SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય છે તે અસ્થિર નામકર્મ. र अस्थिरत्वनिवर्तकं अस्थिरनाम कर्म । [૩૮]આદેય નામકર્મ$ જેના ઉદય થી બોલ્યું બહુમાન્ય થાય તે આયનામકર્મ # જે કર્મના ઉદય થી જીવનું વચન સર્વમાન્ય હોઈ-કોઈ તેનું ઉત્થાપન કે વિરોધ કરે નહીં તે આદેય નામકર્મ. જ ગાયમાનર્વ માટેયનામ | [૩૯]અનાદેય નામકર્મ# જે કર્મના ઉદય થી બોલ્ય માન્ય ન થાય તે અનાદેય નામકર્મ x જીવનું વચન યુકત અને સત્ય હોવા છતાં જે કર્મના ઉદય થી ગ્રાહ્ય ન બને અર્થાત અનાદર પામે તે અનાદેય નામકર્મ. र अनादेयभावनिर्वर्तकं अनादेय नाम આદેય -અનાદેય વૈકલ્પિક વ્યાખ્યા - જે કર્મના વિપાકથી એવા શરીર ગુણો થાય છે કે તે જીવના દર્શન માત્રથી જ તેના પરત્વેની શ્રધ્ધયતા કે આદેયતા પ્રગટ થાય છે તેનેઆદેય નામકર્મ કહે છે. અને જે કર્મના વિપાકથી તે જીવ દર્શન માત્રથી જ શ્રધ્યેય કે અનાદેય બની જાય છે તેને અનાદેય કર્મ સમજવું. [૪૦]યશ નામકર્મજ જેના ઉદય થી દુનિયામાં યશકીર્તિ પ્રાપ્ત થાય તે યશ નામ કર્મ કહેવાય છે. ૪ યશકીર્તિ માં કીર્તિ એકદિશાગામી છે. અને યશ સર્વદિશા ગામી છે. અર્થાત કોઈ એક દિશા-પ્રાંત કે જિલ્લામાં ફેલાય તે કીર્તિ અને સર્વ પ્રાન્ત, જિલ્લા કે વિદેશમાં ફેલાય તેને યશ કહેવામાં આવે છે આવાયશ કે કીર્તિ જે કર્મના ઉદયે પ્રાપ્ત થાય તે યશકીર્તિનામ કર્મ. र यशोनिवर्तकं यशोनाम । [૪૧]અયશ નામકર્મ# જેના ઉદય થી યશકીર્તિ પ્રાપ્ત થાય તે અયશકીર્તિ નામકર્મ . ૪ કર્મના ઉદય થી દુનિયામાં અપયશ અનેઅપકિર્તિ ફેલાય તેઅયશકીર્તિનામકર્મ કહેવાય છે. पदोषविषयाप्रख्याति: अयशोनाम इति । [૪૨]તીર્થકર નામકર્મ$ ધર્મતીર્થ પ્રવર્તાવવાની શકિત અર્પનાર કર્મ તે તીર્થકરના કર્મ કહેવાય છે. # જે કર્મના ઉદય થી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય તેને તીર્થકર નામકર્મ કહે છે. -આ કર્મના પ્રભાવથી તે જીવને અપરિમિત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ત્રણ લોકના પૂજય બને છે. બાહ્ય અને અત્યંતર વૈભવ પ્રાપ્ત થાય છે. સમોસરણ આદિ બાહ્ય વૈભવ સામાન્ય કેવળીને કદાપી પ્રાપ્ત ન થાય.વળી આ કર્મના ઉદય વાળા જીવો જ તીર્થની સ્થાપના કરે છે. र यस्यकर्मण उदयात् तीर्थदर्शनज्ञानचरणलक्षणं प्रवर्तयति, यतिगृहस्थ धर्म च कथयति आक्षेपसंक्षेपसंवेगनिर्वेदद्वारेण भव्यजनसंसिद्धये सुरासुरमनुजपतिपूजितश्च भवति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy