SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪ ૧૯ કેમકે દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાયના સર્વથા ક્ષય થકી પ્રગટેલો વિશુદ્ધ આત્મપરિણામ એ જ નૈચ્ચયિક ક્ષાયિક સમ્યક્ત (સમ્યગદર્શન) અર્થ લેતા સિદ્ધોને પણ ક્ષાયિક દર્શન ઘટે છે. સિદ્ધોને ક્ષાયિક ચારિત્ર કઈ રીતે ઘટે? “ચારિત્રનો અર્થ છે અશુભયોગોથી નિવૃતિ અને શુભયોગોમાં પ્રવૃતિ સિદ્ધોને યોગ હોતા નથી માટે તેને ક્ષાયિક ચારિત્ર ન હોય” આ પ્રશ્ન અયોગ્ય છે. કેમકે ચારિત્રના બે ભેદ-વ્યવહાર ચારિત્ર-નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્ર એટલે ચારિત્ર મોહનીય ના ક્ષયથી પ્રગટેલ નિજગુણ સ્થિરતા અર્થાત સ્વસ્વરૂપ રમણતા. આ વ્યાખ્યાનુસાર સિદ્ધોમાં નિશ્ચય ચારિત્ર રહેલું છે. # સિદ્ધોમાં કે વળીમાં ઘાતી કર્મક્ષય થવાથી ચારગુણીજપ્રગટે છે–અહીંનવભાવ કેવી રીતે દર્શાવે છે? - પ્રશ્ન બરાબર છે. અનંતજ્ઞાન–અનંત દર્શન–અનંત ચારિત્ર-અનંત વીર્યએ ચાર ગુણ ઘાતી કર્મ ક્ષયથી પ્રગટે છે. જેમાં “અનંતવીર્ય” નામક ગુણમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ એ ચારે નો અન્તર્ભાવ થયેલો સમજવાનો છે. તેમજ ચારિત્ર, સમ્યક્ત પૂર્વક જ સ્વીકારેલુ છે જે મોહનીયના ક્ષયથી ઉદભવે છે. ૪ સિદ્ધોમાં દાનાદિ લબ્ધિ પંચક કઈ રીતે ઘટે? આ બાબત પણ નિશ્ચય દ્રષ્ટિએ જ ઘટાવવું જરૂરી છે. -દાનઃ-વ્યવહારિક દાન પ્રવૃતિ નથી પણ પરભાવ કે પૌદ્ગલિક ભાવના ત્યાગ રૂપ દાન હોય છે. – લાભઃ – આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ લાભ હોય છે. - ભોગ - આત્મિક શુદ્ધ સ્વરૂપનો ભોગ હોય છે. - ઉપભોગ – આત્મિક શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો હોય છે. - વીર્ય – સ્વભાવ કે આત્મિક શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યરૂપ પ્રવૃતિ હોય છે. # સિદ્ધત્વ પણ ક્ષાયિક ભાવજ છે તેનું ગ્રહણ કેમ નહીં? તે આઠ કર્મના સર્વથા ક્ષયથી ઉદભવે છે તેનો ઉલ્લેખ અR -.૪ માં અલગ રીતે થયો છે. અહીં તો સંસાર અને મોક્ષ બંને અવસ્થામાં પ્રાપ્ત એવા નવ ભાવો નું જ વર્ણન છે. U [7] અનુવૃતિઃ - # સૂત્રમામુકેલ કારથી ઉપરના સૂત્રની અનુવૃતિ થકી સમ્યક્તઅને ચારિત્ર બંને નો સમુચ્ચય કરાયો છે. તેથી જ ક્ષાયિક ભાવના નવ ભેદ થયા છે. # સૂત્રમાં જે ભાવો દર્શાવ્યા છે તેની સંખ્યા નો અંક નવ ઉપરોકત સૂત્રઃ ૨૦ ર દ્રિ નવાં થી નકકી કરાયો છે. $ આ નવે ક્ષાયિક ભાવો છે એમ જે જણાવે છે તે સૂત્રઃ ૨ઃ૧ ગૌપ, સૂત્રના ક્ષાયિક શબ્દની અનુવૃતિને આધારે નકકી કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy