SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સાતમી નરકમાં ઉપર નીચે પ૨૫૦૦-પ૨૫૦૦ યોજન બાદ થતા હોવાથી કુલ ૧,૦૫,000 યોજન ભૂમિ નરકાવાસ રહિત બનતા ફકત ૩૦૦૦ યોજનમાં જ નરકાવાસો સ્થિત છે. ભાષ્યકાર મહર્ષિએ આ સામાન્ય અપવાદની વીરક્ષા કરી નથી, પણ સિદ્ધસેનીયટીકામાં સ્પષ્ટતાપૂર્વક જણાવેલ છે કે મધ્યે ત્રિપુ સોપુ નરમ અવન્તિ! (૨) પ્રતર સંખ્યા પ્રસ્તર અથવા પ્રતર જે માળવવાળા ઘરના ઉપરના ભાગમાં આવેલા છજા કે તળ સમાન છે એમની સંખ્યા આ પ્રમાણે છે. (૧) રત્નપ્રભામાં-૧૩ (૨) શર્કરામભામાં-૧૧ (૩) વાલુકાપ્રભામાં-૯ (૪) પંકમભામાં-૭ (૫) ધૂમપ્રભામાં-૫ (દ) તમ પ્રભામાં–પ અને (૭) તમસ્તમપ્રભામાં–૧ પ્રતરંછે. આ રીતે સાત ભૂમિઓમાં થઈને કુલ-૪૯ પ્રતિરો આવેલા છે. – સર્વે પ્રસ્તર ત્રણ હજાર યોજન ઉંચા છે. (૩) પ્રતર – અંતરઃ બૃહત્ સંગ્રહણી ગાથા-૨૫૪ માં પ્રસ્તર – પ્રસ્તર વચ્ચેનું અંતર શોધવાની પદ્ધતિ જણાવી છે. – પહેલાં દરેક પૃથ્વીના પરિમાણમાંથી બે હજાર બાદ કરવા – પછી પ્રત્યેક પૃથ્વીના પોતપોતાના પ્રતર સંખ્યાને ત્રણ હજાર વડે ગુણી તે બાદ કરવી. - જે અંક બાકી રહે તેને પ્રત્યેક પૃથ્વીના પોતપોતાના પ્રતરના એક પ્રતરની સંખ્યામાં થી એક બાદ કરી બાકી સંખ્યા વડે ભાંગવા – આ રીતે ભાગાકાર કરવાથી જે અંક આવે તેટલું દરેક પૃથ્વીના એક પ્રતર થી બીજા પ્રતર વચ્ચેનું અંતર સમજવું. જેમકે - (૧) રત્નપ્રભા પૃથ્વીનું પરિમાણ – ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાંથી ૨૦૦૭યોજન બાદ કરતા ૧,૭૮,000 યોજન થશે. (૨) પ્રથમ પૃથ્વી ના ૧૩ પ્રતરx૩૦૦૦ એટલે ૩૯૦૦૦ થશે. (૩) ૧,૭૮,૦૦૦ માંથી આ ૩૯૦૦૦ બાદ કરતા ૧,૩૯,૦૦૦ થશે. (૪) પ્રતર સંખ્યા ૧૩ માંથી એક બાદ કરી ૧૨ વડે આ સંખ્યાને ભાંગતા ૧૧૫૮૩ ૧/૪યોજન થશે. આ ૧૧૫૮૩૧/૪ યોજનતેર–પ્રભાના બે પ્રતર વચ્ચેનું અંતર થયું. આવીજ રીતે બધી પૃથ્વીનું ગણીત કરતા - નારકનું નામ શર્કરા | વાલુકા | પંક | ધૂમ | તમમ્ | બિ પ્રતર વચ્ચે અંતરીક૭૦૦ ૨૭૦૦૦ ૧૨૩૭૫ રપ૨૫૦ પ૨૫૦૦ તમસ્તમ પ્રભામાં એકજ પ્રતર હોવાથી અંતરનો સંભવનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy