SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૪ ૧૦૧ (૧)તડ્વર્ણ પરિણત છાયા-તેને વર્ણાદિ વિકાર પરિણામરૂપ છાયા કહે છે. અરિસ વગેરે સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખનો વર્ણ આકાર આદિ જેવા હોય તેવાજ દેખાય છે. (૨)આકૃતિ રૂપ - જેને પ્રતિબિંબ કે પડછાયો પણ કહે છે. -અસ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પુલોને માત્ર આકૃતિ પ્રમાણે થતો પરિણામ વિશેષ, જેને પડછાયો કહે છે તે વ્યવહારમાં આપણે તડ્વર્ણ પરિણામને પ્રતિબિંબ કહીએ છીએ અને આકૃતિ રૂપને છાયા કે પડછાયો કહીએ છીએ. ફર્ક એટલો જ કે પ્રતિબિંબ સ્પષ્ટ હોય છે. અને છાયા અસ્પષ્ટ હોય છે $ ૯- સાતપ:- સૂર્ય આદિના ઉષ્ણ પ્રકાશને આતપ કહેવાય છે. –આતપ એ અગ્નિની જેમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ જ છે. # ૧૦-૩ોત:-ચંદ્ર ચંદ્રકાન્તમણી,રત્નો વગેરેના અનુષ્ણ કે શીત પ્રકાશને આતપ કહેવામાં આવે છે. -આ રીતે આતપ અને ઉદ્યોત બંને પ્રકાશ સ્વરૂપ છે શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આતપ છે અને અનુષ્ય પ્રકાશ તે ઉદ્યોત છે. જ વાઃ- વત: માં મૂળ (મgોમતપ્રત્યયછેવ્યાકરણના નિયમાનુસારવત થઈને પ્રથમ બહુવચનમાં વન્ત: થયું છે આ પ્રત્યય બધાં શબ્દો સાથે જોડવાનો છે. જેમ કે શબ્દવા વગેરે ૨ - શબ્દ પૂર્વ સૂત્રમાંથી પુત્ર ની અનુવૃત્તિ કરવા માટે મુકાયેલો છે. જ પ્રશ્ન-૧ શબ્દનું જ્ઞાનકાન વડે થાય છે. શ્રોત્ર ઇન્દ્રિયરહિત પ્રાણીઓ શબ્દ સાંભળી શકતા નથી. તો પછી ખેતરમાં તીડ આવે છે તેઢોલના અવાજ થી કેમ ઉડી જાય છે? તોડતો ચઉરિન્દ્રિય હોવાથી કર્ણ રહિત છે. -સમાધાન - તીડો ઢોલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દો કે જે પુદ્ગલ રૂપ છે. તે ચારે તરફ ફેલાય છે. આ ફેલાયેલા શબ્દોની અસર તીડ ઉપર પ્રહાર કેવી થાય છે, તે સહન ન થતા તીડો ઉડી જાય છે. આવી રીતે અનુકૂળ અસરનું પણ દ્રષ્ટાંત જોવા મળે છે. જેમકે સંગીતની અસરથી અમુક વૃક્ષો જલ્દી વિકસે છે. ગાયો દૂધ વધુ આપે છે વગેરે જ પ્રશ્ન-૨ જે સૂર્યનો પ્રકાશ અહીં પૃથ્વીને તથા પૃથ્વી ઉપરની વસ્તુ ને ગરમબનાવી દે છે તે વિમાનમાં દેવો કઈરીતે રહેતા હશે? -સમાઘાન - સૂર્ય વિમાનને સ્પર્શ તો શીત જ હોય છે. અગ્નિ ની માફક ઉષ્ણ હોતો નથી. તેના આતપ નામ કર્મને લીધે તે પૃથ્વી ઉપર ઉષ્ણ લાગે છે. * પ્રશ્ન-૩ સ્પશદિ પણ પુદ્ગલ પર્યાયો છે અને શબ્દાદિ પણ પુદ્ગલ પર્યાયો છે. છતાં સૂત્રકારે સૂત્રઃ૨૩ અને સૂત્રઃ ૨૪ અલગ કેમ બનાવ્યા છે? તે બે ને સ્થાને એક સૂત્ર કેમ ન બનાવ્યું? – સમાધાન-સ્પર્શઆદિ પર્યાયો પરમાણુ અને સ્કન્ધ બંનેમાં હોય છે જયારે શબ્દ,બંધ આદિ પર્યાયો ફકત સ્કન્ધમાં હોય છે. જો કે સૂક્ષ્મત્વ એ પરમાણુ તથા સ્કન્ધ બંનેનો પર્યાય છે છતાં તેની ગણના સ્પર્શાદિ સાથે ન કરતા શબ્દાદિ સાથે કરેલ છે. તેનું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy