SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૩ સમાસ ન કરવા દ્વારા આ પ્રયોજન ને વધુ સ્પષ્ટ કરવામાં આવેલ છે. પ્રશ્નઃ-સૂત્રમાં અનુકંપા શબ્દથી પ્રાણી સાથે વ્રતી નો સમાવેશ થઇ જ જાય છે. પછી ભૂતાનુજા અને ત્યનુાં એમ બે અલગ અલગ કેમ ગ્રહણ કર્યા? તે સમાધાનઃ- ભૂત-અનુકમ્પા કહેવાથી જગતના સર્વપ્રાણી પરત્વે નીદયા કે અનુકમ્પામાં વ્રતધારીની અનુકંપાનો સમાવેશ થઇ જ જાય છે પરંતુ અહીં વતી અનુપ્પા જે જૂદું મૂકયુ તેની વિશેષતા ને જણાવવા માટે છે અર્થાત્ સામાન્ય પ્રાણીઓ કરતા વ્રતધારી પરત્વે વિશેષ ભકિત વાત્સલ્ય હોવું જોઇએ તે જણાવવા માટે તેમનું અલગ ગ્રહણ કરેલ છે. પ્રશ્ન:- ચારિત્ર બે પ્રકારે છે(૧)વીતરાગ ચારિત્ર (૨)સરાગચારિત્ર ચારિત્ર બંધનું કારણ છે નહીં તો અહીં સ૨ાગ સંયમ ને સાતા વેદનીય કર્માસ્રવનું કારણ કેમ કહ્યું? ૯૧ સમાધાનઃ-ખરેખર ચારિત્ર આસ્રવ કેબંધનું કારણ નજ હોય અહીં આસ્રવ નું કારણ છે તે રાગ છે. સરાગ ચારિત્રમાં‘સરાગ’રાગ પણું એ શાતાવેદનીય કર્માસ્રવ માટે નિમિત્ત છે પણ તે સરાગપણું ચારિત્ર સાથે સંકડાયેલું હોવું જોઇએ. તે મહત્વનો મુદ્દો છે આ વાત દૃષ્ટાન્ત થી સમજવા જેવી છે ચોખા બે પ્રકારે હોય (૧)ફોતરા સહિત અને (૨)ફોતરા રહિત અહીં ફોતરા એ ચોખા નથી પણ ચોખા સાથે સંકડાયેલી છતાં છેલ્લે ફેંકી દેવાની વસ્તુ છે -કોઇ ડાહ્યો માણસ લાંબા સમયનો સંગ્રહ કરવા ફોતરા સહિત ચોખા ને લઇને સાચવે તે જોઇને કોઇ ભોળો માણસ ફોતરાનેજ સત્વમાનીનેસંગ્રહ કરેતો? નિરર્થક ખેદ નો જ ભાગી થાયને? એ રીતે સરાગપણું એ સંયમ નથી પણ સંયમ સાથે સંકડાયેલ સંયમનો દોષ છે. અંતેતો તે સરાગ પણું પણ છોડવાનું જ છે તોજ વીતરાગ સંયમ પ્રાપ્ય થશે હવે જો કોઇ સમ્યક્ત્વી વ્યકિત પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારણ કરી વીતરાગતા પ્રાપ્તિ ની ભાવના ધરાવતો હોય તેને જોઇને કોઇ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માનીને અંગીકાર કરેતો શું થાય? ચારિત્ર પ્રાપ્ત ન થાય પણ રાગ રહી જાય કે જે ખેદનો જનક બને છે. એ રીતે અહીં મહત્વની વાતતો સંયમ જ છે. પણ તેમાં સરાગતા રૂપ દોષ હોવાથી તે સરાગ સંયમ શાતા વેદનીય કર્માસ્રવ કરાવનાર બને છે. ગ્રન્થાન્તર થી શાતા વેદનીય કર્માસવ ના કારણોઃ લોકપ્રકાશ-સર્ગ-૧૦શ્લોકઃ૨૫૬ ‘‘ગુરુ તરફ ભકિત ભાવથી, દયાથી તથા કષાયોનો પરાજય કરવાથી દૃઢ ધર્મી દાતા પુરુષ શાતા વેદનીય કર્મબાંધે છે. કર્મગ્રન્થ-પહેલો-ગાથા ૫૫ મુજબ ગુરુભકિત,ક્ષમા, દયાવ્રત,યોગ,કષાય-વિજય,દાન અનેદૃઢ ધર્મીતા એ શાતા વેદનીય બંધના કારણો અથવા શાતા વેદનીય કર્માસ્રવો છે. [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભ:- પાળાનુ પાછુ મૂયાળુપાત્ નીયામુપાત્ સત્તાનુ ંપાત્ વદૂાં जाव सत्ताणं अदुक्खणयाए असोयणयाए अजूरणयाए ..... साया वेयणिज्जा किज्जंति * મગ઼.૭,૩.૬. મૂ. ૨૮૬-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy