SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૧૨ ૪૫ –લોકાકાશનો અન્ય દ્રવ્યને જગ્યા આપવાનો સ્વભાવ છે, તેથી ત્યાં ધર્માદિચાર દ્રવ્યો ની સ્થિતિ અથવા સ્થાન હોય છે પ્રશ્નઃ- આકાશ ને ધર્માદિ ચાર દ્રવ્યોનો આધાર કેમ કહ્યો? -સમાધાનઃ-આકાશ આચારે દ્રવ્યો કરતા મહાનું છે. તેનામાં અવગાહ આપવાનો ગુણ રહ્યો છે? જુઓ સૂત્ર પ૨૮ ગાશીવાદ:] # લોકાકાશ માં રહેલ દ્રવ્યોની વિશેષતાઃ-સામાન્ય રીતે બધાં દ્રવ્યો અનાદિ કાલ થી લોકાકાશમાં રહેલા છે જેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે વ્યો નિત્યવ્યાપી છે. તેથી તેની સ્થિતિ રહેવાપણું સંપૂર્ણ લોકમાં નિત્ય છે. તદવસ્થ છે. -પુદ્ગલ અને જીવ બંને દ્રવ્યો સક્રિય અને ગતિશીલ છે તેથી તેની સ્થિતિ લોકાકાશમાં એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રમાં પણ થાય છે અને લોકાકાશમાં તેનો અવગાહ કયારેક એક સ્થાને અને કયારેક બીજા સ્થાને પણ હોઇ શકે છે. કેમકે આ બંનેદ્રવ્યો ધર્મ અને અધર્મદ્રવ્યની માફક નિત્ય સ્થાયી કહ્યા નથી. -પુદ્ગલ અને જીવ બંને દ્રવ્યોમાં ગતિ અને સ્થિતિ બંને ક્રિયા હોવાથી તે ધર્મ-અધર્મ દ્રવ્ય આધારીત લોકમાં જ રહી શકે છે. અલોકમાં રહી શકતા નથી કે જઈ શકતા પણ નથી. કારણ કે જીવ અને પુદ્ગલ ને ગતિ સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે અને સ્થિતિ સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાય છે. # અલોકાકાશ સંબંધિસ્પષ્ટતાઃ-અલોકાકાશ એ પણ આકાશજ છે. આકાશ હોવાથી તેનો અવગાહ નો ગુણ પણ છે, એટલે અલોકાકાશ પણ જગ્યા આપવાના સ્વભાવવાળું છે છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યોની હાજરી ન હોવાથી જીવો કે પુગલો ત્યાં ગતિ કે સ્થિતિ કરી શકતા નથી, અર્થાત ત્યાં રહી શકતા નથી અને ગમન પણ કરી શકતા નથી. – આગામી સૂત્ર ૧:૨૮ માશાવાદ: સૂત્રાનુસાર સમગ્ર આકાશમાં જગ્યા કે આધાર આપવાની શકિત રહેલી છે. છતાં સમગ્ર આકાશમાં કોઈનો અવગાહ હોતો નથી. અવગાહ ફકત લોકાકાશ માં છે. અલોકાકાશ માં નથી. $ આકાશ નો આધાર શો? - જો ધર્માદિ ચાર દ્રવ્યો લોકાકાશ માં રહેતા હોય તો લોકાકાશ અથવા સમગ્ર આકાશ દ્રવ્ય કોને આધારે રહે છે? -આકાશ દ્રવ્યનો કોઈ આધાર નથી કેમ કે તે સ્વપ્રતિષ્ઠિત જ છે. -આકાશ થી મોટા પરિમાણ વાળું અથવા એની બરાબર પરિમાણ વાળું બીજું કોઈ તત્વ નથી. તેથી વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બંને રીતે આકાશ સ્વપ્રતિષ્ઠિત જ છે. # પ્રશ્નઃ- જે રીતે આકાશ દ્રવ્યનો બીજો કોઈ આધાર નથી તે રીતે ધર્માદિક દ્રવ્યોનો પણ બીજો આધાર હોવો જોઇએ નહીં અથવા ધર્માદિ દ્રવ્યોની માફક આકાશદવ્યનો પણ કોઈ આધાર હોવો જોઈએ -૧ ઉપર જણાવ્યા મુજબ આકાશ થી મોટા પરિમાણ વાળું કોઈ દ્રવ્ય જ નથી કે જે આકાશનો આધાર થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy