SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ વાય:- સૂત્રમાં અષાય અને કષાય બે શબ્દો મુકેલા છે. બંનેમાં ષય શબ્દ સામાન્યવાચી છે માટે સર્વ પ્રથમ તેનો અર્થ જાણવો આવશ્યક છે. –S: # ભવેત્ તસ્ય નામ: પ્રાપ્તિ:: એઃિ બે વર્મહતુર્મવતુ ! --કષ એટલે કર્મ તેનો લાભ અથવા પ્રાપ્તિ તે કષાય કહે છે. જે ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર ભેદ વાળો છે અને કર્મ અથવા ભવ હેતુનું કારણ છે. -કષાય-એટલે જે આત્માને કષે અથવા દુઃખ આપે તે ક્રોધાદિ પરિણામ આત્માને દુર્ગતિમાં લઈ જવાને માટે કષે છે અર્થાત દુઃખ આપે છે, આત્માના સ્વરૂપની હિંસા કરે છે તેથી તે કષાય છે. –સંસાર વૃધ્ધિનું કારણ છે. અહીં *મ્ નો અર્થ સંસાર કર્યો છે અને તેની પ્રાપ્તિ કરાવનાર હોવાથી ઋષીય કહ્યા છે. * सकषाय:- सह कषायेण वर्तते इति सकषाय: -કષાય સહિત, કષાય સહ વર્તતો જીવતે સકષાયી. –જેનામાં ક્રોધ, માન,માયા,લોભ રૂપ કષાયોનો ઉદય વર્તતો હોય તેને કષાય સહિત કહેવામાં આવે છે. * अकषायः- अविद्यमानः कषायोऽकषायः –કષાયરહિત, કષાયવિહિન વર્તતો જીવ તેઅકષાયી – જેનામાં ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાયોનો ઉદય વર્તતો ન હોય તેને કષાયરહિત કહેવામાં આવે છે. * સાપયિ-આત્માનો(પરાભવ)અર્થાત સંપરાય કરતું કર્મતે સાથિ કહેવાય છે. સંપરાય એટલે સંસાર. જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સાંપરાયિક કર્મ. –સાંમ્પરાયિક એટલે કષાય સહિત જીવન વિતાવનાર દશમા ગુણ સ્થાનક સુધીના સાંસારિક જીવો -सम्पति अस्मिन्नात्मा इति सम्पराय:- चातुर्गतिक: संसार: समित्ययं समन्ताभावे सङ्कीर्णादिवत् परा भृशार्थे सम्परायते च स सम्परायः । प्रयोजनमस्य कर्मणः साम्परायिकम्संसार परिभ्रमणहेतुः –સંસારના કારણભૂત આમ્રવને સાંમ્પરાયિક આસ્રવ કહે છે. -કર્મોદ્વારા ચારે તરફથી સ્વરૂપનો અભિભવ થવોતે સંપરાય છે. આ સંપરાય તે માટે થતો આસ્રવ તે સામ્પરાયિક આસ્રવ છે. –સંપરાય શબ્દને સંસારનો પર્યાય વાચી પણ કહ્યો છે. જે કર્મસંસારનું પ્રયોજક છે. તે સાંમ્પરાયિક કર્મ છે. રૂપથ– ઇર્યા-અર્થાત ગમના ગમન-આદિ પ્રવૃત્તિ દ્વારા બંધાતુ જે કર્મ, તેને ઈર્યાપથ કર્મ કહેવામાં આવે છે. –ઈર્યા એટલે ગમન. ઉપલક્ષણથી કષાય રહિત મન,વચન અને કાયાની દરેક પ્રવૃત્તિ જાણવી પથ એટલે દ્વારા ““ફકત યોગ દ્વારા થતો આસ્રવ તે ઈર્યાપથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy