SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૫ ૧૦૩ પડશે ઉછીના લીધેલા પૌદ્ગલિક પ્રકાશના સહારે કયાં સુધી અંધકારને દૂર કરી શકાશે? વળી સ્થૂલત્વ કે સૂક્ષ્મત્વના પૌદગલિક પણાને જાણ્યા પછી જીવે અગુરુ લઘુ ગુણની પણ ભજના કરવી પડશે. ત્યારે જ આત્મા પરમ-આત્મા બનીને મોક્ષને પામનારો થશે. n અધ્યાયઃ૫-સૂત્રઃ૨૫ [] [1]સૂત્રહેતુઃ- પુદ્ગલના બે મુખ્ય ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ-ઞળવ: ન્યાન્વ [] [3]સૂત્રઃપૃથ-ઞળવ: ન્યા: च [] [4]સૂત્રસારઃ-[પુદ્ગલો]પરમાણુરૂપ અને સ્કન્ધરૂપ છે [અથવા પુદ્ગલના પરમાણુ અને સ્કન્ધ એમ બે મુખ્ય ભેદો છે.] ] [5]શબ્દશાનઃ અળવ: પરમાણુ,પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો છૂટો અંશ. સ્વન્મ:- સ્કન્દ,પરસ્પર જોડાયેલા બે વગેરે પરમાણુઓનો જથ્થો [] [6]અનુવૃત્તિ:- સ્પર્શસ જન્ય સૂત્ર. ૧:૨૩ પુl: [][7]અભિનવટીકાઃ-પુદ્ગલની જાતિયતાને લીધે નિરવય અનેસાવયવ એવા બે ભેદ જોવા મળે છે. પૂર્વ સૂત્રમાં કહેલ સ્પર્શાદ અને શબ્દાદિ પરિણતિ વાળા પુદ્ગલોના આ કારણથી જ સંક્ષેપમાં બે ભેદ જણાવવાને માટે પ્રસ્તુતસૂત્રની રચના કરાયેલી છે. વ્યકિતરૂપે પુદ્ગલ દ્રવ્ય અનંત છે. અને તેની વિવિધતા અપરિમિત છે તથાપિ હવે પછીના બે સૂત્રોમાં પૌદ્ગલિક પરિણામની ઉત્પત્તિના ભિન્ન ભિન્ન કારણ બતાવવાને માટે આ સૂત્રમાં તદુપયોગી પરમાણુ અને સ્કન્ધ એ બંને પ્રકાર સંક્ષેપમાં બતાવેલ છે. સંપૂર્ણ પુદ્ગલરાશિ આ બે ભેદોમાં સમાવિષ્ટ થઇ જાય છે એક અણુ અને બીજો સ્કન્ધ. * અળવ:- અળવ (તિ) પરમાળવ: એવું સ્પષ્ટ કથન હારિભદ્રીય ટીકામાં કરીને એટલે પરમાણુ એવો અર્થજ સમજવો તેમ જણાવે છે. અણુ આ પરમાણુનો અર્થ સ્પષ્ટ કરવા સ્વોપજ્ઞભાષ્યમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજા એ કાં મૈં કહીને સુંદર સાક્ષી પાઠ આપેલો છે. कारणमेव तदन्त्य, सूक्ष्मो नित्यश्व भवति परमाणुः एकरसगन्धवर्णो, द्वि स्पर्शः कार्यलिङ्गञ्च અર્થાત્[દરેક સ્કન્ધોનું] છેલ્લામાં છેલ્લું કારણ,સૂક્ષ્મ,નિત્ય,એક વર્ણ-એક ગન્ધ-એક રસ અને બે સ્પર્શ વાળો [તેમજ]કાર્યથી જ ઓળખી શકાય તેવો પરમાણુ છે. જરમેવઃ- વસ્તુ ના બે વિભાગો હોઇ શકે છે (૧)કારણ રૂપે અને (૨)કાર્યરૂપે --કારણઃ- રોતિ કૃતિ દ્મરણમ્ જેના હોવાથી કોઇકાર્યની ઉત્પત્તિ થાય અને ન હોવાથી ઉત્પત્તિ ન થાય તેને કારણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy