SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્ર: ૯. ૪૧ હોવાથી તે નિરાકાર કહેવાય છે. જ સાકાર –આકાર એટલે વિકલ્પ (અથવા પર્યાય) કારેળસદાર એટલે સવિકલ્પ પરિણતિ અર્થાત જ્ઞાન. જે બોધ ગ્રાહય વસ્તુને વિશેષ રૂપે જાણે તેને સાકારોપયોગ, જ્ઞાનોપયોગ અથવા સવિકલ્પયોગ કહે છે. * અનાકાર – એટલે નિર્વિકલ્પ પરિણતિ અર્થાત દર્શન. જે બોધ ગ્રાહય વસ્તુને સામાન્ય રૂપે જાણે તે નિરાકાર ઉપયોગ તેને દર્શન - ઉપયોગ અથવા નિર્વિકલ્પોપયોગ પણ કહે છે. * સાકારોપયોગ (જ્ઞાન) ના ભેદો – આિઠ] : જ્ઞાનોપયોગના આઠ ભેદો દર્શાવ્યા છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન (મિથ્યાત્વ સહવર્તીજ્ઞાન) આ મત્યાદિ જ્ઞાન વિષયક વ્યાખ્યા પૂર્વે અધ્યાયઃ ૧ સુત્ર ૯ માં અને અત્યાદિ અજ્ઞાન સંબંધે અધ્યાય : ૧ સૂત્રઃ ૩૩ માં સવિસ્તાર સમજૂતી અપાઈ જ છે. અહીં તેના પુનરાવર્તનની આવશ્યકતા નથી છતાં સમજવા ખાતર મતિજ્ઞાનોપયોગની વ્યાખ્યા અહીં કહી એ છીએ. मतिज्ञानाकारपरिणाम: तदात्मकत्वम् आत्मन: ईति मति-ज्ञानोपयोग में ४ रात मति શબ્દને બદલે કુત, અર્વાધ આદિ ગોઠવતા જઇએ તો આઠે જ્ઞાન ની વ્યાખ્યા થઈ જશે. - અનાકારોપયેગ (દર્શન) ના ભેદોઃ- [ચાર) દર્શન શબ્દના ત્રણ અર્થ સૂત્રકારે પ્રયોજેલા છે – (૧) દર્શન એટલે “શ્રદ્ધા” – જુઓ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ . (૨) દર્શન એટલે “નેત્ર વડે જોવું'' – ઇન્દ્રિયોના વર્ણનમાં દર્શનનો અર્થ (૩) દર્શન એટલે “સામાન્ય બોધ' – આ અર્થમાં જ ર્શન શબ્દને અત્રે સ્વીકારવો. તે ચાર પ્રકારે છે. $ ચક્ષુદર્શનઃ– નેત્ર દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ x અચક્ષુદર્શન - નેત્ર સિવાયની ચાર ઇન્દ્રિયો સ્પિર્શ-રસ–પ્રાણ-શ્રોત્ર) તથા મનદ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ. ૪ અવધિદર્શન – ઈન્દ્રિયોની સહાય વિના, અવધિલબ્ધિથી રૂપી(મૂત) પદાર્થોનો થતો સામાન્ય બોધ. જ કેવળદર્શનઃ- કેવળ લબ્ધિથી થતો રૂપ-અરૂપી સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ. શંકા અને સમાધાન: # સૂત્રમાં દ્વિવિધ: અને વર્ષે એમ અલગ કેમ કહ્યું? કિંગષ્ટ-ગ્રતુર્મા: પણ કહી શકત આ પ્રશ્ન અયુકત છે. સૂત્રકારે ભેદ સૂચક શબ્દ માટે પ્રથમ વિધ: શબ્દ વાપર્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy