SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ S૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વળી અહીં સૂત્રકારે તો બે પદોજ મુકયા છે, પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેતા અહીં જયોતિષ્ક દેવોનો અધિકાર સ્પષ્ટ થાય છે તેમજ મેકસિ સૂત્રધારે અહીં વદિઃ શબ્દથી નૃત્ વહિં સમજવું તે આ રીતે વાદઃ નૃત્ય : :- અહીં સૂત્રકારે જે વદમ્ શબ્દ પ્રયોજેલ છે તે પૂર્વસૂત્રના અનુસંધાન માં સમજવાનો છે. પૂર્વ સૂત્રમાં નું જે કહ્યું છે તેથી મનુષ્યલોકમાં એમ અર્થ સ્પષ્ટ છે. આ સૂત્રના વદર શબ્દથી મનુષ્યલોકની બહાર એવો અર્થ થશે -માનુષોત્તર પર્વત થી પછીના દ્વીપ સમુદ્રમાં રહેલા જયોતિષ્ક દેવોને આશ્રીને આ સૂત્ર બનેલું છે. -પૂર્વસૂત્રમાં સપ્તયન્તવૃો હતું તેનો અર્થ “મનુષ્યલોકમાં થાય છે પણ અહીં તેનું નૃત્રોત એટલે “મનુષ્યલોકથી' એવું પંચમી વિભક્તિવાળું જે પદબની ગયું તે અર્થવશા વિમતિ પરિણામ: ન્યાય મુજબ થયેલો ફેરફાર સમજવો. • મવસ્થિતા:-સ્થિર રહેલા છે. આ પદનો સમગ્ર સંબંધ આ રીતે જોડી શકાય કે [મનુષ્યલોકની બહાર રહેલા જિયોતિષ્ક] સ્થિર છે એટલે કે કાયમ એક સ્થાને રહે છે પણ અહીં તહીં ફરતા નથી. - અવસ્થિતનો અર્થ ભાષ્યકાર -વિવારિખ: કરે છે. એટલે કે ત્યાંના જયોતિષ્ક દેવો વિચરણ-ભ્રમણ કરતા નથી [માટે તે સ્થિર છે -न रिभ्रमन्ति स्वभावत् एव अविचारिणः देवाः ૪ મવસ્થિત શબ્દ અહીં ચાર અર્થમાં પ્રયોજાયેલો છે. (૧)દેવોની સ્થિરતા - અહી સૂત્રમાં જયોતિષ્ક દેવોને અવસ્થિત કહ્યા છે. તેનો સર્વ પ્રથમ અર્થ એ છે કે આ દેવો સ્વભાવથીજ વિચરણ શીલ નથી પણ સ્થિર છે તેથી ભ્રમણ કરતા નથી.- શ્થિત્વા દેવા પરિપ્રતિ | સ્વમાવત્ ઇવ વિવારિખ: તેવા: (૨) વિમાનોની સ્થિરતા - અવસ્થિત વિમાનપ્રવેશ: તેના વિમાનોના પ્રદેશ પણ સ્થિર છે. તેથી તેના વિમાનો પણ પરિભ્રમણ કરતા નથી પણ જે-તે સ્થાને સ્થિર રહે છે. (૩) વર્ણની સ્થિરતા - અસ્થિત છે: તેઓની વેશ્યા પણ અવસ્થિત છે અહીં વેશ્યા નો અર્થ વર્ણ લેવાનો છે. મનુષ્યલોકના જયોતિષ્ક વિમાનો ગતિશીલ હોય છે તેથી રાહુઆદિની છાયા પડવાથી તેનો વર્ણ બદલાય છે. પણ આ જયોતિષ્ક સ્થિર હોવાથી રાહુઆદિની છાયા તેના ઉપર પડતી નથી પરિણામે તેનો પીળો વર્ણ [લેશ્યા] સ્થિર રહે છે. બદલાતી નથી. (૪)પ્રકાશ ની સ્થિરતા-નવર્ણિ પ્રાશ: આ જયોતિષ્ક વિમાનો અવસ્થિત હોવાથી નિષ્ફમ્પ છે અને નિષ્પમ્પ હોવાથી ત્યાં કદી સૂર્યનો ઉદય કે અસ્ત થતો નથી. અને સૂર્યનો ઉદય કે અસ્ત ન થતો હોવાથી તેનો એક લાખ યોજન પ્રમાણે પ્રકાશ પણ અવસ્થિત-સ્થિર જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy