________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૨૯
૧૧૯ -૩-પુદ્ગલદ્રવ્યઃ
કોઈ પુદ્ગલમાં નીલવર્ણ છે જેમકે કાચી કેરી લીલી હોય છે તે પાકી થાય ત્યારે પીતપીળા વર્ણને ધારણ કરે છે. અહીં નીલ વર્ણરૂપ પર્યાય બદલાતા નીલવર્ણના પરમાણુનો વ્યય થાય છે અને પીત વર્ણ રૂપ પર્યાયની ઉત્પતિ થાય છે. અર્થાત પીળા વર્ણના પરમાણુનો ઉત્પાદ થશે.જયારે મૂળ પુલ-જેમકે ઉકત દ્રષ્ટાંતમાં કેરી,-તેના પુલત્વ રૂપે સ્થિર છે.
અહીં કેરીમાં ભલે વનસ્પતિકાયનો જીવ હોય પણ તેનું શરીર તો પુદ્ગલ જ છે આ પુદ્ગલમાં વર્ણ અપેક્ષાએ પર્યાય બદલાય છે. પણ પુદ્ગલ પોતે કંઈ પુગલ મટીને જીવતા ધારણ કરતું નથી માટે પુદ્ગલ દ્રવ્યરૂપે સ્થિર છે.
-૪-ધર્માસ્તિકાય -દ્રવ્ય -
ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિમાન જીવ અને પુદ્ગલના નિમિત્તે કોઈ કોઈ પ્રદેશે ગતિ સહાયત્વ રૂપે ધર્મદ્રવ્યની ઉત્પતિ થાય છે. જયારે જીવ અને પુદ્ગલો બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. ત્યારે પૂર્વના તે સ્થળ અને તે પદાર્થને અંગે ગતિ સહાયત્વરૂપે એ ધર્મદ્રવ્ય વ્યય પામે છે. નિાશ થાય છે આ બંને સ્થિતિમાં દ્રવ્ય સ્વરૂપેતો ધર્મદ્રવ્ય ધ્રુવ-સ્થિર જ છે ફક્ત તે દ્રવ્ય અને પ્રદેશ પૂરતો તેનો ગતિ સહાય પર્યાય ઉત્પન્ન થાય છે. અને વ્યય થાય છે.
– ૫ અધમસ્તિકાય-દૂવ્ય -
અધર્માસ્તિકાય-દ્રવ્યમાં સ્થિતિમાન જીવ અને પુદ્ગલના નિમિત્તે કોઈ કોઈ પ્રદેશ સ્થિતિ સહાયત્વરૂપે અધર્મદ્રવ્યની ઉત્પતિ થાય છે. પણ જયારે સ્થિત પદગલ કે જીવ દ્રવ્ય ખસીને બીજા પ્રદેશમાં સ્થિત થાય છે ત્યારે પૂર્વેના સ્થિતિપણાનો વ્યય થાય છે. અનેનવાસ્થળે તે પુદગલ કે તે જીવને માટે સ્થિતિ સહાયત્વ રૂપે અધર્મદ્રવ્યની ઉત્પતિ થાય છે. બાકી મૂળભૂત દવ્ય સ્વરૂપે તો અધર્મદ્રવ્ય સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત એવું સ્થિર દ્રવ્ય જ છે. જે બદલાય છે તે તો તેની સ્થિતિ પ્રદાન અવસ્થા છે.
- આકાશસ્તિકાય-દ્રવ્યઃ
આકાશસ્તિકાય-દ્રવ્યમાં અવગાહી જીવાદિને અવગાહઆપવાનો ગુણ છે. અવગાહી એવા જીવ કે પુદ્ગલ જયારે જે પ્રદેશ અવગાહ પ્રાપ્ત કરે છે. ત્યારે અવગાહ આપવાના ગુણવાળું આકાશ દ્રવ્ય ના અવગાહ પ્રદાનત્વરૂપ પર્યાયની ત્યાં ઉત્પતિ થાય છે અને જયારે જીવ કે પુદ્ગલ તે પ્રદેશથી ખસીને બીજા કોઈ પ્રદેશે જઇને રહે છે ત્યારે પૂર્વના આકાશ પ્રદેશે જે તે જીવને પુદ્ગલ પુરતો ઉત્પન્ન થયેલ અવગાહ પ્રદાનત્વ રૂપ પર્યાયનો વ્યય(નાશ) થાય છે અને નવા આકાશ પ્રદેશે જે-તે જીવ કે પુદ્ગલ માટે અવગાહ પ્રદાનત્વ રૂપ પર્યાયની ઉત્પત્તિ થાય છે પણ સમગ્ર લોકાકાશમાં જે અવગાહ આપવાના ગુણ વાળું આકાશ દ્રવ્ય છે તે તો ઘુવ અર્થાત સ્થિર જ રહે છે. ફકત અવગાહપ્રદાનત ના પર્યાયો જે તે જીવ કે પુદ્ગલ દવ્ય પૂરતાં બદલાય છે.
પંચાસ્તિકાય કેઘમદિદ્રવ્યો સંબંધે સ્પષ્ટીકરણઃ- સમગ્ર વિશ્વ પંચાસ્તિકાય કે ઘમાદિ દવ્યમય છે. જયારે દ્રવ્ય છે ત્યારે તેમાં ગુણ પણ હોવાને અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ જ સત છે તેસિધ્ધાંત સ્વીકાર્યા પછી પ્રત્યેક વ્ય-દ્રવ્ય રૂપે સ્થિર હોવા છતાં તેના પર્યાયોમાં ઉત્પાદ અને વ્યય થવાના જ છે. હવે જો ઘર્મ-અધર્મ કે આકાશમાં પર્યાયોની ઉત્પત્તિ અને વ્યયને નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org