SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વધારામાં રોકાવાદ ની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર થી લઈને જોડવાની છે જેથી ધર્મામયો: [ $ને ] ઢોસેડ4+I: એ પ્રમાણે વાકય તૈયાર થશે. વને-સપૂર્વે – સંપૂર્ણ –શબ્દથી ધર્મ-અધર્મ દ્રવ્યની સમગ્ર લોકાકાશમાં વ્યાપ્તિ સમજવી –$– શબ્દ નિરવશેષ અર્થાત સંપૂર્ણ વ્યાપ્તિનું સૂચક છે. – – શબ્દના “સમસ્ત વ્યાપી” અર્થને સમજાવવા સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે પુરુષના શરીરમાં રહેલ સ્ક્રય ની માફક નહીં પણ દુધમાં જેમ પાણી સમાય કે શરીરમાં આત્મા જે રીતે વ્યાપીને રહે છે તેમ ધર્મ-અધર્મદ્રવ્ય લોકાકાશમાં વ્યાપીને રહ્યા છે. એવો અર્થ સમસ્ત કે સંપૂર્ણ વ્યાપ્તિ શબ્દ થી સમજવો જ સંકલિત વિશેષાર્થ- વિભિન્ન મંતવ્ય આધારીત મુદ્દા રૂપે રજૂ કરેલ છે -૧-ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય બંને સંપુર્ણલોકને વ્યાપીને રહેલા છે. -૨-સમરલોકાકાશનો એવો એક પણ પ્રદેશ નથી કે જયાં ધર્મ કે અધર્મદ્રવ્ય રહેલું ન હોય. -૩- આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ એ ત્રણેના પ્રદેશો સંપૂર્ણ તથા સમાન સંખ્યક છે. -૪- લોકમાં આ બંને દ્રવ્યો દુધમાં પાણી ની જેમ સંપૂર્ણ વ્યાપ્ત હોવાથી જેટલા પ્રદેશો ધર્માસ્તિકાયના છે તેટલાજ પ્રદેશો અધર્માસ્તિકાયના છે અને તેટલા જ પ્રદેશો લોકાકાશના છે. - - - ધર્મ અને અધર્મ એ બન્ને અસ્તિકાયો અખંડ સ્કંધરૂપ છે તેમજ સંપૂર્ણ લોકાકાશ માં સ્થિર છે. --વસ્તુતઃ અખંડ એવા આકાશ દ્રવ્ય ના જે બે ભાગની કલ્પના બુધ્ધિ થી કરવામાં આવે છે. તે ધર્મ-અધર્મદ્રવ્યના સંબંધ થી છે. એથી જેટલા ભાગમાં આ દ્રવ્ય વ્યાપ્ત છે તેટલો ભાગજ લોકાકાશ છે બાકીનો અલોકાકાશ કહેવાય છે. -૭-સમગ્રલોકમાં ધર્મ-અધર્મદ્રવ્યની વ્યાપ્તિનો અર્થ કરતા હારિભદ્દીયટીકામાં સુંદર વાકય કહ્યું છે-“મનાસ્ટિીન: પરસ્પરગ્નેપરિણીત માd: I '' -૮-ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય બને અરૂપી દ્રવ્યોછેજે સમગ્ર લોકાકાશમાં લોકાકાશના પ્રતિ પ્રદેશે એક મેક થઈને અલગ અલગ પોતપોતાના ભાવે રહેલા છે. -૯- જેવી રીતે આત્મા શરીરમાં વ્યાપ્ત છે એ જ રીતે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં અનાદિ કાળથી વ્યાપ્ત થઈને રહેલા છે. લોકનો એવો કોઈ પ્રદેશ નથી કે જયાં આ બેમાંથી એકે દ્રવ્ય રહેલું ન હોય -૧૦-જોકે આબધાંદ્રવ્યોઅકસ્થાને રહેલા છેતોપણ અવગાહનાશકિતના નિમિત્તથી તેમના પ્રદેશ પરસ્પર પ્રવિષ્ટ થઈને વ્યાઘાત પામતા નથી. પણ વ્યાઘાત રહિત સ્થિત રહે છે. 1 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ મા IIક્ષત્યિur નીવવા ય નીવ વ્યાખ ય માયણમૂU एगेण वि से पुन्ने दोहिवि पुन्ने सोपि माएज्जा । .... अवगाहणा लक्खणेणं आगासत्थिकाए * પ્રા. શ. ૧૩-૩. ૪-. ૪૮૨-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy