SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વાકારો તો તે એકાન્ત સ્થિર દ્રવ્ય થશે. જે મત સ્વીકારી શકાય નહીં કેમ કે દ્રવ્યમાં ત્રણે અવસ્થા હોવાની જ. ઘટાવવાની શકિત કે સમજવાની શકિતમાંફેર હોઈ શકે પણ ઉક્ત પાંચે દ્રવ્યોમાં ઉત્પાદાદિ ત્રણ અવસ્થાતો હોવાની જ. કોઈપણ દ્રવ્યમાં દ્રવ્ય પણ હશે તે સાથે પૂર્વે સૂત્રોમાં જણાવી ગયા મુજબ ગતિ-સ્થિતિઅવગાહઆદિ ગુણો પણ ધર્માદિદ્રવ્યોમાં યથાક્રમે હોવાનાજ અને દ્રવ્ય છે માટે ઉત્પાદ અને વ્યય રૂપ પર્યાયો પણ હોવાનાજ. આ શાશ્વત નિયમને સ્વીકારીને અમે ઉપર પાંચ દ્રવ્યોની ઉત્પાદાદિ સ્થિતિની વ્યાખ્યા કરેલી છે. જ વિવિધ દર્શનકારો ને અને સત્ ની વ્યાખ્યા - (૧) વેદાન્ત-પનિષદ શાંકરમત-બ્રહ્મને) સંપૂર્ણ સત પદાર્થને-કેવળ ધ્રુવ અર્થાત નિત્ય માને છે. –સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ માને છે. ચેતન કેજડ સર્વ વસ્તુઓ બ્રહ્મના જ અંશો છે. જેમ એક ચિત્રમાં જુદા જુદા રંગો અને જુદી જુદી આકૃતિઓ હોય છે. પણ તે સર્વે એકજ ચિત્રના વિભાગો છે. ચિત્રથી જૂદા નથી. તેમ આ સંપૂર્ણ જગતબ્રહ્મસ્વરૂપ છે. અને ફકત ધ્રુવ જ માને છે. (૨)બૌધ્ધદર્શનનો મતઃ -સતપદાર્થને નિરન્વયવણિક[માત્ર ઉત્પાદવિનાશશીલ માને છે. -ચેતન કેજડ વસ્તુ માત્ર ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામનારી અર્થાત ક્ષણિક છે.આથી તેમના મતે સતનું લક્ષણ ક્ષણિકતા છે. યત્ સત્ તત્ ક્ષણમ્ જે જે સત્ છે તે સર્વેક્ષણિક છે. (૩)સાંખ્ય અને યોગ દર્શન- ચેતનતત્વ રૂપ સતને કેવળ ધ્રુવ [કુટસ્થ નિત્ય અને પ્રકૃત્તિ તત્વરૂપ સત્ ને પરિણામી નિત્ય નિત્યાનિત્ય] માને છે. –આદર્શન જગતને પુરુષતથા પ્રકૃત્તિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા, પ્રકૃત્તિના સંયોગોથી પુરુષનો સંસાર છે. દૃશ્યમાન જડ વસ્તુ પરંપરાએ) પ્રકૃત્તિનું પરિણામ છે. આ દર્શનના મતે પુરુષ ધ્રુવ છે અને પ્રકૃત્તિ પરિણામી નિત્યાનિત્ય છે. (૪)ન્યાય અને વૈશેષિક દર્શન - અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ કાળ આત્મા આદિ કેટલાંક સત્ તત્વોને કૂટસ્થ નિત્ય અને ઘડો,વસ્ત્ર આદિ કેટલાંક સત્ તત્વોને માત્ર ઉત્પાદ વ્યયશીલ અનિત્ય] માને છે. (૫)જૈન દર્શનઃ દરેક વસ્તુમાં બે અંશો છે (૧) વ્યાંશ (૨)પર્યાયાંશ - તેમાં વ્યરૂપ અંશ સ્થિર-ધ્રુવ હોય છે. –અને પર્યાયરૂપ અંશ અસ્થિર-ઉત્પાદ વ્યયશીલ હોય છે. – આથી દરેક સત્ વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય યુકત હોય છે આ રીતે જૈનદર્શન જણાવે છે કે - જે સત-વસ્તુ છે તે (૧)ફકત પૂર્ણ રૂપે ફૂટસ્થ નિત્ય અથવા ફકત નિરવ વિનાશી નથી (૨)તેનો અમુક ભાગ તૂટસ્થ નિત્ય અને અમુક ભાગપરિણામી નિત્ય પણ નહોઈ શકે (૩)અથવા કોઈ ભાગ ફકત નિત્ય અને કોઈ ભાગ તો માત્ર અનિત્ય હોય તેવું પણ હોઈ શકે નહીં જૈન દર્શનના મતે-ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત,સૂક્ષ્મ અથવાસ્થૂળબધી સત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy