SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જીવો. તેનો યોગ કષાય સહિત હોવાથી સંસાર ભાવરૂપ બને છે. તે સંસાર એ જ સાંમ્પરાયિક કર્માસ્રવનું ફળ કષાય થી યાપથ:-અકષાય અને ઇર્યાપથ નો સંબંધ સમજતા પૂર્વે ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ જાણવી જરૂરી છે. $ 1ષાય શબ્દ સાથે પૂર્વના યોગ શબ્દને જોડવાનો છે અને $ યાપથ શબ્દ સાથે પૂર્વના માજીવ શબ્દને જોડવાનો છે તેથી જ મન,વચન, કાયાનોયોગ જો કષાય રહિત હોય તો ઇર્યાપથ કર્મોનો આસ્રવ થાય છે. ૪ જેમ સૂકી ભીંત હોય અને તેના ઉપર લાકડાનો દડો ફેકવામાં આવે તો તે ચોંટી જતો નથી પણ ભટકાઈને પાછો પડે છે તેમકષાય રહિત પણે ફકત (મન)વચન કે કાયાના યોગથી આકૃષ્ટથયેલા જે કર્મોછે તે આત્માની સાથે લાગીને તુરંત છુટા પડી જાય છે. અને તેને ઈર્યાપથ કર્મ કહેવામાં આવે છે. –પરંતુ આ કર્મષાયમુકત આત્માત્રણ પ્રકારના યોગથી બાંધે છે, તોપણ કષાયના અભાવના કારણે વિપાકને આપનારું થતું નથી તેમજ બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું નથી. –આવા બે સમય સ્થિતિ વાળા કર્મને ઇર્યાપથ કર્માક્સવ એટલા માટે કહેલો છે કે તે કર્મ કષાયના અભાવે ફકત ઈર્યા અર્થાત ગમના ગમન પ્રવૃત્તિ દ્વારા જ બંધાય છે. કષાય રહિત આત્માને ફક્ત યોગથી જ કર્માસ્રવ થાય છે આથી તે ઇર્યાપથ કર્માક્સવ કહ્યો છે. તેમાં કર્માસ્રવ થકી જે બંધ પડે છે તે રસ બંધથી રહિત હોય છે. તેની સ્થિતિ પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં એક સમયની જ કહેલી છે. તે આ પ્રમાણે-- ઈર્યાપથ કર્માક્સવમાં પ્રથમ સમયે કર્મ બંધાય,બીજા સમયે રહે અને ત્રીજા સમયે આત્માથી વિખૂટા પડી જાય છે. કિટલાંક અહીં બે સમયની વિવક્ષા પણ કરે છે તે બંધ અને સ્થિતિ ને આશ્રીને કરાયેલું વિધાન છે. –જેમ ચીકાશ રહિત શુષ્ક ભીંત ઉપર પત્થર ફેંકવામાં આવે તો તે પત્થર ભીંત સાથે અથડાઈને નીચે પડી જાય છે તેમ ઇર્યાપથ કર્મ પણ પહેલા સમયે બંધાય, બીજો સમય અર્થાત એક સમય] રહીને તુરતજ આત્માથી વિખુટા પડી જાય છે. ‘पढमं समए बध्धपट्टा बितिए समए वेदिता ततिए समए निजिण्णा सेआले अकम्भं वावि भवति સ્વોપજ્ઞ ભાગમાં સમય સ્થિતે કહ્યું છે જયારે સિધ્ધસેનીય ટીકાકાર જનાર પૂર્વક fસમયાવસ્થાન ઇવ વૈતવ્ય: કહે છે. જયારે હારિભદ્દીય ટીકામાં તો સ્મિન સમયે મધ્યસ્થિતિ: એમ સ્પષ્ટ લખ્યું છે સારાંશ એટલોજ કે ત્રણ સમય જૂદી જૂદી અપેક્ષાએ કહેવાય છે. સ્થિતિની અપેક્ષાએ મધ્યમ સમયને આશ્રીને એક સમયની સ્થિતિ સમજવી જોઈએ જો બંધ અને સ્થિતિને લક્ષમાં લેવામાં આવે તો બે સમય થશે અને બંધ-સ્થિતિ તથા નિર્જરાની દૃષ્ટિએ ત્રણ સમય થશે. છતાં જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં ઉમાસ્વાતિજી મહારાજા“જ”કાર પૂર્વક પવા સમયસ્થિતિ: કહ્યું છે ત્યારે એક સમયની વિવક્ષાને મહત્વ આપવું જોઈએ. –આ રીતે આસ્રવ ના જે બે ભેદ જોયા તેનો સારાંશ એટલો જ છે કે મન-વચન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy