SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંક્ષેપમાંનિત્ય શબ્દનોઅર્થ કહીએતો–નિત્ય એટલેનિરંતર ગતિ-જાતિ-શરીરઅંગોપાંગ નામ કર્મના ઉદયથી નરકગતિ અને નરકજાતિમાં લેશ્યા આદિ ભાવો જીવન પર્યન્ત અશુભ જ બની રહે છે. વચમાં એકપળમાટે કયારેય અંતર પડતુ નથી કે પળભર આ ભાવો શુભ થતા નથી માટે તે નિત્ય કહેવાય છે. ૨૦ બે અશ્રુમતર:— ભયાનક અથવા વધારે અશુભ. અહીં તુલનાત્મક સંબંધ છે. નીચે નીચેની નરક વધુ અશુભ હોવાથી અશુભતર કયું છે. સીમન્તક નામક પહેલા નરકાવાસથી અપ્રતિષ્ઠાન નામક છેલ્લા નરકાવાસ સુધી પ્રત્યેક પ્રતરે અધિકાધિક અશુભતા સમજવી. અથવા રત્નપ્રભા થી અધિક અશુભ લેશ્યાદિ શર્કરાપ્રભામાં છે. શર્કરાપ્રભાથી અધિક અશુભ લેશ્યાદિ વાલુકાપ્રભામાં છે, વાલુકાપ્રભાથી અધિક અશુભ લેશ્યાદિ પંકપ્રભામાં છે. એ રીતે ઉતરોતર અશુભ – અશુભતર-અશુભતમ સમજવું. છેલ્લે મહાતમઃ પ્રભાનું સંસ્થાન, ત્યાંના જીવોના લેશ્યાદિ પરિણામ સૌથી અધિક અશુભ જાણવા. જોકે સૂત્રમાં અણુમતર:-એવો શબ્દ પાઠ છે. અનુક્ર્મ શબ્દનો પાઠ નથી. છતાં એકશેષ અપેક્ષાએ તેનો પાઠ પણ સમજી લેવો. આ અણુમત- શબ્દજ્ઞેયાદ્દિ પાંચે સાથે સંબંધ ધરાવે છે માટે અણુમતર ભેશ્યા-, અશ્રુમત પરિĪામ એ રીતે સમજવું. * ો યા—(અશ્રુમતર ભેરવા) રત્નપ્રભાદિ નકોમાં રહેતા જીવોની લેશ્યા હંમેશાં અશુભજ હોય છે. અને નીચે નીચેની નરકમાં અધિક તીવ્રતર સંલિષ્ટ અધ્યવસાયને કારણે વધુ-વધુ અશુભ લેશ્યા હોય છે. (૧) નરકના જીવોમાં કૃષ્ણ-નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે. રત્નપ્રભા ભૂમિના નરકોમાં જીવોને કાપોત લેશ્યા હોય છે. (૨) શર્કરાપ્રભાની ભૂમિના નરકોના પણ જીવોને કાપોત લેશ્યા હોય છે. પરંતુ તે રત્ન પ્રભા૰ કરતા તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય વાળી હોય છે. (૩) વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં આવેલા નારકોને કાપોત અને નીચેના ભાગમાં આવેલા નારકોને નીલ લેશ્યા હોય છે. શર્કરા પ્રભા૰ કરતા તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય વાલુકાપ્રભાના જાણવા. (૪) વાલુકા પ્રભા૰ કરતા પણ તીવ્ર સંકલેશરૂપ અધ્યવસાય યુકત એવી નીલ લેશ્યા, શંક પ્રભા પૃથ્વીના નારકોમાં જીવોને હોય છે. (૫) ધૂમ પ્રભા પૃથ્વીના નરકોમાં રહેલા ઉપરના ભાગના જીવોને નીલ લેશ્યા અને નીચેના ભાગમાં રહેલા જીવોને કૃષ્ણલેશ્યા હોય છે. જે પંક પ્રભા કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy