SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અધ્યાયઃ દસૂત્રઃ દ [23]માયાયિ :- કપટ કરવું, કંપચ કરવો વગેરે -दाम्भिकवृत्तितया मनोवाक्कायानां प्रवृतौ प्रेरकत्वं मायाप्रत्ययिकक्रियाया लक्षणम् । -જ્ઞાન દર્શન આદિના મોક્ષના સાધનો ના વિષયમાં બીજાને ઠગવા તે માયાક્રિયા – નવતત્વ પ્રકરણમાં તેના બે પ્રકાર કહ્યા છે તે આ પ્રમાણે (૧) માત્મમાવવષ્યન-પોતાન દયમાં દુષ્ટ ભાવ હોવા છતાં શુધ્ધભાવ દર્શાવવો (૨) પરમાવવશ્વન-ખોટી સાક્ષી,ખોટા લેખ વગેરે કરવા [24]મિથ્યાયિ :-દુન્યવી ફળની ઇચ્છાથી મિથ્યાદૃષ્ટિની સાધના કરવી - મિથ્યાદ્રષ્ટિને અનૂકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને અનુમોદન થકી મિથ્યાત્વમાં વધુ દૃઢ કરવો તે મિથ્યાદર્શન ક્રિયા -विरुध्धफललिप्सया मिथ्यादर्शनमार्गेण सन्तत प्रयाणमन्यं साधयामि इति अनुमोदमानस्य मिथ्या दर्शन किया। [25] અપ્રત્યાધ્યાનયા:- પાપ કાર્યોના પ્રત્યાખ્યાન રહિત જીવોની ક્રિયા –સંયમ ઘાતી કર્મોના પ્રભાવને કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવુંએ પ્રત્યાખ્યાન ક્રિયા -संयमविघातिनः कषायादि अरीन् प्रत्याख्यान् न प्रत्याचष्ट इति अप्रत्याख्यानक्रिया । -પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્કના ઉદયથી જીવને કોઈ પણ પ્રકારે પ્રત્યાખ્યાન ન હોવાથી થતી ક્રિયા આ રીતે સંક્ષેપથી અહીં ક્રિયાનું વર્ણન કરેલ છે વિશેષથી જોવા માટે તો પ્રજ્ઞાપનાહૂત્ર, વાળાં' સૂત્ર, ગાવયવૃત્તિ વગેરે આગમ ગ્રન્થોનું અવલોકન કરવું આવશ્યક ગણાય બીજું આ પચીસક્રિયા આ રૂપે જ છે તેમ માનવું નહીં કે કેમ કે નિમ્નોકત તફાવતો જોવા મળેલ છે. (૧)અહીં પાંચ-પાંચના જોડકા સ્વરૂપે પચીસ ક્રિયા જોવા મળેલ છે. (૨)નવતત્વમાં આ પચીસ ક્રિયા સીધી ક્રમસરજ અપાયેલી છે (૩)શ્રી સ્થાનાંગ સૂત્રમાં તે બે-બેના જોડકાં રૂપે જોવા મળેલ છે (૪)શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વળી જુદી રીતે કહેવાય છે. (૫) કેટલેક સ્થાને ક્રિયાના નામો માં ભેદ છે જેમ કે અહીં પ્રથમ ક્રિયા સખ્યત્વ ક્રિયા હતી જે નવતત્વમાં નથી નવતત્વમાં પ્રેમિકી-ષિકી એ બંને ક્રિયા અહીં નથી (૬) કેટલીક ક્રિયાઓમાં અર્થભેદ જોવા મળેલ છે. જેમાંના કેટલાક અર્થભેદોની તો ઉપરોકત વર્ણનો માં નોંધ પણ લીધી જ છે (૭)કયાંક આ ક્રિયા અજીવ અપેક્ષાએ વર્ણવાઈ છે કયાંક જીવ અપેક્ષાએ વર્ણવાઈ છે. આવું અનેક વૈવિધ્ય ક્રિયા સંબધે જોવા મળેલ છે. કેટલાક પ્રશ્નો - [૧] જયાં ઇન્દ્રિય, કષાય અને અવ્રત છે ત્યાં ક્રિયા અવશ્ય રહેવાની આથી કેવળ ક્રિયાના નિર્દેશથી આમ્રવનું વિધાન થઈ શકે નહીં. પછી અવ્રતાદિ ત્રણના નિર્દેશની શી આવશ્યકતા છે? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy