SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા તત્વાર્થ સંદર્ભઃ૪-સ્કૂટર- હોજાયા ટોક્તિ: 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ:૮ શ્લોક:૬૬ (૨)ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૭ શ્લોકઃ૨૩૦થી ૨૪૨ (૩)જીવવિચાર ગાથા ૨૪-વિવરણ U [૯] પદ્ય- સૂત્ર ૨૪-૨૫-૨૬નું સંયુકત (૧) નવ રૈવેયક દેવપૂર્વે સર્વ કલ્યોપપન્ન કહ્યા નવ લોકાંતિક બ્રહ્મલોકે સ્થાન રાખીને રહ્યા સારસ્વત આદિત્ય વહ્નિ અરુણ ગઈતોય ને તુષિત અવ્યાબાધ મારુત અરિષ્ઠ નવમેમાનીએ વિષય થી રહીત તેથી તે દેવર્ષિ લોકાન્તિકો દિશા વિદિશા બ્રહ્મલોક જયાં વસનારા સૌ છે તેઓ સારસ્વત આદિત્ય વદ્વિ ને અરુણ ગઈતોય જ તેઓ તુષિત અવ્યાબાધ મરુતને અરિષ્ટ સ્વતંત્ર સૌ જેઓ 0 [10]નિષ્કર્ષ - આ સમગ્ર સૂત્રનું મૂળ તો એકજ વાતમાં સમાવેશ પામે છે કે સારસ્વતાદિ નવ લોકાન્તિકો બ્રહ્મલોક માં રહેલા છે. સૂત્રના નિષ્કર્ષ કરતા સૂત્રની ટીકામાં દર્શાવાએલ લોકાન્તિક દેવોની વિશેષતા નિષ્કર્ષરૂપે આવકાર્ય છે. આ દેવોનું પ્રાયઃ એકાવતારી પણું અને દેવર્ષિપણુંબે ગુણસ્મરણીય છે. દેવલોકની વાંછા કદી ન કરવી છતાં પણ જો દેવલોક પ્રાપ્ત થવાનો જ છે તો આ લોકાન્તિક પણું મેળવવા યોગ્ય છે. તેમાં લક્ષ્યબિંદુ દેવગતિ નથી પણ તેનું એકાવતારી પણું છે. આપણે પણ મોક્ષના લક્ષ્યથી જ લોકાન્તિકના એકાવતારી પણાને નમન કરીએ છીએ. વળીય આદિ પ્રવિચારની દૃષ્ટિએ જે બ્રહ્મલોકમાં રૂપપ્રવિચાર[મૈથુન સેવન કીધેલું છે તે જ બ્રહ્મલોકમાં આ દેવોને દેવર્ષિસમાન ગણ્યા.કેમકેવિશુધ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારા છે. ખરેખરા સંસારી જીવો માટે પ્રેરણા તુલ્ય છે કે ભોગ વિલાસના યુગમાં આપણે પણ લોકાન્તિકદેવોની જેમ બ્રહ્મચર્યની સાધના કરી શકીએ તેમ છીએ અથવા તો કેવી એકનિષ્ઠા સાધના હશે કે જેના ફળ સ્વરૂપે આવું દેવર્ષિપણું પામ્યા. આપણે પણ તેવાજ મોક્ષલક્ષી અને બ્રહ્મચર્યઘારી બનીએ તેજ આ સૂત્રનો નિષ્કર્ષ લાગે છે. S S T U V S (અધ્યાયઃ૪-સુત્રઃ ૨૦) U [1]સૂત્રોત - અનુત્તર વિમાન ના દેવોના મોક્ષગમન ની મર્યાદા જણાવવાના હેતુ થી આ સૂત્રની રચના થયેલી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy