SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૭ ૫૧ એકજ પ્રકારની હિંસાની ક્રિયા કરે છતાં વીર્યના ભેદને કારણે પરિણામમાં ભેદ પડે જ છે –આ જ કારણ થી પ્રથમ સંઘયણ વાળો સાતમી નરકને યોગ્ય પાપામ્રવ-બંધ કરી શકે છે. પણછઠ્ઠા સંઘયણ વાળો અર્થાત અત્યંત નબળા સંઘયણ વાળો સાતમી નરકે જવાને યોગ્ય પાપગ્નવ-બંધ કરી શકતો જ નથી – એ જ રીતે નબળા સંઘયણવાળો અર્થાત છઠ્ઠા સંઘયણ વાળો જીવ પૂરતી વીર્યશકિતના અભાવે પ્રબળ પુણ્ય પણ ઉપાર્જન કરી શકતો નથી નબળા સંઘયણ વાળો ગમે તેટલી ઉત્કૃષ્ટ ધર્મક્રિયા કરે તો પણ ચોથા દેવલોક થી ઉપર જઈ શકે નહીં જયારે પ્રથમ અર્થાત મજબુત સંઘયણ વાળો જીવ પાંચમાં અનુત્તર વિમાન સુધી પણ જઈ શકે છે વીર્યનો આધાર મજબુત શરીર સંઘયણ ઉપરજ છે આથી જેમ જેમ સંઘયણ મજબુત તેમ તેમ પુણ્ય-પાપ નો આસ્રવ અધિકાધિક થઈ શકે છે કયુ સંઘયણ | કેટલી નરક જઈ શકે? | ઉર્ધ્વલોકમાં જઈ શકે? ૧-વરઋષભ નાચ સાતમી નરક સુધી મોક્ષ પર્યન્ત ૨-૨ષભનાર છઠ્ઠી નરક સુધી બારમા દેવલોક સુધી ૩-નાચ પાંચમી નરક સુધી દશમા દેવલોક સુધી ૪-અર્ધનારી ચોથી નરક સુધી આઠમા દેવલોક સુધી પ-કીલિકા ત્રીજી નરક સુધી છઠ્ઠા દેવલોક સુધી ડ-સેવાર્ત-છેવટુ બીજી નરક સુધી ચોથા દેવલોક સુધી નોંધઃ-વર્તમાનકાળે ભરત ક્ષેત્રમાં છઠું-સેવાર્ય સંઘયણ હોવાથી જીવો ઉપર વધુમાં વધુ ચોથા દેવલોક સુધી અને નીચે બીજી નરક સુધી જઈ શકે છે ___-वीर्यान्तरायकर्मक्षयोपशमजा लब्धि: र्वीयम्- :आत्मनः शकितः,सामर्थ्य: महाप्राणता । तस्य विशेष:- अतिशयः तस्माद् वीर्यविशेषात् कर्मबन्धविशेषः । अतो वीर्यातिशय: कर्मबन्धनिमित्तमस्ति । 1 જ ધિરણ:- પ્રયોજનના આશ્રયભૂત પદાર્થને નરક અધિકરણ કહે છે # સામાન્ય થી લોકમાં અધિકરણનો અર્થ આધાર થાય છે વિશેષ થી જણાવવા તેના બે ભેદ અગ્રીમ સૂત્રઃ૮ ધિરાં નવા નવા: માં સૂત્રકાર મહર્ષિએ કહેલા છે. ૪ અગ્રીમ સૂત્રમાં જીવ-અજીવ રૂપ અધિકરણના અનેક ભેદ કહેવાશે તે અધિકરણની વિશેષતા થી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે. – જેમકે હત્યા,ચોરી આદિ અશુભકૃત્ય અને પારકાનું રક્ષણ આદિ શુભકૃત્ય કરી રહેલ બે ભિન્ન વ્યકિતઓમાં એકની પાસે અધિકરણ એટલે કે ઉગ્ર શસ્ત્રો હોય અને બીજાની પાસે સાધારણ લાકડી જેવું કોઈ હથીયાર હોય તો સાધારણ શસ્ત્રવાળા કરતાં ઉગ્રશસ્ત્રધારી નો કર્મબંધ તીવ્ર થવાનો સંભવ છે કેમ કે ઉગ્ર શસ્ત્ર પાસે હોવાથી એનામાં એક પ્રકારનો અધિક આવેશ રહે છે અને આ અધિક આવેશ જ અધિક કર્મબંધ કરાવે છે અધિકરણએટલે આમ્રવની ક્રિયાનાં સાધનો – આ અધિકરણના ભેદથી પણ ઉપર કહ્યા મુજબ કર્મબંધમાં ભેદ પડે છે કેમ કે જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy