SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્ર: ૧ -वीर्यान्तरायक्षयोपशमजनितेन पर्यायेणआत्मनः सम्बन्धो योग: । स च वीर्यप्राणोत्साह पराक्रमचेष्टा शक्ति सामर्थ्यादि शब्द वाच्यः –જીવ જેના વડે વીર્યન્તરાય થયોપશમ જનિત પર્યાય સાથે જોડાય છે. તેને યોગ કહે છે. -મન,વચન અને કાયાની વર્ગણાઓનું આલંબન લઈને આત્માના પ્રદેશોમાં જે હલનચલન રૂપ ક્રિયા થાય છે. તેનું નામ જ યોગ * મનોયો :- યોગના પેટા ભેદોઃ-યોગના ત્રણભેદ-કાયયોગ,વચનયોગ અને મનોયોગ તો સૂત્રમાં જ જણાવેલા છે તેના ઉત્તર ભેદોને અહીં જણાવતા શ્રી સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે -कायात्मप्रदेशपरिणामो गमनादिक्रियाहेतः काययोग: -भाषायोग्य पुद्गलात्म प्रदेश परिणामो वाग्योग: -मनोयोग्यपुद्गलात्म प्रदेश परिणामो मनोयोग: इति मूलभेद कथनम्, उत्तरभेदास्तु पञ्चदश भवन्ति । અર્થાત મૂળભેદથી કાયયોગ,વાગ્યોગ અને મનોયોગ એત્રણ છે પણ ઉત્તર ભેદથી તેના પંદર ભેદ છે તે આ રીતે (૧)કાયયોગ-સાત પ્રકારે,(૨)વાયોગ ચાર પ્રકારે(૩)મનોયોગ ચાર પ્રકારે र काययोग: -૧- મૌરિફ યોગ: ઔદારિક શરીર થકી જીવોનોને વ્યાપાર તે ઔદારિક કાયયોગ આ યોગ શરીર પર્યાપ્તિ સમાપ્ત થયા બાદ સંપૂર્ણ ભવસુધી ચાલુ રહે છે. -૨-૩ૌરિઝ યોર્ક:-તૈજસકાર્પણ શરીર સહિત ઔદારિક શરીરનોજે વ્યાપાર તે ઔદારિક મિશ્રકાયયોગ ભવાન્તરમાં ઉત્પન્ન થયા બાદ બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી આ યોગ ચાલુ રહે છે. અને સર્વજ્ઞ ને સમુદ્ધાત વખતે બીજે, છકે અને સાતમે સમયે આ યોગ હોય છે. – અહીંઔદારિકની સાથે કાર્મણકાયયોગની મદદ લેવી પડતી હોવાથી તેને ઔદારિક મિશ્ર કહે છે. -૩-વૈયિT:- વૈક્રિયશરીર દ્વારા આત્માનો જે વ્યાપાર તે વૈક્રિય કાયયોગ મૂળ વૈક્રિય કાયયોગ તો વૈક્રિય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ સંપૂર્ણ ભવ સુધી હોય છે. જયારે ઉત્તર વૈક્રિય શરીરમાં તે શરીર હોય ત્યાં સુધી જ તેનો કાયયોગ હોય છે. --વૈમિઝયયો:- મૂળ વૈક્રિય શરીરની અપેક્ષાએ તૈજસ કાર્મણ સહિત વૈક્રિય શરીરનો જે વ્યાપાર તે વૈક્રિય મિશ્રકાયયોગ -અને-ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ઔદારિક શરીર સહિત વૈક્રિય શરીરનો વ્યાપાર તે વૈક્રિય મિશ્ર કાયયોગ –પ-ગાદીપજયા :- આહારક શરીરનો વ્યાપાર તે આહારક કાયયોગ, આહારક શરીર તૈયાર થયા પછી તેનું વિસર્જન થાય તે પૂર્વેના વચ્ચેના સમયગાળામાં આ કાયયોગ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy