SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે તેનો દેવ અનુભવ કરે છે માટે તેનામાં કોઈ નપુંસકલિંગ હોતા નથી. ૪ પૂર્વજન્મમાં નપુંસકવેદનોબંધ નહીં પડેલ હોવાથી દેવગતિમાં કદાપીનપુંસકવેદનો ઉદય હોતો નથી. $ ભવનપતિ થી બીજા દેવલોક પર્યન્ત દેવ અને દેવી બંને હોવાથી અનુક્રમે પુરુષવેદ અને સ્ત્રીવેદ બંને હોય છે. પણ ત્રીજો દેવલોક અને તેથી ઉપર ઉપર કેવળ પુરુષવેદ જ હોય ૪ પૂર્વે બાંધેલ - નિકાચિત કરેલ કર્મના ઉદયથી (૧)સબળતા છાણ કે અંગારાની ઉપમાને પામેલો એવો સ્ત્રીવેદ કેજે જલ્દી પ્રગટ થતો જણાતો નથી- જલ્દી શાંત પણ થતો નથી. તેવા સ્ત્રીવેદનીયનો ઉદય હોય છે. જે વાસ્તવમાં શુભ હોતો નથી પણ નપુંસકવેદ અપેક્ષાએ શુભ કહયો છે. (૨) ઘાસમાં સળગતા અગ્નિ સમાન જલ્દીથી પ્રગટ થતો અને જલ્દીથી શાંત થતો જણાતો એવો પુરુષવેદ, તેનો ઉદય અધિક પણે વર્તતો હોય છે. સંક્ષેપમાં કહીએ તો દેવોને સ્ત્રીવેદ અને પુરુષવેદ નો ઉદય હોય છે. નપુંસકવેદોદય કદાપિ વર્તતો નથી. * શંકા - સૂત્રકારે તેવી: કહયું તેથી નપુંસકવેદનો નિષેઘ થયો પણ સ્ત્રી-પુરુષ વેદનો ઉદય કઈ રીતે ઘટાવ્યો? વેદ ત્રણ જ છે. એકનો નિષેધ થતા બાકી બે સ્વતઃ સિધ્ધ છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ સ્વયં જ જણાવે છે કે સ્ત્રિય: પુમાં% મા ! જ નારસંભૂઈિનો નપુંસાર તથા ર સેવા: સૂત્રથી પરોક્ષ સંબંધ: સૂત્રકારે - (૧)નારક (૨) સંમૂર્ઝિન (૩)દેવ. ત્રણેના લિંગને સૂત્રથકીદર્શાવ્યા. પણ શેષ જે જીવ બચ્ય તેના લિંગ/વેદ વિશે શું સમજવું? તે માટે દિગંબર પરંપરામાં અલગ સૂત્ર છે શેષાસ્ત્રિવેતા અને શ્વેતામ્બર આસ્નાય મુજબ સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં પરોક્ષ સંબંધ દર્શાવી આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે. __-परिशेष्याच्च गम्यते जराय्वण्डपोतजास्त्रिविधा भवन्ति स्त्रियः पुमांसो नपुंसकानि નારક-દેવ-સંમૂર્ણિમને બાદ કરતા પછીજે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યો બાકી રહયા જેને બીજા શબ્દોમાં જરાયુજ-અંડજ-પોત જ કહે છે તે ત્રણે પ્રકારના જીવોમાં સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગ એ ત્રણ વેદ જોવા મળે છે. U [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ- મયુરમી. સ્થીયા પુસિયા જોનપુંસાવેયા...નહીં असुरुमारा तहा वाणभंतरा जोइसिय वेभाणियावि । सम. वेदाधिकारे सू.१५६/३-४ # તત્વાર્થસંદર્ભઃ- દેવહુર્નિયા: ગ. ૪-જૂ ? ૪ અન્યગ્રન્થસંદર્ભઃ- દંડક પ્રકરણ ગાથા - ૪૦ વિવેચન G [9] પદ્ય:- સૂિત્રઃ ૫૦ સૂત્ર ૫૧ નું સંયુકત પદ્ય શરીરની આકૃતિ વડે ત્રણ વેદ પ્રગટ જણાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy