SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પતિ-પર્યાપ્તિ પૂરી કરે શિર- દાંત,અસ્થિઆદિની સ્થિરતા ગાય-જેનું વચન સ્વીકાર્ય બને તેતરાઈ -પ્રતિપક્ષી અર્થાત પ્રત્યેક આદિ દશની વિપક્ષી પ્રવૃત્તિ [6]અનુવૃત્તિ(૧)માદ્યોનાનાવર, સૂત્ર૮:૫ થી નામ ની અનુવૃત્તિ (૨)પષ્યનવદ્રયણાવિશુતિસૂત્ર ૮:૬થી વત્તરશત્ ની U [7]અભિનવટીકા - સૂત્રકારમહર્ષિએ નામકર્મમૂળ પ્રકૃત્તિના ૪૨ ભેદો ને અહીં રજૂ કર્યા છે. ઘણો જ વિસ્તાર અને લંબાણ યુકત વિવેચન ધરાવતું આ નામકર્મસૂત્રમાં ગૂંથતા ત્રણ વિભાગો કર્યા છે. (૧)તિગતિવિદાયોતિય: આ સમાસ પદમાં તેઓ શ્રી ૨૧ પ્રકૃત્તિનો સમાવેશ કરે છે. (૨)બીજા સમાસ પદમાં સૂત્રકાર મહર્ષિ ૨૦ પ્રકૃત્તિને સમાવે છે જે પ્રત્યે શરીર થી આરંભી સેતાળ પર્યન્ત છે. ' (૩)ત્રીજી તીર્થર્વ વે એવી એક છૂટી પ્રકૃત્તિ મૂકેલ છે. આ રીતે ત્રણ વિભાગમાં ૨૧+૨૦+૧ એમ કુલ ૪૨ પ્રકૃત્તિ નો નિર્દેશ શબ્દ થી કરેલો છે. પરંપરાનો નિર્દેશઃ-વર્તમાન કાળે આપણે ત્યાં બે પરંપરા અને તેમાં રહેલી ભિન્નતાનો નિર્દેશ અવારનવાર જોવા મળે છે. (૧)આગમ પરંપરાઃ- જેને શાસ્ત્ર કે સિધ્ધાન્ત થી પણ ઓળખાય છે (૨)કાર્મગ્રીિક પરંપરા - જેમાં મુખ્ય વૃત્તિએ કર્મ સાહિત્યનો સમાવેશ થાય છે જેને આપણે કર્મગ્રન્થ, કમ્મપયડી, પંચસંગ્રહ આદિમાં જોઈએ છીએ. કર્મગ્રન્થના અભ્યાસનું હાલ પ્રાબલ્ય હોવાથી તે પરંપરા માં આપણે અત્યારે વિશેષ ટેવાયેલા છીએ પરિણામે તેમાં દર્શાવેલ પધ્ધતિ કે ભેદોની જેટલી સ્વીકૃત્તિ આપણા માનસમાં જડાયેલી હોય છે તેટલે અંશે સિધ્ધાન્ત કે આગમ પરંપરા આપણે હાલ સુવિદિત રહ્યા નથી. તદુપરાંત કર્મગ્રન્થ અભ્યાસ સંઘના ચારે ઘટકોમાં થાય છે જયારે આગમ-શાસ્ત્રાભ્યાસ સાધુ ભગવંતો પૂરતો માર્યાદિત છે અને વાચના આપવા લેવાની પરંપરાઘસાતી જાય છે, પરિણામે આગમ પરંપરાનું જ્ઞાત પણું તદ્દ્ગ ઘટી ગયું છે, જેના પરિણામ સ્વરૂપે સૂત્રમાં અપાયેલ ઉત્તર પ્રકૃત્તિ ક્રમ સ્વીકારવો કે ગળે ઉતરાવવો થોડો મુશ્કેલ બને છે. આગળ વધીને કહીએ તો કેટલાક વિવેચકોએ તો કર્મગ્રન્થાનુસાર જ આ સૂત્રનું વિવેચન કરેલું છે. આ સમગ્ર સ્થિતિને લક્ષમાં લઈને અમે નીચે મુજબ સંવાદિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. (૧) તત્વાર્થ સૂત્રક્રમ:-આક્રમ શાસ્ત્રાનુસારી જ છે. શ્રી પ્રજ્ઞાપનાછૂત્ર તથા શ્રી સમવાયાં | સૂત્ર એ બંને આગમમાં જે ક્રમ નિર્દેશ છે તદનુસારજ તત્વાર્થસૂત્રકારે આ સુત્રની રચના કરી છે. $ ઉક્ત આગમોમાં પણ પિંડ પ્રકૃત્તિ કે પ્રત્યેક એવા કોઈ ભેદ પાડેલા નથી. # ઉફત આગમોમાં પણ તિર પામે પ્રકૃત્તિ છેલ્લે અલગ જ દર્શાવેલી છે # ઉક્ત આગમોમાંસ દશકાનેથાવર દશકની પ્રચલિત પ્રથાના મૂળ પણ જોવા મળે છે. જો કે ત્યાંશ એવો શબ્દ પ્રયોગ નથી પણ પ્રકૃત્તિનો ક્રમ તે રીતે જ ગોઠવાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy