SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૯ સમય :- સમય એટલે કાળનો અંતિમ અવિભાજય સૂક્ષ્મ અંશ - જેમ પુદ્ગલ કે જેના બે વિભાગ ન થઈ શકે તેવા અવિભાજય અંતિમ અંશ ને પ્રદેશ કે પરમાણુ કહેવાય છે. તેમ કાળનો અવિભાજય અંતિમ અંશ ને પ્રદેશ કે પરમાણુ કહેવાય છે. તેમ કાળનો અવિભાજય એવો અંતિમ સૂક્ષ્મ અંશ છે તેને સમય કહેવામાં આવે છે. – તેના વિશે સ્પષ્ટીકરણ કરતા લોકપ્રકાશ ગ્રન્થમાં કહ્યું છે કે આંખના એક પલકારામાં અસંખ્યાત સમય પસાર થઇ જાય છે. સર્ગઃ૨૮ શ્લોક ૨૦૩ – ““અત્યન્ત સૂક્ષ્મ હોવાથી યોગી પણ જે કાળનો વિભાગ કરી શકે નહીં તેને સિધ્ધાંતમાં સમય કહેલો છે “કોઈ યુવાન અને બળવાન પુરુષ એક જીર્ણ વસ્ત્ર જોરથી ફાડે તે વખતે તેના સડેલા એક તંતુને તૂટતાં જેટલો કાળ લાગે, તેટલા કાળનો જેઅસંખ્યાતમો ભાગ હોય, તે સમય કહેવાય છે. એમ તત્વ વેદીઓએ સિધ્ધાંતમાં કહ્યું છે. – કારણ કે તે એક સડેલા તંતુમાં ઘણા સૂક્ષ્મ ભાગ હોય છે જેને પલ્મો કહેવાય છે. અને દરેક પલ્મ એક ક્ષણમાં છેદાય એવા અસંખ્ય સંઘાતો [પરમાણુના સ્કંધો હોય છે તે સંઘાતોને અનુક્રમે છેદતાં જૂદા જૂદા સમયો લાગે છે. તેથી એક તંતુ છેદતાં અસંખ્યાત સમયો જાય છે. –એજ પ્રમાણે કમળનાસો ઉપરાઉપરમુક્લા પત્રોને ભાલા વડેપૂરા જોરથી વીંધતા, આંખનું મટકું મારતા કે ચપટી વગાડતાં અસંખ્ય સમય લાગે છે એમબુધ્ધિમાન માણસોએ જાણવું – આવા એક સમયનું સ્વરૂપ અરિહંતો જાણે છે, તો પણ તેઓ તે સમય અત્યંત સૂક્ષ્મ હોવાથી વ્યકિતગત એક-એક સમય બીજાઓને બતાવી શકતા નથી. લોકપ્રકાશ સર્ગ. ૨૮ શ્લો.૨૦૩ થી ૨૦૯ જ ના સમયે આપણે જે સમય ની વ્યાખ્યા જોઈ તેની પૂર્વે સૂત્રકાર મહર્ષિ એ અનન્ત એવું વિશેષણ મુકયું છે તે સમયના પ્રમાણને જણાવે છે. – કેમ કે કાળના ત્રણે ભેદ છે. (૧)વર્તમાન (૨)ભૂત ૩)ભવિષ્ય. તેમાં વર્તમાન કાળ એક સમયનો છે. જયારે ભૂત અને ભવિષ્યકાળ બંને અનંત સમયના છે. અહીં ભૂત અને ભવિષ્યકાળને આશ્રયી કાળને કાળને અનંત સમય પ્રમાણ કહ્યો છે. - ભૂતકાળ અનાદિ સાંત છે અને ભવિષ્યકાળ સાદિ અનંત છે. જો કે બંનેમાં અનન્તત્વ રહેલું છે તો પણ અલ્પબદુત્વની અપેક્ષાએ બંનેમાં મોટું અંતર છે. કહેવાય છે કે અભવ્યોથી અનંતા સિધ્ધો છે. સિધ્ધો થી અસંખ્યાત ગુણ ભૂતકાલીન સમયો છે. ભૂતકાળના સમયોથી અનંતગુણ ભવ્ય જીવો છે. ભવ્ય જીવોથી અનન્તગુણ ભવિષ્યકાળના સમયો છે. આ ગણીત મુજબ ભૂતકાળના અનંતા કરતા ભવિષ્યકાળનું અનંતુ વધારે મોટું છે. તો પણ સમગ્ર કાળની ગણનાતો અનંત સંખ્યામાં જ થવાની છે. માટે સૂત્રકાર મહર્ષિ કાળને અનંત સમય કહે છે. જ વિશેષ:- કાળને સમજવા માટે પ્રસ્થાન્તરમાં તેના બે ભેદો કહ્યા છે (૧)વ્યવહાર કાળ (૨)નિશ્ચય કાળ 3 વ્યવહાર કાળઃ-સમય,આવલિ, મુહૂર્ત,દિવસ,પક્ષ, માસ,વર્ષ,પલ્યોલમ,સાગરોમપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy