SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૭ - સામાન્ય વ્યવહારમાં તે સ્થિતિ સહાયક દ્રવ્યરૂપે ઓળખાવાય છે -[જીવ અને પુદ્ગલની સ્થિતિમાં નિમિત્ત થવાનું કાર્ય કરતું દ્રવ્ય તે અધર્મ દ્રવ્ય. * વ ર્મયો- કર્તનિર્દેશ પદ છે. અર્થાત આ પદ ઉપકાર ક્રિયાના કર્તા રૂપે છે. જ ૩૫ - ઉપકાર એટલે કાર્ય. -ઉપકાર-ગુણ-પ્રયોજન અને કાર્ય એ બધા સમાનાર્થી-પર્યાયવાચી શબ્દો છે. છતાં ઉપકાર અને કાર્ય બે શબ્દોનો પ્રયોગ ટીકામાં વિશેષ જોવા મળે છે. -તદુપરાંત ઉપકાર શબ્દ સહાયક કે આવશ્કતા અર્થમાં પણ જોવા મળે છે. -આપણે આ અભિનવટીકામાં ૩પપ્રદ શબ્દ નિમિત્ત અર્થમાં અને ૩૫૫ શબ્દ કાર્યઅથ માં પ્રયોજેલ છે. જેથી સળંગસૂત્રતા જળવાશે અને અર્થઘટન સમજવું સહેલું પડે. ઉપકાર શબ્દ સંબંધે એક ખુલાસો પણ સમજવા જેવો છે કે વ્યવહારમાં પ્રયોજાતો આ શબ્દ ઉપકાર દ્વારા “ભલુકરવું' જેવો અર્થ પ્રતિપાદીત કરે છે તેવો અર્થ અહીં સમજવાનો નથી, કેમ કે ગતિ અને સ્થિતિમાં ધર્મ-અધર્મનો ઉપકાર છે એમ કહીશું ત્યારે તો ઉપકારનો પારિભાષિક કે વ્યવહારુબંને અર્થો સરખા લાગશે પણ જયારે સૂત્રમાં સુખ દુઃખ કે જીવિતમરણ એ પુદ્ગલોનો ઉપકાર છે એમ કહીશું ત્યારે મરણમાં પુદ્ગલનો ઉપકાર છે. એવો અર્થ બેસશે નહીં. વ્યવહારમાં કોઈને કહીએ કે આ ભાઈના મરણમાં તમારો ઘણો ઉપકાર છે ભલુ કર્યુતમે કે આગયો તો તે કેવું વિચિત્ર લાગે? તેને બદલે ઉપકારનો પારિભાષિક અર્થ “કાર્ય” લઈએ- તો “મરણમાં નિમિત્ત થવું તેપુદ્ગલનું કાર્ય છે' એમ સ્પષ્ટ સમજી શકાશે અર્થાત મરણ એ પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર નથી પણ તેનું એક કાર્ય છે. જે તે ભવના આયુષ્યકર્મના પુદ્ગલો હોય ત્યાં સુધી તે જીવે અને પછી મરણ પામે છે. જ ૩૫-એકવચનમાં મુક્યું? જોકેતિ ૩VAR: અને સ્થિતિ ૩૫%8: એરીતે ઉપકાર બે છે. પણ સમાન્ય વાચી પદ તરીકે ઉલ્લેખ કર્યો હોવાથી ૩પર: એકવચનમાં મુકેલ છે. * સંકલિત અર્થ –ગતિ સહાયરૂપ નિમિત્ત એ ધર્માસ્તિકાયનું કાર્ય પ્રયોજન છે. -સ્થિતિ સહાયરૂપ નિમિત્ત એ અધર્માસ્તિકાયનું કાર્ય[પ્રયોજન છે. -ધર્માસ્તિકાય દ્રવ્યનું લક્ષણ જણાવે છે - આદ્રવ્ય જે સમગ્ર લોકાકાશમાં એક અખંડ સ્વરૂપે, અસંખ્યાત પ્રદેશ સ્વરૂપે વ્યાપ્ત છે. તે જયાં જયાં જે-જે જીવ કે પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવી હોય તેને ગતિ કરવામાં સહાયતા કરવાનું કાર્ય કરે છે. ઘર્માસ્તિકાય દ્રવ્યની સહાય વિના જીવ કે પુદ્ગલ ગતિ કરી શકે નહીં –અધર્માસ્તિકાય દ્વ્યનું લક્ષણ જણાવે છે - આ દ્રવ્ય સમગ્ર લોકાકાશમાં એક અખંડ સ્વરૂપે, અસંખ્યાત પ્રદેશ સ્વરૂપે વ્યાપ્ત છે. તે જયા-જયાં જે જે જીવ કે પુગલ દ્રવ્યને સ્થિર અ. પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy