SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૬ ૧૦૭ D [10]નિષ્કર્ષ-આસૂત્રમાં મુખ્ય વાતતો પુગલના બે ભેદોની છે જેમાં એક ભેદ પરમાણુ અને બીજો ભેદ સ્કન્ધ કહેલો છે. પરમાણુ કારણ રૂપ છે અને સ્કન્ધ કાર્ય રૂપ છે. આટલી વિગત ઉપરથી નિષ્કર્ષ સંબંધિ વિચારણા કરવાની છે. પરમાણુ સૂક્ષ્મ છે. માટે નજરે જોઈ શકાતો નથી, જયારે સ્કન્ધમાં સૂક્ષ્મ અને સ્થળ બંને પરિણામો હોવાથી સ્થૂળ પરિણામી સ્કન્ધ નજરે જોઈ શકાય છે. અર્થાત જેટલું જોઈ શકાય છે તેતો બધું પુદ્ગલ રૂપ જ છે. આ સમગ્ર સંસારમાં દૃશ્યમાન તમામ વસ્તુ એ પુદ્ગલોનો જ વિકાર છે. પરમાણુ એ પણ ભેદતો પગલનો જ છે છતાં તે અતિ સૂક્ષ્મ હોવાથી આપણે માટે તો અમૂર્તવત બની જાય છે. ફકત કેવલી ભગવંતોજ તેને જોઈ શકે છે. જેમ કેવળી ને પ્રત્યક્ષ પણ આપણે અપ્રત્યક્ષ એવી પરમાણુની વાત આપણે આગમ કે અનુમાન પ્રમાણથી અને પૂર્ણ શ્રધ્ધા વડે કરીને સ્વીકારીએ છીએ તે જ રીતે દર્શનાદિ ગુણ અને જીવની કર્મ પુદ્ગલમુકત અવસ્થાને પણ સ્વીકારવી જોઈએ. આ સમગ્ર અભ્યાસમાં જીવાદિ સાત તત્વોની જ ચર્ચા છે. જેમાંના આ બીજા અજીવ તત્વને પણ જાણવાનું શામાટે છે? તો શ્રધ્ધાથી સ્વીકારવા માટે. જો શ્રધ્ધા તત્વનો છેદ ઉડાડી દઇએ તો આ જ્ઞાન પણ અજ્ઞાન બની જશે. એટલે આગમ પ્રમાણથી આ બધા તત્વો સ્વીકારી અંતિમ તત્વની સાધના કરવી જોઇએ S S S (અધ્યાયઃ૫-સૂત્રઃ૨૬) U [1]સૂત્રહેતુ-સ્કન્વરૂપ પુદ્ગલની ઉત્પત્તિના કારણોને જણાવવાના હેતુથી આ સૂત્ર બનાવેલ છે. [2સૂત્રમૂળઃ- “સદ્ધાતમેષ ૩૫દાને 0 [3]સૂત્ર પૃથક-સાત્ - બેચ. ડાઘને [4]સૂત્રસાર-સંઘાતથી,ભેદથી [અને] સંઘાત-ભેદબનેશી [સ્કન્ધlઉત્પન્ન થાય છે. U [5]શબ્દજ્ઞાનસાત- જોડાવું, ભેગાં થવું કેન્દ્ર - છૂટા પડવું ૩Fધો - ઉત્પન્ન થાય છે. [ત્ + પધાતુ છે] U [6]અનુવૃત્તિ-ગણવ: ૫:ર૫ થી ઋગ્વાષ્પ [7]અભિનવટીકા-પરમાણુ અને અન્ય બંને પુદ્ગલ રૂપે સમાન છે છતાં ઉત્પત્તિની દૃષ્ટિએ તેમાં ભેદ છે. તેથી સૂત્રકાર આ સૂત્ર થકીસ્કન્દની ઉત્પત્તિના કારણને જણાવે છે. જો કે પૂર્વસૂત્રમાં પહેલા અણુ છે અને પછીના ક્રમે સ્કન્ધ છે છતાં સ્કન્ધમાં વિશેષ કથન હોવાથી તેની ઉત્પત્તિને પહેલાં જણાવી છે. આ સ્કન્ધ અવયવી દ્રવ્ય ની ઉત્પત્તિ (૧)કોઇસ્કંધ સંઘાત એકત્વ પરિણતિ થી *દિગમ્બર આખ્યામાં ખેસ તેગડાઘને એ રીતે સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy