SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧ અધ્યાયઃ૫-સૂત્રઃ૧ [1]સૂત્રહેતુઃ-આ અધ્યાયનાપ્રથમ સૂત્રથકી સૂત્રકાર અજીવના ભેદો જણાવે છે. ] [2]સૂત્ર:મૂળ:-અનીવાયા ધર્માંધ ધારાપુત્ત્તા: [3]સૂત્રપૃથક- અનીવ - ાયા ધર્મ - અધર્મ - આાશ - પુર્વ્યાા: [4]સૂત્રસારઃ- ધર્મ-અધર્મ-આકાશ-પુદગલ એ ચાર અજીવ-કાયો છે. [] [5]શબ્દજ્ઞાનઃધર્મ:-ધર્મ,ધર્માસ્તિકાય અધર્મ-અધર્મ,અધર્માસ્તિકાય આજ-આકાશ, આકાશાસ્તિકાય પુર્વી-પુદ્ગલ, પુદ્ગલાસ્તિકાય અનીવાય--અજીવકાયો, :- અશૈવ-અજીવ નામક બીજું તત્વ :-જય-પ્રદેશ કે અવયવોનો સમુહ. [] [6]અનુવૃત્તિઃ- પહેલું સૂત્ર છે માટે પૂર્વસૂત્રની અનુવૃત્તિ નથી. [] [7]અભિનવટીકાઃ- ધર્મ-અધર્મ આકાશ અને પુદ્ગલ એ ચાર ને માટે સૂત્રકાર અજીવકાય શબ્દ પ્રયોજે છે અર્થાત્ તેની અજીવકાય સંજ્ઞા કહી છે. વ્યવહારમાં ફકત અનીવ શબ્દ સાંભળવા મળે છે અથવા આ દરેકની દ્રવ્ય કે અસ્તિકાય રૂપે ઓળખ અપાય છે તેથી સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે આ સૂત્રના ભાષ્યની રચના કરતા એ પ્રમાણે જ કહ્યું છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ [ચાર] અજીવકાય છે. એ ચારે અસ્તિકાયો ના લક્ષણ સૂત્રકાર સ્વયં સૂત્રો થકી આગળ કહેશે. અનીવ:- સૂત્રકારે અગીવ શબ્દનો પ્રયોગ ન કરતા ગનીવાય શબ્દ પ્રયોજેલ છે તે સહેતુક છે. પણ સર્વ પ્રથમ અનૌવ શબ્દની સંકલ્પના જાણવી જરૂરી છે. સામાન્ય તયા પ્રથમ લક્ષણ કે સ્વરૂપ જણાવીને પછી ભેદોનું કથન કરવું તે નિરૂપણ પધ્ધતિ છે છતાં સૂત્રકારે અહીં સીધાંજ ભેદો જણાવેલા છે કેમ કે અનીવ તત્વનું લક્ષણ નીવતત્ત્વ ના લક્ષણને આધારે જાણી શકાય તેમ છે. માટે તેના અલગ કથનની આવશ્યકતા નથી. -અ-નીવ જે જીવ નથી તે અજીવ છે -ઉપયોગ એ જીવનું લક્ષણ છે તેથી ઉપયોગ ન હોવો તે અજીવનું લક્ષણ છે. અર્થાત્ ઞીવ તત્વ એટલે ઉપયોગનો અભાવ. -અજ્ઞીવ એ અભાવાત્મક શબ્દ નથી પણ તે જીવનું વિરોધી એવું ભાવાત્મક તત્વ છે. - ચૈતન્ય શકિતનો અભાવ તે અજીવ -ધર્માદિક દ્રવ્યમાં જીવનું લક્ષણ જોવા નથી મળતું, તેથી અનૌવ એ તેમની સામાન્ય સંજ્ઞા છે અને ધર્મ,અધર્મ, આકાશ અને પુદ્ગલ એ તેમની વિશેષ સંજ્ઞા છે. *અનીવ-વાય અહીં અનીવ સાથે જે ાય શબ્દ જોડેલ છે તેનો વિશેષ ખુલાસો અસ્તિાય શબ્દમાં કર્યો છે છતાં તેનો સામાન્ય અર્થ એટલો જ છે કેઃ ધર્માદિક ચારના પ્રદેશોના બહુત્વને એટલે કે ધર્માદિકમાં રહેલા ઘણા પ્રદેશ ને જણાવવા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy