________________
૯
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૨ પાંચ જ્ઞાન પ્રત્યક્ષ જ ગણાશે.
[સર્વથા જ્ઞાનાવરણીય કર્મક્ષયલક્ષણ વિચારશોતો કેવળજ્ઞાન સિવાય કોઇ પ્રત્યક્ષનહી રહે એટલે પ્રત્યક્ષતા માટે પૃથ નિમિત્તને જણાવતા લખ્યું કે ત્રણે જ્ઞાનની પ્રત્યક્ષતાને પ્રગટ કરવામાં અતીન્દ્રિયત્વ જ મુખ્ય કારણ છે.
તિખ્તમ દ્રિાણિ પ્રાણીને જ્ઞાન-દર્શન આવરણના ક્ષયોપશમ કે ક્ષયથી ઇન્દ્રિયઅનિન્દ્રિયદ્વારની અપેક્ષા રહિત કેવળ આત્માની અભિમુખતા કરીને થતું જ્ઞાનતે પ્રત્યક્ષજ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનના બેભેદ કહ્યા. (૧)દેશ પ્રત્યક્ષ(૨)સકલ પ્રત્યક્ષ. અવધિ અને મન:પર્યવ દેશ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. જ વિવિધ શંકાઓઃ(૧)મચંત એકવચન કેમ મુકયું?
જ્ઞાનના વિભાગોની દૃષ્ટિએ મધ વગેરે ત્રણ જ્ઞાન છે. પણ પ્રમાણની દૃષ્ટિએ માત્ર એક જ પ્રત્યક્ષ પ્રમાણરૂપ હોવાથી એક વચન મુકયું હોય તેમ જણાય છે.
(૨) ઈન્દ્રિય અને મન રૂપ સાધન વિના જ્ઞાનની ઉત્પત્તિ જ કઈ રીતે થશે?
જેમ પાંચ-પચીસ સાધુને ખીર વહોરાવવી હોય તો પણ તપેલું ભરી ખીર બનાવવી પડે છે. પણ ગૌતમ સ્વામીજી જેવા મહર્ષિ અલીણ મહાનસી લબ્ધિવડે ૧૫૦૦ તાપસને પારણું કરાવ્યું ત્યારે માત્ર એકજ પાત્રમાં અંગુઠો રાખી બધાને ખીર વપરાવી દીધી હતી.
એજ રીતે કર્મમળથી મલિન આત્માને સાધારણતથા ઇન્દ્રિય અનેમનનો આધાર જરૂરી બને પણ જે આત્મા જ્ઞાનાવરણના વિશેષ ક્ષયોપશમરૂપ શકિતવાળો બની ગયો છે કે જેણે પૂર્ણપણે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કર્યો છે તેને બાહ્ય સાધન વિના પણ જ્ઞાન થાય છે. કર્મના સંપૂર્ણ આવરણ દૂર થતા સ્વશક્તિ વડે જ પદાર્થોને જુએ છે-જાણે છે.
(૩)ઈન્દ્રિયવ્યાપારજન્ય જ્ઞાનજપ્રત્યક્ષગણવું જોઈએ, કેમકે પ્રાયઃ બધાંવાદીઓમાં એકમત છે–
ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માનવાથી આત્માને પ્રત્યક્ષ જ્ઞાન થઇ શકશે નહીં, સર્વજ્ઞતાનો લોપ થઈ જશે. કેમકે સર્વજ્ઞ આત્માને ઈન્દ્રિયજ જ્ઞાન થતું નથી.
વળી આગમથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન માનીને પણ સર્વજ્ઞતાનું કથન યુકિતયુક્ત નથી. કેમ કે આગમ પ્રત્યક્ષદર્શી વીતરાગ પરુષ દ્વાર પ્રણીત હોય છે, તેથી જો અતીન્દ્રિય પ્રત્યયને સિદ્ધ નહી માનીએ તો અતીન્દ્રિય પદાર્થોમાં આગમનું પ્રમાણ્ય કઈ રીતે થશે? અને આગમનું અપૌરૂષયત્વતો અસિધ્ધ છે. માટે ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષમાની શકાય નહીં. [નોંધ:-રાજવાર્તિકમાં બૌધ્ધ-નૈયાયિક અદ્વૈતવાદી વગેરેના પ્રત્યક્ષપ્રમાણોની માન્યતાનું સુંદર ખંડન કર્યું છે.]
(૪)અવધિદર્શન અને કેવલદર્શન પણ અલ અર્થાત આત્મા પ્રતિ નિયત છે તો પ્રત્યક્ષ શબ્દથી આ બન્નેનું પણ ગ્રહણ કરવું જોઇએને?
આ શંકા વ્યાજબી નથી. એક કારણ તો એ છે કે અહીં જ્ઞાનની અનુવૃત્તિ ચાલે છે એટલે દર્શનની આપોઆપ જ નિવૃત્તિ થઈ જાય છે. બીજું અવધિજ્ઞાન કે કેવળજ્ઞાનની વાતમાં અવધિદર્શન અને કેવળ દર્શન અંતર્ભત-સમાવિષ્ટ થઈ જ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org