SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. આ રીતે (૧)સમાન ગુણવાળા સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બંધ ન થાય (૨)સમાન ગુણવાળા રૂક્ષ નો રૂક્ષ સાથે બંધ ન થાય (૩)સમાન ગુણવાળા સ્નિગ્ધનો રૂક્ષ સાથે બંધ થઈ શકે (૪)સમાન ગુણવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો અન્યોન્ય કે એકમેક સાથે બંધ થઈ શકે છે. જ પુ:- પૂર્વસૂત્ર ૩૩માં આ શબ્દ કહેવાઈ ગયો છે. –ગુણ એટલે સ્નિગ્ધતામાં રહેલા સ્નિગ્ધતાના અંશો અને –ગુણ એટલે રૂક્ષતામાં રહેલા રૂક્ષતાના અંશો. * સામે સમનતાનો ભાવ જ ગુણસાગ:- સ્નિગ્ધ કે રૂક્ષત્વના શકિતના અંશમાં રહેલી સમાનતા – ગુણ સામ્ય એટલે ગુણની તરતમતાનો અભાવ – જેમ ૧૦હજારની મૂડીવાળી જેટલી વ્યકિતઓ હોય તેટલીબધી વ્યકિતઓમાં મૂડીની સંખ્યાની દ્રષ્ટિએ સમાનતા કહેવાય છે. તેમ સરખા ગુણવાળા બધાં પુદ્ગલોમાં ગુણની દ્રષ્ટિએ સમનતા છે. – જેમ કે જેટલા પુદ્ગલોમાં એક ગુણ[સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શ હોય તે બધાં પુદ્ગલોમાં ગુણ સામ્ય છે. અર્થાત્ સ્પર્શના ગુણ એટલે કે એક અંશની દ્રષ્ટિએ બધાં સમાન છે. – જે પુદ્ગલોમાં દ્વિગુણ સ્પર્શ હોય તે બધાં પણ પરસ્પર સમાન છે -પરંતુ એક ગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુદ્ગલમાં પરસ્પર ગુણ સામ્યતાનો અભાવ છે પછીતે બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય કે રૂક્ષ સ્પર્શ હોય પણ ગુણસંખ્યા બદલાય એટલે ગુણની સામ્યતા કહેવાય નહી. - ગુણસામ્ય એટલે તુલ્ય ભાગ -તુલ્ય શકિત-અંશોને જણાવવા કે જ્ઞાન કરાવવા માટે જ અહીં સૂત્રકારે પદમુકેલું છે. જ સદ્દશાનામ:- શ તેના જેવા એક સરખી જાતિના સશ અર્થાત તુલ્યજાતિય. તુલ્યજાતિવાળાનું જ્ઞાન કરાવવા માટે જ અહીં સૂત્રકારે સદશ પદનું ગ્રહણ કરેલ છે. -સ્નિગ્ધ ગુણ માટે સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલો સદંશ[સમાન]કહેવાય છે. -રૂક્ષ ગુણ માટે રૂક્ષ ગુણવાળા પુદ્ગલો સર્દશ [સમાન કહેવાય છે. -પણ સ્નિગ્ધગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ રૂક્ષગુણવાળોપુદ્ગલસર્દશન કહેવાય. - જેમ કે – એક ગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુગલ-બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય તો તે બંનેમાં ગુણની સામ્યતા નથી પણ તે બંને સર્દશ તો કહેવાય છે કેમ કે બંનેની જાતિ તુલ્ય છે. એજ રીતે એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રૂક્ષ પુદ્ગલ હોય તો તે બંનેમાં ગુણની સમાનતા છે પણ સર્દશતા નથી કેમ કે બંને પુદ્ગલોની જાતિમાં ભિન્નતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy