SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - સૂત્ર મધ્યે િશબ્દનું બીજું રહસ્ય શું છે? રાજવાર્તિકમાં જણાવે છે કે મિત્ર શબ્દના મધ્યમાં ગ્રહણ થકી ભવ્ય અને અભિવ્ય જીવોના ભાવોની ભિન્નતા પ્રગટ થાય છે.અર્થાતભવ્યજીવોમાંઔપથમિકઅનેવામિકભાવનોમિશ્ર ભાવ હોય છે અભવ્યોમાં ઔદયિક અને પારિણામિક ભાવનો મિશ્ર ભાવહોય છે. # ઓપરમિક ભાવ પ્રથમ કેમ કહ્યો? આગમોમાં મૌયિકાવ નું ગ્રહણ પ્રથમ કરેલ હોવાથી આવો પ્રશ્ન સ્વાભાવિક થાય તેથી સર્વાર્થસિદ્ધિ અને વાર્તિક માં તેનો ખુલાસો કર્યો છે. તત્વાર્થ શાસ્ત્ર નું મુખ્ય લક્ષ મોક્ષ છે મોક્ષ માટે ભવ્યપણું અને સમ્ય દર્શન બંને યોગ્યતા જરૂરી છે. ઔદયિક અને પરિણામિક ભાવો ભવ્ય તથા અભવ્ય બંનેમાં હોય છે. જયારે ઔપશમિકાદિ ત્રણ ભાવો માત્ર ભવ્યજીવોને હોવાથી ઔપશમિકનું પ્રથમ ગ્રહણ કર્યું. સમ્યમ્ દર્શન પણ સર્વપ્રથમ ઔપથમિક જ થાય છે. માટે પણ તેને પ્રથમ ગ્રહણ કર્યું છે. અને ભવ્ય જીવોના ક્ષાયિક કે લાયોપથમિક ભાવને પછી ગ્રહણ કર્યા છે. પાંચે ભાવો પારિમિwછતાં અલગ કેમ પાડયા? કોઈપણ દ્રવ્યના તેવા પ્રકારના પરિણામ-સ્વરૂપ વિના એક પણ ભાવ થઈ શકે નહીં તે અપેક્ષાએ બધાં ભાવો પારિણામિક ગણાય. આથી જીવના સર્વ ભેદોનો સમાવેશ પારિણામિક ભાવમાં થઈ જશે. આમ છતાં અહીં પાંચ ભેદ જણાવેલ છે કેમકે પારિણામિક ભાવમાં કોઈ નિમિત ની આવશ્યતા રહેતી નથી જયારે ઔપથમિક આદિ ભાવો ને કર્મના ઉપશમ આદિ નિમિતની અપેક્ષા રહે છે. આમ નિમિત્તભેદને આશ્રિને અહીં પાંચ ભાવો અલગ બતાવેલ છે. જ કેટલીક વિશેષ બાબતો:$ ભાવોની ઉત્પત્તિઃ ઔપથમિક ક્ષાયિક–લાયોપથમિક એ ત્રણ ભાવો કર્મના ઘાતથી ઉત્પન્ન થાય છે. જેમ રજ અને વાદળા ના દૂર થવાથી સૂર્યની કાંતિ પ્રગટે તેમ કર્મજ દૂર થતા આ ભાવો પ્રગટછે. ઔદયિક ભાવ પોતે બાંધેલા કર્મોના ઉદય થી પ્રગટે છે. જેમ દારૂ પીધેલો માનવી દારુનો નશો ઉદયમાં આવતા નાચ–ગાય-બકવાદ કરે તેમ કર્મોના ઉદયથી આ ભાવ પ્રગટ છે. પાંચમો પારિણામિક ભાવ નિર્નિમિત્તક કહ્યો છે. - ૪ – કર્મ તથા ભાવનો સંબધ –મોહનીય કર્મમાં ઔપશમિકાદિ પાંચે ભાવો હોય છે. -જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય અને અંતરાયમાં પથમિક સિવાયના ચાર ભાવ હોય છે. -વેદનીય,નામ,ગોત્ર અને આયુ-એ ચાર કર્મને લાયોપથમિક અને ઔપથમિક સિવાયના ત્રણ [ઔદયિક ક્ષાયિક-પારિણામિક ભાવ હોય છે. તેમાં ક્ષયતે આત્મત્તિક ઉચ્છદ, પોતાના વિપાકને આપે તે ઔદયિક અને જીવાંશ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy