SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૭ ૧૫૩ –જેમગુણ અને પર્યાયવ્યથી અભિન્ન છે. છતાં પણ જયારે અહીંવત્ શબ્દ કથંચિતભેદનો દર્શક છે. જેમકે “સોનાની વીંટી'માંસોનું અનેવીંટીઅભિન્ન છે છતાંતમાંકથંચિતભેદપણુંસમજી શકાય છે. કાણાવાળોથાંભલો' ત્યાં પણ કાણુ કંઈ થાંભલાથી જૂદુનથી છતાં પણ કાણુ અને થાંભલા વચ્ચે કંઈક અંશેભેદ નિર્દેશ તો સમજી શકાય તેવો જ છે. ઉદાહરણ રૂપે કહીએતો જયારેકાણા નોજ નિર્દેશ કરવામાં આવે ત્યારે થાંભલામાં રહેલું કાણું અભિન્ન હોવા છતાં અંગુલિનિર્દેશ કાણા તરફ જ થવાનો તેમ પુદ્ગલમાં પણ વર્ણાદિચારે અભિન્ન હોવા છતાં લીલી કેરી એવો શબ્દ બોલતા કેરીના લીલા વર્ણ તરફ અંગુલિ નીર્દેશ થવાનો જ છે. * गुणपर्यायवत्: गुण पर्याय अस्य सन्ति अस्मिन् वा सन्ति इति गुण पर्यायवत् । પદ્યન્તઅર્થ-ગુણ અને પર્યાય જેના હોય તેને ગુણ પર્યાયવ-દવ્ય સમજવું જાઇએ. ૪ સપ્ટેમ્યા અર્થ-ગુણ અને પર્યાયજેમાં હોય તેને ગુણ પર્યાયવદવ્ય સમજવું જોઈએ અહીં ષષ્ઠી કે સપ્તમી નિર્દેશ થી એવું ન સમજવું કે ગુણ અને પર્યાય એ દ્રવ્યથી કોઈ ભિન્ન વસ્તુ છે. કેમ કે જેમ સોનાની વીંટી કહીએ છીએ તો તેમાં સોનું અને વીંટી અભિન્ન જ છે.લાકડામાં કાણું એમ કહીએ ત્યારે લાકડું અને તેમાં રહેલું કાણું એબેમાં ભેદ પાડી શકાતો નથી. ફકત કથંચિત ભેદનો નિર્દેશ કરવા જ આ રીતે વ્યાખ્યા કરાઈ છે. જ દુવ્ય-જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. –આપણે ગુણ અને પર્યાય બંનેની વિસ્તૃત વ્યાખ્યા જોઇઆ ગુણ અને પર્યાય અર્થાત ધ્રૌવ્ય અને ઉત્પાદ-વિનાશશીલ ધર્મોથી યુકત હોય તે દ્રવ્ય જ વિશેષઃ# દ્રવ્યમાં રહેલો ગુણો બે પ્રકારના છે. (૧)સાધારણ (૨)અસાધારણ. જે ગુણો અમુક જ દ્રવ્યમાં હોય અને અન્યમાં ન હોય, તે ગુણો જેદ્રવ્યના હોય તે-તે દ્રવ્યના અસાધારણ ગુણો કહેવાય. જેમકેચેતના એઆત્માનોઅસાધારણ ગુણ છે. કેજે બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી વર્ણાદિ ચતુષ્ક એ પુદ્ગલનો આસાધારણ ગુણ છે તે બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. -જે ગુણો અનેક દ્રવ્યોમાં હોય તે સાધારણ ગુણો કહેવાય જેમ કે અસ્તિત્વ જોયત્વ વગેરે આ ગુણો સર્વ દ્રવ્યમાં રહે છે. દૂવ્ય ગુણ પર્યાયના રાસના આધારે વિશેષ ગુણોનું વર્ગીકરણ | દુવ્ય આત્મા | પુદ્ગલ | ધર્મ | અધર્મ | આકાશ કાળ-[2] જ્ઞાન ગતિeતુતા સ્થિતિeતુતા અવકાશદાન વર્તના દર્શન ગંધ ષ | સુખ રસ વીર્ય સ્પર્શ ણ ! ચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અમૂર્તત્વ મૂર્તત્વ અમૂર્તત્વ અમૂર્તત્વ અમૂર્તત્વ અમૂર્તત્વ પર્યાયના ભેદોઃપર્યાયના બે ભેદ કહ્યા છે. (૧)વ્યંજન પર્યાય (૨)અર્થપર્યાય વર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy