SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિચારતાં મગજમાં બેસાડવી અસંભવ લાગશે વસ્તુની સ્થિરાસ્થિરતા ઘટાવવી કઈ રીતે? જે સ્થિર છે તે અસ્થિર કેવી રીતે? અને અસ્થિર છે તે સ્થિર કેવી રીતે? એક જ વસ્તુમાં સ્થિરત્વ-અસ્થિરત્વ બંને અંશો એ તો શીત અને ઉષ્ણની માફક પરસ્પર વિરુધ્ધ છે. એકજ સમયમાં ઘટીનશકે. તો પછી શું સત્ ની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક એવી વ્યાખ્યા પણ વિરુધ્ધ જેવી નથી લાગતી શું? આ વિરોધનો પરિહાર કરવા માટે જ જૈન દર્શન સંમત નિત્યત્વનું સ્વરૂપ બતાવવું એ જ આ સૂત્રનો ઉદ્દેશ છે આ સૂત્ર થકી પાંચે દ્રવ્યો ની નિત્યતા કઈ રીતે છે? એવું કયું લક્ષણ છે કે પાંચે દ્રવ્યોને પણ નિત્ય સિધ્ધ કરે અને ઉત્પાદ વ્યય થ્રવ્યાત્મક સૂત્રની અવિરુધ્ધતા પણ સાબિત કરે. તતદ્ શબ્દનો અર્થ છે-“તે પણ અહીં તત્ શબ્દથકીપૂર્વસૂત્રની અનવૃત્તિ લેવાની છે. –તાવ એટલે કોનો ભાવ? સત્ નો ભાવ. આ સત્ શબ્દપૂર્વસૂત્રમાંથી આસૂત્રમાં ખેંચવા માટે જ તદ્ નો પ્રયોગ કર્યો છે. જ ભાવ-ભાવ શબ્દનો અર્થ એ રીતે જણાવેલ છે. (૧) ભાવ એટલે પરિણમન (૨) ભાવ એટલે નિજ સ્વ-રૂપ જ મવ્યયં-ગ-વ્યયઅવિનાશી પણું ય: એટલે મનમ, વિરુદ્ધો વિરુધ્ધો એટલે વ્યય:,વ્યો તિ અવ્યય: એટલે કે તદ્માવ. સત્ પણાના પરિણમન કે દ્રવ્યના નિજ સ્વરૂપથી વિરુધ્ધાગમનનો નિષેધ. -વ્યયએટલે ચલિત થવું . એટલે નહીં-સતપણાથી અચલિત જ નિત્યમ-બુપત્તિની દ્રષ્ટિએ જોઈએતોને ધૃત્ય એ પ્રમાણે સિધ્ધહેમ શબ્દાનુશાસનનું ૬/૩/૧૭મું સૂત્ર છે. જેનો અર્થ છે નિ ઘાતુને ધ્રુવ અર્થમાં ત્ય{ પ્રત્યય લાગે છે. અપ્રયોગીત હોવાથી નિત્ય શબ્દ બને છે. જેનો અર્થ જ ધ્રુવ શાશ્વત કેસ્થિર થાય છે. જ સંકલિત અર્થ-પૂર્વે સૂત્રસારમાં જણાવેલ હોવા છતાં અભિનવટીકાની ભૂમિકા રૂપે સૂત્રનો સંકલિત અર્થ ફરી થી રજૂ કરેલ છે. (૧)જે પોતાની જાતિથી (સ્વ-ભાવથી)ય્યત ન થાય તે નિત્ય (૨)સત નું પોતાના ભાવથી શ્રુત ન થવું તે નિત્ય # નિત્યતાનો પ્રથમ અર્થ- જો જૈન દર્શન બીજાં કેટલાંક દર્શનોની માફક વસ્તુનું સ્વરૂપ એવું માને કે “વસ્તુ કોઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જસદા એક રૂપમાં સ્થિર રહેતો એ કૂટનિત્યમાં અનિત્યત્વનો સંભવ હોતો નથી પણ તેમ માનવાથી વસ્તુમાં સ્થિરત્વ-અસ્થિરતનો વિરોધ આવશે. જયારે પૂર્વ સૂત્રમાં આપણે ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય થકી વસ્તુની સ્થિરાસ્થિરતા સિધ્ધ કરી છે. હવે જો જૈન દર્શન એમ જણાવી દે કે વસ્તુ માત્રને ક્ષણિક માનવી અર્થાત પ્રત્યેક વસ્તુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy