SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બીજાના સદ્ગુણોને પ્રગટ કરવાતે સદ્ગુણ પ્રકાશન અથવા સદ્ગુણ ઉદ્ભાવન પ્રશ્નઃ-આત્મનિંદા અને સ્વ અસદ્ગુણો ભાવનબંનેમાં ભાવતો પોતાના દોષોને પ્રગટ કરવા તે જ છે તો બંને વચ્ચે ભેદ શો? ૧૫૨ સમાધાનઃ- સ્વનિંદા નો અર્થ પોતાની લઘુતા બતાવવાનો છે -વિદ્યમાન કે અવિધમાન પોતાના દોષોને પ્રગટ કરવા એવો અર્થ છે કેમ કે પોતાની લઘુતા જણાવવા અવિદ્યમાન દોષોને પણ દોષ રૂપ ગણાવા તેમાં ગુણ સમાયેલો છે. અને વિદ્યમાન દોષોની નિંદા તો ક૨વાની જ છે - અસદ્ગુણોદ્ભાવનનો અર્થતો પોતાનામાં વિદ્યમાન દુર્ગણો ને પ્રગટ ક૨વા એજ છે બીજી રીતે કહીએ તો -આત્મનિંદા એટલે કેવળ સ્વદોષ દર્શન એવોજ અર્થથાય --અસદ્ગુણોદ્ભાવન એટલે પોતાના દોષ કે દુર્ગણોને પ્રકાશીત કરવા. આમ બંને રીતે આત્મનિંદા અને સ્વ અસદ્ગુણ પ્રકાશન વચ્ચે ભેદ રેખા સ્પષ્ટ થઇ શકે છે આવો જ ભેદ પરગુણ પ્રશંસા અને પર સદ્ગુણ પ્રકાશન વચ્ચે સમજી લેવો [૪]સ્વ સદ્ગુણ કે પર અસદ્ગુણ આચ્છાદનઃ પોતાના છતાં/વિદ્યમાન ગુણોને ઢાંકવા. જેથી અભિમાન પણ ન જન્મે તે સ્વ સદ્ગુણ આચ્છાદન -અથવા બીજાના (અવિદ્યમાનગુણ)દોષોને ઢાંકવા તે આચ્છાદન * નીચ્ચવૃત્તિઃ- નમ્રવૃત્તિ-વિનયશીલતા પૂજય વ્યકિતઓ પ્રત્યે નમ્રવૃત્તિ ધા૨ણ ક૨વી તે ગુણી પુરુષો પરત્વે વિનય અને નમ્રતા પૂર્વક વર્તવું બધાંની સાથે નમ્રતા પૂર્વક વર્તવું અને કોઇ સાથે ઉધ્ધતાઇ ન કરવી તે નીચૈવૃત્તિ * नीचैर्वर्तनं विनयप्रवणवाक्कायचित्तता । અનુન્સેકઃ- ગર્વરહિતતા અહંકારનો અભાવ જ્ઞાન સંપત્તિ આદિમાં બીજાથી ચઢીયાતા પણું હોવાછતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે અનુન્સેક વિશિષ્ટ શ્રુત આદિની પ્રાપ્તિ છતાં ગર્વ ન કરવો उत्सेको गर्वः । श्रुतजात्यादि जनितः । अनुत्सेकः विजितगर्वता । * च च शब्दात् तद्विपर्ययश्च –સમુચ્ચયયથી અન્ય કારણોનો પણ આસ્રવ થઇ શકે છે જેમ કે T —જાતિ,કુળ,બળ,રૂપ,શ્રુત,ઐશ્વર્યાદિ ના મદનો અભાવ –બીજાનું બહુમાન સત્કાર - ધર્મિજનો પરત્વે અનુરાગ – કીર્તિ લોભ ન હોવો વડીલો નો વિનય – લોક પ્રિયતાનું અભિમાન કે અહંકાર રહિતતા -બીજાનોયશ જોઇ રાજી થવું -વડીલો નો આદર -સત્કાર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy