________________
૨૯
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૫
દવ્ય જીવ ગુણ-પર્યાયથી રહિત હોય છે. તેથી તે અનાદિ પારિણામિકભાવથીયુકત છે. તેથી જીવનોદવ્ય જીવભાગો કેવળ બુધ્ધિમાં સ્થાપિત કરવા માટે છે. કારણ કે ગુણ-પર્યાયથી રહિત એમ કહ્યું. પણ ગુણ એટલે જ્ઞાન-દર્શન-સુખ વગેરે આત્માના પોતાના ગુણો અને પર્યાય એટલે મનુષ્ય-તિર્યંચ-દેવ-નારકી અવસ્થા.આવા ગુણ પર્યાયથી રહિત તો માત્ર અજીવ હોઇ શકે. અજીવ કદીજીવથાય નહીં માટે દ્રવ્યજીવ હોઈ શકે નહીં. એ જ રીતે અનાદિ પારિણામિક ભાવ યુકત કહ્યું. પણ પારિણામિક ભાવો પણ સાદિ જ હોય છે. માટે અહીંશુન્ય ભાંગો કહ્યો છે. . આમ છતાં તેની ઓળખ માટે એવું કહી શકાય કે જે મનુષ્ય દેવને યોગ્ય પર્યાયવાળો જયાં સુધી નથી ત્યાં સુધી તેને દ્રવ્ય દેવ કહી શકાય અથવા નારકનું આયુ બાંધ્યું પણ હજી મનુષ્કાય પૂર્ણ થયું નથી ત્યાં સુધી દ્રવ્યનારકી જીવ કહી શકાય, બીજો વિકલ્પ એવો કરી શકાય કે જીવ શબ્દાર્થ જણાવનાર એવા જીવરહિત શરીરને દ્રવ્ય જીવ જાણવો.
(૪)ભાવજીવઃ- જે ઔપથમિક-ક્ષાયિક-લાયોપથમિક-ઔદયિક અને પારણામિક ભાવોથી યુકત છે, જેનું લક્ષણ, ઉપયોગી છે. તેવો જીવ તે ભાવ જીવ.
(૧)પાંચ ભાવો
$ ઔપથમિક-કર્મોવિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનોસર્વથા અભાવ હોવો તે પ્રકારના અધ્યવસાયતેઔપશમિક ભાવ રાખછવાયેલ અગ્નિ જેવી સ્થિતિઅહીં હોય છે.
# ક્ષાયિક- કર્મના સર્વથાલયથી ઉત્પન્ન થતા ભાવો ક્ષાયિક ભાવ કહેવાય. અહીં આત્માની નિર્મળતા પ્રગટે છે.
૪ ક્ષાયોપથમિક - કર્મોમાંથી કેટલાક ક્ષય પામ્યા હોય અને કેટલાક ઉપશાન્ત થયા હોય ત્યારે ઉપશમ અને ક્ષયના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો તે ક્ષાયોપથમિક ભાવ.
3 ઔદયિકભાવ-કર્મનો ઉદય થવાથી ઉત્પન્ન થતા ભાવોએઔદયિક ભાવો કહેવાય છે.
# પરિણામિક ભાવ-પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું સ્વરૂપપરિણામથી ઉત્પન્ન થતા ભાવો તે પારિણામિક ભાવો કહેવાય.
નિોંધ:- આ પાંચે ભાવોનું સ્વરૂપ વિસ્તારથી અધ્યાય ર સૂત્ર ૧ માં વર્ણવ્યું છે.] (૨)ઉપયોગ- સાકાર અને નિરકાર બે રૂપે છે. (૧)સાકાર ઉપયોગઃ- જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ. . (૨)નિરાકાર ઉપયોગઃ- જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ – સાકાર ઉપયોગ તે જ્ઞાન અને નિરાકાર ઉપયોગ તે દર્શન. ભાવ જીવ આવા પારિણામિક ભાવ તથા ઉપયોગથી યુકત હોય છે.
(૨)અજીવતત્ત્વ-અજીવ એટલે ચેતનાશકિતરહિત કે જ્ઞાનાદિ ઉપયોગ રહિતતત્ત્વ. જીવ નથી તે અજીવ.
(૧)નામ અજીવઃ- કોઈ પણ ચેતનકે અચેતનનું અજીવ એવું નામ રાખવુંતેનામ અજીવ. (૨)સ્થાપનાઅજવા-લાકડું-ચિત્રમૂર્તિ આદિસ્વરૂપેસ્થાપિત કરાયેલતે સ્થાપનાઅજીવ જાણવું.
(૩)દ્રવ્યઅજીવઃ- દ્રવ્ય જીવની માફક આ ભાગો પણ શુન્ય જાણવો. કેમ કે જીવ કદી અજીવ બનશે નહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org