SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)વ એટલે વિવિધ, અનેક પ્રકારનું અને પાક એટલે ફળ અથવા પરિણામ. બંધાયેલા કર્મોનું ફળ અનેક પ્રકારનું હોય છે તેથી તેને વિપાક કહેવામાં આવે છે. (૫)આવિપાના વૈવિધ્યને જણાવવા મધ્યમાં લખ્યું છે કે સ તથા વન્યથા - એટલે કે- જે પ્રકારના અધ્યવસાય થકી જેવા ભાવથી કર્મ બંધાયુ હોય તે કર્મ તેવાજ પ્રકારે પણ ભોગવાય છે અને બીજા પ્રકારે પણ ભોગવાય છે. (૬)જે સમયે જીવ આ કર્મોના વિપાકનો અનુભવ કરે છે, તે સમયે જ કર્મના હેતુ વડે અથવા કર્મનાનિમિત્ત થી અનાભોગ પૂર્વક જ કર્મોનું સંક્રમણ પણકરે છે. આ સંક્રમણ એટલે એક ઉત્તર પ્રવૃત્તિનું તેજ મૂળ પ્રકૃત્તિ ની બીજી ઉત્તર પ્રવૃત્તિમાં પરિવર્તન પામવું તે (૭)આવું સમUT મૂળ પ્રકૃત્તિમાં કદાપી થતું નથી (૮)આવું સમM ઉત્તર પ્રવૃત્તિઓમાંજ થાય છે અર્થાત એક મૂળ પ્રકૃત્તિની ઉત્તર પ્રકૃત્તિનું પરસ્પર એકમેકમાં સંક્રમણ થાય છે. જેમ કે જ્ઞાનાવરણ ની પાંચ પ્રકૃત્તિ છે તો તેમાં મતિજ્ઞાનાવરણ નું શ્રુતજ્ઞાનાવરણમાં કે શ્રુતજ્ઞાનાવરણનું મતિજ્ઞાનાવરણમાં ઇત્યાદિ એક ઉત્તર પ્રવૃત્તિનું બીજી ઉત્તર પ્રવૃત્તિમાં સંક્રમણ થાય છે. આ રીતે જ્ઞાનાવરણની પાંચેપાંચ ઉત્તર પ્રકૃત્તિનું અન્યો તેમજ દર્શનાવરણની નવે પ્રકૃત્તિ ઓનું અન્યોન્ય એ રીતે સંક્રમણ થાય છે. (૯) કોઈપણ એક મૂળ પ્રકૃત્તિનું બીજા માં કે એક મૂળ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિનું બીજી મૂળ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિમાં સંક્રમણ થતુ નથી અર્થાત જ્ઞાનાવરણનું દર્શનાવરણમાં કે દર્શનાવરણનું જ્ઞાનાવરણાદિમાં સંક્રમણ કદાપિ થતું નથી. કેમ કે વિપાકનું નિમિત્ત ભિન્ન જાતિય પ્રવૃત્તિ થવાથી આવું સંક્રમણ થઈ શકે નહીં. (૧૦)ઉત્તર પ્રવૃત્તિમાં પણ મોદનીય અને વરિત્રમોદનીય ઉત્તપ્રકૃત્તિઓનું પરસ્પર સંક્રમણ કદાપી થતું નથી. એ જ રીતે સમ્યક્ત નો સમ્યફમિથ્યાત્વમાં સંક્રમથતો નથી પણ મિથ્યાત્વનું સત્વ માં તથા સમ્યફમિથ્યાત્વ અર્થાત મિશ્ર માં સંક્રમણ થાય છે એજ રીતે આયુષ્કની પ્રકૃત્તિનુંનારક-તિર્યંચ-મનુષ્ય અને દેવમાં પરસ્પર સંક્રમણ થતું નથી આ ત્રણેમાં સંક્રમણ ન થતું હોવાનું કારણ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવતા સૂત્રકાર મહર્ષિ એ લખ્યું કે “જ્ઞાત્યન્તર મનુવશ્વ-વિપનિમિત્તનિ મેન્યગતિવાતું વસમોન વિદ્યતે” (૧૧) આ રીતે સંક્રમણમાં ત્રણ વિગતો જણાવી. ૪ મૂળ પ્રકૃત્તિઓનું કદાપી સંક્રમણ થતું નથી. # જે મૂળ પ્રકૃત્તિઓની જે ઉત્તર પ્રવૃત્તિ હોય તેનું જ પરસ્પર સંક્રમણ થાય છે અન્ય ઉત્તર પ્રવૃત્તિ સાથે થતું નથી. # આ નિયમ માં પણ કેટલાંક અપવાદ હોવાથી કોઈક કોઈક ઉત્તર પ્રવૃત્તિનું પણ સંક્રમણ થતું નથી. પરંતુ સ્વોપલ્લભાષ્યમાં જણાવ્યા મુજબ પર્વતને તુર્વસ પ્રવૃતીનાં વિદ્યતે અપવર્તનતોબધી જ પ્રકૃત્તિઓનું થઇ શકે છે. અપવર્તન એટલે કર્મસ્થિતિનું અલ્પીકરણ કરવું તે. (૧૩)આ જ રીતે આત્મા આ રસબંધને કારણે દૂઢપ્રકૃત્તિને શિથીલ કે શિથીલ પ્રકૃત્તિને દૂઢ પણ બનાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy