SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૬ અનન્ત સમય- ૨.૫--સોનન્તસમય: અન્ય ગ્રન્થ સંદર્ભ- કાળ લોકપ્રકાશ-સર્ગઃ૨૮, શ્લોક ૩, ૨૦૩થી ૨૧, ૨૪૬, ૨૮૨થી ૨૯૫ U [9] પધઃ- બંને પદ્ય પૂર્વસૂત્રઃ૧૪ના પદ્ય સાથે આવી ગયા છે. U [10]નિષ્કર્ષ-સમગ્ર વિશ્વમાં જે સમયની ગણના થાય છે તેનો સમાવેશ કરવા પૂર્વક, બીજા પણ કેટલાયે કાળ ગણિત કે કાળવિભાગ આ સૂત્રમાં સ્પષ્ટ થાય છે. તેનું વાંચન ચિંતન કે સ્વાધ્યાય કરતા એવું સ્પષ્ટ સમજાય છે કે દેવગતિના આવા સચોટ અને સુંદર વર્ણન કરતા કરતા જયોતિષ્ક ગતિને આધારે કરાયેલ કાળવિભાગ એક અદ્ભુત ઘટના છે. શાસ્ત્રીય પ્રમાણો થકી આ જે સચોટ સમય ગણિત અપાયું છે તે શાસ્ત્ર શ્રધ્ધામાં દૃઢતા તોલાવે જ છે સાથે સાથે તીર્થંકર પરમાત્માની પારદર્શી પ્રરૂપણાનું પણ દર્શન કરાવી જાય છે. વર્તમાન કાલીન વૈજ્ઞાનિક યુગમાં આપણે સૂક્ષ્મગણતરી પૂર્વકની અવકાશી ઘટનાના વિવરણમાં જો અહોભાવ થી ડોલી ઉઠતા હોઈએ તો પરમાત્મ પ્રણીત શાસ્ત્રોમાં કહેવાએલી આ વાતોથી આપણું સમ્ય દર્શન કેટલું દ્રઢ થતું જાય! ખરેખર! આ માત્ર જીવતત્વ,દેવગતિને સમજાવતો અધ્યાય છે કે પછી આપણી શ્રધ્ધાને દ્રઢ કરી મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પ્રરણાસ્ત્રોત છે તે જ વિચારણા એ આ સૂત્રનો પરમ નિષ્કર્ષ છે. _ _ _ _ _ _ _ (અધ્યાય ૪ સૂત્ર:૧૬) 1 [1]સૂત્રહેતુ-મનુષ્યલોકમાં ચર જયોતિષ્ક નું વર્ણન કર્યા પછી મનુષ્યલોકની બહારના જયોતિષ્ક ચર છે કે સ્થિર? આ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રસ્તુત સૂત્ર બનાવેલ છે. [2]સૂત્રકમૂળ - વઢાવસ્થતા: U [3]સૂત્ર પૃથક-દિઃ અવતા : U [4] સૂત્રસાર [મનુષ્યલોકની બહાર [જયોતિષ્ક દેવો]સ્થિર હોય છે. U [5]શબ્દજ્ઞાનવહિં. - બહાર [મનુષ્યલોકની અપેક્ષાએ બહાર) અવસ્થિત: - સ્થિર રહેલા છે. U [6]અનુવૃત્તિઃ-(૧)ોતિ:સૂક્વમોદનક્ષત્રમીતારવ-ગ.૪/ (૨) મેરુપ્રસિMT.૪-૨૪ નૃત્યો U [7]અભિનવટીકા- પ્રથમ સૂત્રમાં દેવોની ચાર નિકાયો બતાવી એ ચાર નિકાયોમાં ત્રીજી તે જયોતિષ્ક દેવો. આ જયોતિષ્ક દેવોનું સ્થાન તિરસ્કૃલોકમાં જણાવેલ છે. તિષ્ણુલોકમાં બે પ્રકારના જયોતિષ્ક દેવો કહ્યા છે. ચર જયોતિષી અને સ્થિર જયોતિષી. જેમાં ચર જયોતિષ્ક દેવોનું વર્ણન પૂર્વસૂત્રઃ૧૪ માં થઇ ગયું છે. પ્રસ્તુત સૂત્રમાં સ્થિર જયોતિષ્ક દેવોનો અધિકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy