છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ માટે જ જેટલા સાગરોપમની સ્થિતિ તેટલા સો વર્ષનો અબાધાકાળ સમજવો તેમ કહ્યું છે. નિષેકરચનાઃ- જે સમયે જે કર્મબંધાય તેના ભાગમાં જેકલિકો આવે તે ક્રમશઃભોગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. અમુક સમયે આટલાદળફળ આપે એ પ્રમાણે સ્થિતિનાચરમસમય પર્યન્ત કર્મદલિકોની વ્યવસ્થિત રચના થાય છે અને [જો કોઈ પણ કરણો દ્વારા ફેરફાર ન થાય તો તે આત્મા વ્યવસ્થિત રચના અનુસાર દળિકોના ફળ ભોગવે છે. અહીં આ રીતે થયેલી વ્યવસ્થિત દળ રચનાને નિષેક રચના કહેવાય છે. કર્મના દળ જે પહેલા સમયે વધારે હોય તે બીજા સમયમાં ઓછા થાય પછી એથી ઓછા થાય એમ અનુક્રમે ઓછા ઓછા થાય એવી રીતે કર્મનાદળની રચના પ્રાણીઓ વેચવા માટે કરે તે નિષેક કહેવાય. આનિષેક રચનામાં એટલી વાત ધ્યાનમાં રાખવી કે જે સમયે કર્મબંધાયુતેજ સમયથી આરંભી કેટલાંક સમયોમાં રચના થતી નથી જેટલા સમયમાં આ દલિકોની રચના ન થાય તેટલો સમય અબાધાકાળ કહેવાય અબાધાકાળ પછીના સમયથી નિષેક રચનાનો આરંભ થાય છે. જ સિધ્ધસેનીય ટીકામાં જણાવેલ અબાધાકાળ-સમય તથા સ્વરૂપ ૧-જ્ઞાનાવરણ,દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચારે મૂળકર્મપ્રકૃત્તિનો ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy