SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ so તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંકલિત વિશિષ્ટાર્થઃ- જે રીતે તદ્દન ખુલ્લી જગ્યામાં રખાયેલો દીવાનો પ્રકાશ તે ખુલ્લી જગ્યાના અમુક પરિમાણમાં વ્યાપ્ત-ફેલાયેલો રહે છે. -તે જ દીવાને એક કોટડીમાં રાખવામાં આવેતો એનો પ્રકાશ કોટડીના પરિમાણ જેટલો મર્યાદિત બની જાય છે. -પછી એ જ દીવાને એક પેટીમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ સંકોચાઇને તે પેટીના કદ જેટલાં આકાશ ક્ષેત્રમાં ફેલાશે. -હવે આ દીવાને કદાચ માટીના કુંડા નીચે રાખી દઈએ તો તે ફકત કુંડાના ભાગને પ્રકાશીત કરશે અને કદાચ લોટાની નીચે રાખશો તો તેના પ્રકાશ પ્રદેશો લોટા જેટલા ક્ષેત્રની અવગાહના કરશે $ જો કે આ બધી વખતે તેના પ્રકાશ આપવાના મૂળભૂત ધર્મમાં લેશમાત્ર ફેરફાર થશે નહીં. આ રીતે જીવદ્રવ્ય પણ દીવાની માફક સંકોચ કે વિકાસશીલ હોય છે. -પરિણામે તે જયારે જયારે નાના અથવા મોટા શરીરને ધારણ કરે છે. ત્યારે ત્યારે તે શરીરના પરિમાણ મુજબ તે જીવ દ્રવ્યોના પ્રદેશોના પરિમાણમાં પણ સંકોચ અને વિકાસ થાય છે. છે આ રીતે જીવ કે પુદ્ગલ નો જે સંકોચ કે વિસ્તાર થાય છે તેનું કારણ તે-તે દ્રવ્યો નો સ્વભા જ છે. -આમ જે રીતે દીવાના તેજના અવયવો પોતાને પ્રાપ્ત થતા અવકાશને અનુસરે છે. એટલે કે સ્વલ્પ અવકાશ હોય તો તે સંકોચને ધારણ કરે છે અને મોટો અવકાશ પ્રાપ્ત થતા વિકાસને પામે છે. તે જ રીતે આત્માજીવ પણ સંકોચને પ્રાપ્ત કરે ત્યારે લોકના અસંખ્યાત એવા એક ભાગમાં પણ અવગાહ કરે છે અને તે જ જીવ ઉત્કૃષ્ટ વિકાસને પ્રાપ્ત કરે ત્યારે કેવળી અવસ્થામાં સમુદ્યત સમયે સર્વલોકમાં પણ અવગાહન કરે છે. જયારે બાકીના જીવો કે તે જ જીવ બાકીની અવસ્થામાં મધ્યમ અવસ્થાન ના કોઈ ભેદને પ્રાપ્ત કરે છે. જ સંકોચ-વિસ્તારનું ફળ - જીવપ્રદેશનો સંકોચ અને વિસ્તાર થવાથી નાના અથવા મોટા ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીર સ્કંધ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ પ્રદેશ સમુદાયને વ્યાપ્ત કરે છે. અહીં જીવનો એક અવગાહ છે ત્યાં બીજા દ્રવ્યોનો પણ અવગાહ છે તેમાં કોઈ વિરોધ કે ભેદ નથી તેમ સમજવું.અમૂર્ત દ્રવ્યો એકબીજામાં વ્યાઘાત રહિત પ્રવેશી જ શકે છે તે વાત તો પૂર્વે પણ કહેવાઈ છે. દીવાના દૂષ્ટાન્ત સંબંધિ સ્પષ્ટીકરણઃ- દૃષ્ટાન્ત ને એક દેશીય કહ્યું છે. અર્થાત દ્રષ્ટાન્તરૂપ પદાર્થના બધા ગુણ દૃષ્ટાન્તમાં ઘટાવી ન શકાય જે ગુણને આશ્રીને સંબંધ જોડેલ હોય તે જ ગુણની વિચારણા કરવી -જેમ પ્રસ્તુત દૃષ્ટાન્તમાં દીવાની ઉપમા સંકોચ-વિસ્તારને આશ્રી ને છે. પણ દીવો સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરતો નથી. તે ગુણ ને આશ્રીને એવો અર્થ ન ઘટાવાય કે જીવ દ્રવ્ય પણ સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી શકતું નથી. -અથવા જે રીતે દીવો અનિત્ય છે તે રીતે જીવ પણ અનિત્ય છે તેવું વિચારવું કે માનવું નહીં કેમ કે દૃષ્ટાન્ન અને દાન્તમાં સર્વથા સમાનતા હોતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy