SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * जीवितः- जीवितोपग्रहच पुद्गलानामुपकारः જીવિતમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ જીવિત એટલે શું? આયુષ્ય કર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાન નું ચાલું રહેવું એ જીવિત છે. #વિધિ પૂર્વકસ્નાન,આચ્છાદન, વિલેપન તથા ભોજનાદિવડે આયુષ્યનું અનાવર્તન તે જીવિત [નું કારણ છે] # આયુષ્ય કર્મના પુદ્ગલોના સંબંધ સુધી એક શરીરમાં જીવ ટકી રહે તે જીવન # ભવસ્થિતિમાં કારણ એવાઆયુષ્ય કર્મના ઉદયથી પ્રાણનું ટકી રહેવું એ જીવન છે. આ જીવન આયુષ્ય કર્મ, ભોજન, શ્વાસોચ્છવાસ આદિ અભ્યતર અને બાહ્ય કારણોથી ચાલે છે. આકારણો પૌદ્ગલિક હોવાથી જીવન એ પુલોનું કાર્ય(કે ઉપકાર)કહ્યો છે. * “मरण:- मरणोपग्रहो पुद्गलानामुपकार: મરણમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. $ આયુષ્ય કર્મ પૂર્ણ થવાથી દેહધારી જીવના પ્રાણાપાન નો ઉચ્છેદ થવો એ જમરણ છે. # વિષ,શસ્ત્ર,અગ્નિ વગેરે વડે આયુષ્યનું અપવર્તન તે મરણ નુિં કારણ છે] ૪ આયુષ્ય કર્મ પૂરૂ થાય અને શ્વાસોચ્છવાસની ગતિ રોકાઈ જાય તે મરણ. - प्राणादि उपरमो मरणं (तस्य निमित्तता पुद्गलानामुपकारः) # મરણ એટલે વર્તમાન જીવનનો અંત, આયુષ્ય કર્મનો ક્ષય, વિષભક્ષણ આદિ અત્યંતર-બાહ્ય પુગલની સહાયતાથી થાય છે. માટે તે પુદ્ગલોનો ઉપકાર કે કાર્ય કહ્યું છે. * ૩પપ્રહ-૩પપ્રદ શબ્દ ની અનુવૃત્તિ ચાલુ હોવા છતાં અહીં પુનઃઉપગ્રહ શબ્દનું ગ્રહણ કર્યુ છે તે વિશિષ્ટ અર્થની સિધ્ધિ માટે છે. સુખાદીપોતે પુદ્ગલ રૂપ નથી પણ તે પુદ્ગલ . જન્ય છે. માટે ઉપગ્રહ શબ્દનું ગ્રહણ ઉચિત જ છે. - अत्र पुनरात्मनः सुखाद्याकारेण परिणममानस्योपग्रहे वर्तन्ते पुद्गलाः । – ઉપગ્રહ શબ્દ થી એમ સૂચવે છે કે સુખ દુઃખાદિ રૂપે આત્મા પણ પરિણામો પામે છે. – દિગમ્બરીય ટીકામાં જણાવે છે કે ઉપગ્રહનું પુનઃગ્રહણ પુગલના સ્વ-ઉપકારને જણાવે છે જેમ કે કાંસાના વાસણને ભસ્મ થી સાફ કરતા વાસણ ઉજળું બની જાય છે. અહીં પુદ્ગલનો પુદ્ગલ ઉપર અર્થાત્ સ્વ-ઉપકાર છે. જ વ - વ શબ્દ પુ નામુપર: શબ્દ ની પૂર્વ સૂત્રમાંથી અનુવૃત્તિ લેવાનું સૂચવે છે. * સંકલિત અર્થ- સુખમાં નિમિત્ત થવું દુઃખમાં નિમિત્ત થવું, જીવનમાં નિમિત્ત થવું અને મરણમાં નિમિત્ત થવું એ બધો પુદ્ગલ દ્રવ્યનો ઉપકારઅર્થાત્ કાર્ય છે. – આ રીતે ઉપર જણાવ્યા મુજબ કર્માનુસારે જે-જે જીવને જે-જે પ્રકારનો પુદ્ગલ દ્રવ્ય પરિણામનો યોગ પ્રાપ્ત થાય છે તે મુજબ તેને જીવને તે થકી સુખ દુઃખનો પરિણામ થાય છે જયાં સુધી જે આયુષ્ય કર્મનોવિપાકોદય જે ગતિમાં જે શરીર દ્વારા જે-જે જીવ ભોગવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy