SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ અધ્યાયઃ સૂત્ર: ૯ જ કિ::-ત્રીજી વખત કહેવાયેલ સંખ્યાવાચી પદ પણ ત્રિ: છે આ પદ સૂત્રના સાથે જોડાયેલું છે. તેના થકી સૂત્રકાર એવું કહેવા માંગે છે કે ઉપરોકત [૩×૩]નવે ભેદોનું પણ પ્રત્યેક પદ આ કૃત-વાફ-કારિત-અને અનુમત સાથે સંકડાયેલું છે -એટલે કે આ ત્રણ પદની વિશેષતા થી પુનઃ ત્રણ-ત્રણ ભેદો થાય છે જેમ કે કૂતકાયસંરંભ,કૃતસંરંભ,કૃત મનઃસંરંભ કૃત કાય સમારંભ,કૃત વાક્સમારંભ,કૃત મનઃસમારંભ કૃત કાયારંભ,કૃત વાગારંભ,કૃત મન આરંભ આ રીતે કારિત કાય સંરંભ આદિ નવ ભેદો થશે અને અનુમત કાયસંરંભ આદિ નવ ભેદો થશે જ વાર:- ચોથું સંખ્યાવાચી પદ છે વતુર -આ પદ સૂત્રના પાય પદ સાથે સંકડાયેલ છે કેમ કે તે Bય ની ચારની સંખ્યાને જણાવે છે ભાષ્યકારના જણાવ્યા મુજબ ક્રોધ કષાય,માનકષાય,માયાકષાય અને લોભ કષાય એ ચાર કષાયની વિશેષતા થી ઉપરોકત ૨૭ ભેદોના પ્રત્યેક પદ કહેવાયેલા છે. અર્થાત કુલ૨૭૪૪]૧૦૮ ભેદોનું કથન થશે જેમકે-ક્રોધકૃત કાયસંરંભ,ક્રોધકૃત વાક્યુંરભ, ક્રોધકૃત મનઃસંરંભ ક્રોધકૃત કાયસમારંભ,ક્રોધકૃત વાક્સમારંભ,ક્રોધકૃત મનઃસમારંભ ક્રોધકૃત કાયઆરંભ,ક્રોધકૃત વાઆરંભ,ક્રોધકૃત મન આરંભ આ રીતે ક્રોધ કારિત કાયસંરંભ આદિ નવભેદો થશે –અને ક્રોધ અનુમતિ કાય સંરંભ આદિનવ ભેદો થશે -એજ રીતે ક્રોધને સ્થાને અનુક્રમે માન,માયા અને લોભ મુકવાથી પ્રત્યેકના ૨૭-૨૭ ભેદો થશે જેથી કુલ ૧૦૮ ભેદ થશે. પશ:- એક-એકના પ્રત્યેકના અહીં સંરંભાદિ ત્રણ યોગ ત્રણ, કરણ-કરાવણ અનુમોદન-ત્રણ અને ક્રોધાદિ કષાય ચાર એ દરેકમાં એક-એક નો ભેદ દર્શાવવા પશુ: કહ્યું જ સારાંશ- જયારે કોઈ સંસારી જીવ હિંસાદિ આસ્રવ કાર્યમાં જોડાય ત્યારે ક્રોધાદિ કોઈ કષાયથી પ્રેરિત થાય છે. -કષાય થી પ્રેરિત થયેલો જીવ કયારેક તે કામ પોતે કરે છે. કયારેક બીજા પાસે કરાવે છે અને કયારેક બીજા એ કરેલા કામમાં સંમત થાય છે - તે કામને માટે માનસિક, વાચિક અથવા કાયિકમાના કોઈ એક યોગથી તે અવશ્ય યુકત હોય જ છે. – આ રીતે પ્રેરાયેલો જીવ સંરંભ,સમારંભ કે આરંભની કોઈપણ એકાદ પ્રવૃત્તિ કરે છે. * ૧૦૮ ભેદ-સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યા તે મુજબના ૧૦૮ ભેદોને અહીં જણાવેલ છે. તો પણ એક વાત નોંધપાત્ર છે કે આ ભેદો પણ પ્રત્યક્ષ ગુણાંકનથી કહેવાયેલા છે. જેમ કે ૩×૩×૩૮૪=૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy