SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૬ સૂત્રઃ ૫ ૨૭ યોગ ચાલુ છે ત્યાં સુધી પાપામ્રવ ચાલુજ છે અને આ પાપામ્રવ દુઃખ દુર્ગતિ અને દૌભાગ્યનો દાતા છે. મોક્ષના ઇચ્છુક જીવો માટે પાપતત્વત્યાજય જ છે પણ જગતના જે કોઈ જીવસુખની ઇચ્છા રાખે છે તે સર્વને સુખ પ્રાપ્તિ ના હેતુથી પણ પાપગ્નવ છોડવો જ પડશે આ રીતે ભૌતિક સુખ કે શાશ્વત સુખ બધાંનો રાજમાર્ગ જો કોઈ હોયતો તે અશુભયોગોનો ત્યાગ કરી પાપગ્નવ ને પણ છોડવો તે જ છે. 0 0 0 0 0 (અધ્યાયઃ૬-સૂત્રઃ૫ U [1]સૂત્રહેતુઃસ્વામિભેદથી યોગના ફળ ભેદને જણાવે છે અર્થાત્ આમ્રવના બે ભેદો ને સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જણાવે છે. [2]સૂત્રઃમૂળઃ-સ%ષાયાષાયો: સાપુરાધિપયો: [3]સૂત્ર પૃથક-સાય - અષયો સાપરાયિક - રૂપથી: 0 [4] સૂત્રસાર - કષાય સહિત અને કષાય રહિત આત્માનો યોગ અનુક્રમે સાંપરાયિક કર્મ અને ઇર્યાપથ કર્મનો [બંધહેતુ-કે-આસ્રવ થાય છે]અથવા [૧-સકષાય - કષાયસહિત આત્માનો યોગ સામ્પરાયિક કર્મનો આસવ બને છે. અને ર-અકષાય-કષાયરહિત આત્માનો યોગ ઈર્યાપથ-રસરહિત કર્મનો આસ્રવ બને છે] U [5]શબ્દજ્ઞાનઃસઋષીય-કષાય સહિત અષાય-કષાય રહિત સાપૂજય-જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે પથ-રસ રહિત કર્માસ્રવ થવો તે U [6]અનુવૃત્તિ - (૧) ઋયવાડમન: વર્ષ યોn: ૩. દશ યો: (૨) સ માવ: મૂ. ૬૨ માસવ: [7]અભિનવટીકાઃ- આ પૂર્વે સૂત્રમાં કાયાદિ ત્રણ યોગને કહેલા છે. આ ત્રણે યોગો બે પ્રકારના જીવોને વિશે અલગ અલગ જણાવ્યા. સકષાય જીવને આશ્રીને ત્રણે યોગ અને અકષાય જીવોને આશ્રીને ત્રણે યોગ સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે સકષાયથી જીવને સાંપરાયિક કર્મનો આસ્રવ થાય છે. અને અકષાયી જીવને ઈર્યાપથ કર્મનો આસ્રવ થાય છે પણ સકષાય કે અકષાય જીવોને મન-વચનકાયાના યોગો યથા સંભવ સમજવા યથા સંભવનો અર્થ હવે પછી કહેવાશે કર્મોનો બંધ ચાર પ્રકારે કહેલો છે પ્રકૃત્તિ બંધ, સ્થિતિબંધ,અનુભવ બંધ અને પ્રદેશબંધ આ ચારમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ મન-વચન-કાયાના યોગ છે અને સ્થિતિબંધ તથા અનુભાગ બંધનું કારણ કષાય છે. આટલી ભૂમિકા પછી સૂત્રની વ્યાખ્યા ને વિચારીએ તો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy