SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨૬-મનુષ્યાનુપૂર્વી -જે કર્મના ઉદયે વક્રગતિએ જતો મનુષ્યગતિ વાળો જીવ પોતાને જયાં ઉત્પન્ન થવું હોયતે થઈ શકે છે. ર૭-શુભવિહાયોગતિઃ- કર્મના ઉદયથી જીવની ગતિ બળદ,હંસાદિ જેવી શુભ થાય છે માટે પુન્યરૂપ છે. ૨૮-પરાઘાત - સામોજીવ બળવાન હોય તો પણ લાચાર બની જાય તેવી પ્રભાપડવી તેનુંનામ પરાઘાત. ૨૯-ઉચ્છવાસ-જીવ સુખ પૂર્વક ધ્વાસોશ્વાસ લઈ શકે છે માટે પુન્ય. ૩૦-આતપ - સ્વંયશીત શરીરી હોવા છતાં ઉષ્ણ પ્રકાશ આપી શકે. ૩૧-ઉદ્યોત - શીત પ્રકાશ થી યુકત શરીર હોવું તે. ૩૨-અગુરુલઘુ - ભારે કે હલકું નહીં પણ મધ્યમસરનું શરીર મળવું તે. ૩૩ નિર્માણ - શરીર જયાં જેવું જોઈએ તેવું યથા યોગ્ય પ્રાપ્ત થવું તે. ૩૪ તીર્થકર - ત્રણ ભુવનમાં પૂજય એવું તીર્થંકરપણું મળે તે પુન્ય. ૩પ ત્રસ - ત્રાસ પામતા એક સ્થાને થી બીજે સ્થાને જઈ શકાય તે પુન્ય. ૩૬ બાદર-સ્થળ અને દેખી શકાય તેવા શરીરની પ્રાપ્તિ થવી તે પુન્ય. ૩૭ પર્યાપ્ત -સ્વયોગ્ય પર્યાપ્તિ જેના લીધે મળે તે પુન્ય. ૩૮ પ્રત્યેક - એક જીવને એક સ્વંતત્ર શરીર મળે તે પુન્ય. ૩૯ સ્થિર:- હાડકા, દાંત વગેરે સ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. ૪૦ શુભ -નાભિની ઉપરનો ભાગ પરને સ્પર્શ થતા પ્રીતિ રૂપ લાગે. ૪૧ સૌભાગ્ય:- કંઈપણ ઉપકાર કર્યા વિના તે જીવ પર લોકને પ્રીતિ થાય. ૪૨ આદેય-અયુકત અને ગાંડ ઘેલું વચન હોય તે પણ આદરપૂર્વક વચન માન્ય થાય. ૪૩ યશ - અવળાકામ કરવા છતાં પણ લોકમાં યશની પ્રાપ્તિ થાય ૪૪ સુસ્વર:- મધુર અને કર્ણપ્રિય અવાજ ની પ્રાપ્તિ રૂપ પુન્ય ૪૫ ઉચ્ચગોત્ર - ઉચ્ચકુળ, ઉચ્ચજાતિ, ધન, ઐશ્વર્ય આદિની પ્રાપ્તિ થવી તે જ કર્મગ્રન્થ સાથે પુન્ય પ્રકૃત્તિનું મતાંતરઃ કર્મઝન્યકાર પુન્યપ્રકૃત્તિના ૪૨ ભેદજણાવે છે. તેઓ ઉપરોક્ત ૫ ભેદમાંના સમ્યક્વમોહનીય, હાસ્ય રતિ,પુરુષ વેદએ ચાર કર્મનો પુન્ય કર્મ ગણતા નથી અને તિર્યંચાયુને પુન્યરૂપ ગણે છે. પરિણામે નીચે મુજબ ૪૨ પ્રકૃત્તિ થાય છે. જેને કર્મગ્રન્થમાં પુન્યરૂપ કહી છે સાતવેદનીય, મનુષ્યાયુદેવાયુ,તિર્યંચાયુ, મનુષ્યગતિ, દેવગતિ,પંચેન્દ્રિયજાતિ,ઔદારિક,વૈક્રિય,આહારક તૈજસ, કામણએ પાંચે શરીર,ઔદારિકવૈક્રિય,આહારકત્રણે અંગોપાંગ, સમચતુરસ સંસ્થાન,વજ8ષભ નારી સંઘયણ પ્રશસ્ત વર્ણ-ગંધ-રસ-સ્પર્શ મનુષ્કાનૂપૂર્વ દેવાનુપૂર્વી,અગુરુ લઘુ,પરાધાત, ઉદ્ઘાસ, આતપ,ઉધોત,પ્રશસ્ત વિઘયોગતિ,ત્રસ બાદર,પર્યાપ્ત પ્રત્યેક , શુભ, સ્થિર,સુભગ, સુસ્વર,આદય,યશકીર્તિ નિર્માણ, તીર્થંકર અને શુભગોત્ર એ ૪૨ પુન્ય પ્રવૃત્તિઓ કહી છે * કર્મગ્રન્થનુસાર ૪રપ્રકૃત્તિનું મૂળ પ્રકૃતિમાં વિભાજન (૧) વેદનીયકર્મ-સાતા વેદનીય (૨) આયુષ્યકર્મ - દેવ-મનુષ્ય-તિર્યંચાયુ (૩) નામકર્મ:-ગતિ-૨,જાતિ-૧,શરીર-૫,અંગોપાંગ-૩,સંસ્થાન-૧,સંઘયણ-૧, શુભ વર્ણાદિ-૪,ઉપઘાત સિવાયની પ્રત્યેક પ્રકૃત્તિ-૭,આનુપૂર્વી-૨,વિયોગતિ-૧,ત્રસદશક-૧૦ ૩૭ (૪) ગોત્રકર્મ - ઉચ્ચગોત્ર કુલ પુન્યપ્રકૃત્તિ (૪૨ નોધ -જ્ઞાનવરણ,દર્શનાવરણ,અંતરાય અને મોહનીય એ ચારમાંથી એક પણ પ્રકૃત્તિ શુભ કહેલી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy