SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા #ાય શબ્દ સાથે જોડેલ છે વળી ફકત અગવતત્વની વિચારણામાં નવતત્વકારના મતે તો કાળનો પણ સમાવેશ થઈ જાય. જયારે અનીવાય શબ્દમાં કાળનો સમાવેશ થતો નથી અને ફકત ય શબ્દને લક્ષમાં લે તો નીવતત્ત્વ નો સમાવેશ થઈ જતા ગોવાતિય પણ લેવું પડે તેથી અહીં નીવર્ય શબ્દમાં ધર્મઅધર્મ-આકાશ-પુદગલ એ ચારભેદોને જ લક્ષમાં લીધા છે માટે જ મળીવાય શબ્દ ને પ્રયોજેલ છે. પતિ:એટલે પ્રદેશ સૂત્રકારે સૂત્રમાં મસ્તિ શબ્દપ્રયોજેલ નથી પણ સ્વોપલ્લભાષ્યમાં ધર્માતિય વગેરેમાં મધ્યમા પ્તિ શબ્દ ગોઠવેલ છે. ગ્રન્થાન્તરમાં પણ પ્તિ શબ્દ જોવા મળે જ છે. જો કે ત શબ્દ અસ્તિત્વઅર્થ પણ ધરાવે છે, કેમકે આ ધર્માદિદ્રવ્યો સ છે. શાશ્વત રૂપે વિદ્યમાન છે પરંતુ હારિભદ્રીય ટીકામાં વસ્તય: પ્રવેશ: (તિ) એવી સ્પષ્ટ વ્યાખયા છે. :- સમૂહ - ય: સંધાત: સમૂહો વી વ્યુત્પત્તિ દ્રષ્ટિએ તો ય નો અર્થ શરીર થાય છે. તે અર્થનું અહીં આરોપણ કરાયુ છે. જે રીતે શરીર એ પુદ્ગલ દ્રવ્યનો પ્રચય (અર્થાત્ સમૂહ) રૂપ છે તે જ રીતે ધર્મ-અધર્મ-વગેરે દ્રવ્યો પ્રદેશ સમુહોની અપેક્ષાએ શરીર સમાન હોવાથી કહેવાય છે. આ યનો અર્થ સમૂહ હોવાથી તે પ્રદેશ બહુત્વને જણાવે છે એટલે કે ઘણા પ્રદેશોનો સમૂહ હોવાથી તેને ય કહે છે. જ અસ્તિ - પૂર્વે કહ્યું તેમ ગતિ એટલે પ્રદેશ, મય એટલે સમૂહ એ રીતેધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચારે-પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે. તેથી જ સૂત્રકારમહર્ષિસ્વોપજ્ઞ ભાષ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને પુગાલસિકાય એ રીતે અજીવકાયના ચાર ભેદોને જણાવે છે ધર્મ આદિ ચારને તય કહેવાનો હેતુ એ જ છે કે તે તત્વો માત્ર એક પ્રદેશ રૂપ કે એક અવયવ રૂપ નથી પણ તે ચારે પ્રચય અર્થાત સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ તો પ્રદેશ (પ્રચય) સમૂહ રૂપ છે જયારે પુગલ અવયવરૂપ તથા અવયવ સમુહ રૂપ છે. છે અહીં ર્તિાય નું ગ્રહણ પ્રદેશરૂપ અવયવના બહુત્વને જણાવવાને અર્થાત ઘણા બધાં પ્રદેશોનો સમૂહ ધર્માદિ ચારમાં રહેલો છે તેવા અર્થને પ્રગટ કરવા તેમ જ “કાળ”ના સમયમાં પ્રદેશ પણું નથી તે જણાવવાને માટે થયું છે અર્થાત ધર્મ, અધર્મ આકાશ, પુલ અને “જીવ” પણ એ પાંચના ઘણા બધા બધા પ્રદેશો હોવાથી તેમને અસ્તિકાય કહેલા છે. જ અહીં જે પ્રવેશ શબ્દનો ઉલ્લેખ કર્યો તે પ્રદેશ શું છે? –પ્રદેશ શબ્દ સમજવા માટે ન્ય,દેશપ્રશ ત્રણેને ક્રમશઃ સમજવા પડશે. –વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એત્રણેના સ્કન્દ,દેશ પ્રદેશ ઉપરાંત પરમાણુનામે ચાર ભેદ છે. તેથી અહીં પ્રવેશ શબ્દની સાથે શ્વ,દેશ,પરમાણુ બધા ભેદ સમજવા આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy