SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ પૂર્વીં-સૂત્રમાંપૂવર્સ શબ્દ કહ્યો છે તે ઉપરોકતસૂત્રદ્ધનીઅનુવૃત્તિને માટે છે. ઉપરોકત સૂત્રમાં બે પ્રકારના આસ્રવ કહેલા છે. તેમાં પ્રથમ આસ્રવ સા૫યિ છે. તેથી સૂત્રક્રમના પ્રામાણ્ય મુજબpવસ્થ એટલે સામ્પયવસ્ય એવોજ અર્થ થશે. કેમકે પૂ.ઉમાસ્વાતિજી મહારાજાએ સૂત્રમાં પહેલો નિર્દેશ તેનો જ કરેલો છે તદુપરાંત સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ કહ્યું છે કે પૂર્વી રૂતિ નિર્દેશસમર્થાત્ સાપયિસ્ય વર્મા: માવ: | અર્થાત પૂર્વ એવા નિર્દેશથી સાપરાયિક કર્મનો આસ્રવ જ સમજવો જ અવત:-સામ્પરાયિક આસ્રવના ભેદો માં સૂત્રકારે પ્રથમભેદમવ્રત કહ્યો છે. ગત ને આશ્રીને પાંચ પેટા ભેદ સૂત્રમાં જણાવેલ છે -पञ्च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाः । -આ પાંચ ભેદોના નામ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા છે તે મુજબ-(૧)હિંસા, (૨)અમૃત-જૂઠ, (૩)સ્તેય-ચોરી,(૪)અબ્રહ્મ -મૈથુન અને (૫)પરિગ્રહ એ પાંચ અવ્રત છે. -વિરતિ લક્ષણ એવા પાંચ વ્રતો જ કહ્યા છે. એક વધુ નહી કે એક ઓછું નહીં. તે પાંચ વ્રતથી વિપરીત તે અવ્રતો કહેવાય જેનું વર્ણન અધ્યાય:૭ ના સૂત્રઃ ૮ થી ૧૨ માં કરવામાં આવેલ છે. વિસ્તારથી જાણવા માટે તેને સૂત્રોની અભિનવટીકા જોવી (૧)હિંસા:- પ્રમત્ત યોગથી થતો જે પ્રાણવધ તે હિંસા. પ્રમાદ યોગથી જીવોના દ્રવ્ય પાણનો જે વિનાશ કરવો તે હિંસા (૨)જૂઠ-અમૃત અસત્ કહેવું તે. અમૃત અથવા અસત્ય-જૂઠ - અપ્રિય-અહિતકર -અસત્ય ઉચ્ચારણ તે જૂઠ (૩)સ્તેય-ચોરીઃ- અણદીધેલું લેવું તે તેય અથવા ચોરી -કોઈ એ નહીં આપેલી ચીજનું ગ્રહણ કરવું તે ચોરી (૪)અબ્રહ્મઃ- મૈથુનની પ્રવૃત્તિ તે જ.અબ્રહ્મ બ્રહ્મચર્યનું પાલન ન કરવા રૂપ આચરણ “મૈથુન સેવન'' તે અબ્રહ્મ (૫)પરિગ્રહ - વસ્તુની મૂર્છા-આસકિત એ જ પરિગ્રહ -ધન, ધાન્ય, સોનું, રૂપુ, ક્ષેત્ર,વાસ્તુ,વાસણ,દ્વિપદ,ચતુષ્પદ એ નવ પ્રકારે વસ્તુઓનો સંગ્રહ તે પરિગ્રહ આ પાંચને અવ્રત કહેલ છે. તે પાંચમાં અવિરતિના પરિણામે કરીને જે બંધ થાય છે તે પાંચ પ્રકારનો અવત આશ્રવ સમજવો * ષાય-સામ્પરાયિક આમ્રવના ભેદોમાં બીજા ક્રમે સૂત્રકાર મહર્ષિ કષાય નામના ભેદને જણાવે છે જેના ચાર પેટા ભેદો સૂત્રમાં કહેલા છે -चत्त्वारः क्रोधमानमायालोभा: (अनन्तानुबन्धयादयः) – આ ચાર ભેદોના નામ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા છે તે મુજબ (૧)ક્રોધ (૨)માન (૩)માયા(૪)લોભ એ ચાર કષાયો છે [વધુમાં ત્યાં મનતાનુવચ્ચદ્ર એમ કહ્યું છે તેનો અર્થ એ છે કે આક્રોધાદિચારકષાય અનન્તાનુબન્ધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનીઅનેસંજવલન એવા ચાર ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy