SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૪ -શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે તે જણાવવા માટે ના કેટલાંક તર્કોઃજોરદાર શબ્દ કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઇ જવાય છે. ૐ જેમ પત્થર આદિને પર્વતનો પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂવા વગેરેમાં પ્રતિધાત થાય છે, તેથી પડઘો પડે છે. ૐ વાયુ વડે જેમ તૃણ દૂર દૂર ઘસડાય છે તેમ શબ્દો પણ વાયુ વડે દૂર સુધી જાય છે-ફેંકાય છે. જેમ દીવાનો પ્રકાશ ચારે તરફ ફેલાય છે તેમ શબ્દો પણ ચારે તરફ ફેલાય છે ૐ મોટા શબ્દથી નાના શબ્દનો અભિભવ થાય છે પરિણામે દૂરથી મોટો અવાજ કાને અથડાતો હોય ત્યારે નજીકના શબ્દો સંભળાતા નથી. ૐ શબ્દના પુદ્ગલ સ્કન્ધોનો સંસ્કાર કરી ટેપ કે ગ્રામોફોન આદિમાં રેકોર્ડ કરી શકાય છે અને પછી ફરીથી તે શબ્દો સંભળાય છે. આવા-આવા તર્કો પરથી શબ્દ પુદ્ગલની પ્રતિતિ થાય છે -શબ્દની ઉત્પત્તિઃ- શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે છે. (૧)વિસસાથીઃ- એટલે કે સ્વાભાવિક રૂપે શબ્દો ઉત્પન્ન થવા. જેમ કે વરસાદનો ગર્જા૨વ,વીજળી નો ગળગળાટ આદિ સ્વાભાવિક અવાજો છે. (૨)પ્રયોગ થી:- જીવના પ્રયત્ન વિશેષ થી જે શબ્દ ઉત્પન્ન થાય છે તે. આ પ્રાયોગિક શબ્દના છ ભેદો ભાષ્યકાર મહર્ષિએ જણાવેલા છે (૧)તત - મૃવન પટહાવિસમુદ્ભવ: -હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો તે તત ચામડું લપેટેલું હોય એવા વાઘનો એટલે કે મૃદાઁ પટહઆદિના શબ્દો (૨) વિતત - વનિરાવિતન્ત્રપ્રમન: —તારની સહાય થી ઉત્પન્ન થતા વીણા વગેરે તંતુવાદ્ય ના શબ્દો —તારવાળાં વીણા સારંગી આદિ વાદ્યોના શબ્દો તે વિતત ( 3 ) धन : कांस्यभाजनकाष्ठशलाकादिजनितः –કાંસી વગેરે વાજિંત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દો – ઝાલર,ઘંટ,મંજીરા વગેરેના શબ્દો તે ઘન (४) शुषिर : - वेणुकम्बुवंशविवराद्युद्भवः —પવન પૂરવાથી વાંસળી,પાવો વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો ફૂંકીને વગાડવાના શંખ,બંસરી આદિના શબ્દો તે શુષિર –વાયુના નિમિત્તથી વાગવાવાળા શબ્દોને શુષિર કહે છે. (५) घर्ष: क्रकचकाष्ठादिसंघर्षप्रसूतः – લાકડાં વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ ઘર્ષણ થવાથી ઉત્પન્ન થયેલ શબ્દ ૯૭ એ ૫/૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy