SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને અભવ્ય એટલે કદી મોક્ષની રુચિ જજેને થવાની નથી તેવા પરિણામવાળાજીવો. અભવ્ય માટે સમ્યગ્દર્શની વિચારણા કરવાની જ નથી કેમ કે તેને તેના પરિણામ થવાના જ નહીં. ભવ્ય જીવોમાં પણ જાતિભવ્ય એવો પ્રકાર છે. જેમ શીલવાનું સતિ ને પુત્ર થઈ શકે પણ પણ પતિ મૃત્યુ પામ્યા પછી તે સ્ત્રી અવંધ્યા હોવા છતાં બાળક થશે નહીં. તેમ જાતિભવ્ય જીવોમાં ભવ્યત્વ હોય પણ તેને મોક્ષને યોગ્ય સામગ્રી કદી મળવાની નથી. અહીં અપૂર્વકરણની કે સમ્યગ્દર્શનની વિચારણા કેવળ મોક્ષની યોગ્યતાવાળા ભવ્ય જીવોને આશ્રીને જ કરવાની. આ જીવો સૌ પ્રથમ જે સમ્યગદર્શન પ્રાપ્ત કરે તે ઔપથમિક સમ્યક્ત કહેવાય છે. જીવના તથા ભવ્યત્વ પરિપાકથી આત્માના વિશિષ્ટ અધ્યવસાય રૂપ યથા પ્રવૃત્તિ કરણ વડે આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. આ સ્થિતિ થાય ત્યારે જીવ રાગ-દ્વેષની ગ્રંથિ પાસે આવે છે. આ દુર્ભેદ્ય ગ્રંથિ ભેદવા અનેરા વીર્ષોલ્લાસની જરૂર પડે. ઘણાં જીવોઆગ્રંથિભેદ કર્યા વિના જફરીસંસાર પરિભ્રમણ કરે છે. આસન્નભવિખવોઅપૂર્વકરણ વડે આ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી નાખે છે. ઉત્તરોત્તર વિશુધ્ધ અધ્યવસાય રૂપ અનિવૃત્તિકરણ વડે અંતર્મુહુર્ત સુધી જીવ મિથ્યાત્વના કર્મદલ રહિતની સ્થિતિ રૂપ *અંત:કરણ કરે છે. ત્યારે આ ઔપથમિક સત્ત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગ્દર્શન કહ્યુ છે. આ સમ્યગ્દર્શનમાં દર્શન મોહનીયકર્મનો ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ એ મહત્વનું કારણ છે, તે નિસર્ગ કે અધિગમ બંને સમ્યગ્દર્શનમાં સમાન જ હોય છે. * પ્રશ્નઃ- સૂત્રમાં ૩Hદ્યતે ક્રિયાપદ અધ્યાહાર સમજવું કહ્યું તેમ નોતે ને અધ્યાહાર કેમ ન સમજી શકાય? સમાધાનઃ-મિથ્યાદર્શન સંસારી જીવોમાં જોવા મળે જ છે. વળી મોક્ષ તથા સમ્યગ્દર્શન બંને સાદિ અનંત માનેલા છે. આવા કારણોસર કદી નોધંધતે ક્રિયાપદ અધ્યાહાર ન માની શકાય. વળી જો તેને અધ્યાહાર માનીએ તો સમ્યગ્દર્શનને નિત્ય માનવું પડે. કેમ કે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થતું નથી તેવો સૂત્રાર્થ નીકળશે. પણ તેમ માની શકાય નહીં. માટે ૩ઘતે ક્રિયાપદ જ અધ્યાહાર માનવું પડશે. U [સંદર્ભ આગમ સંદર્ભ-મેળે કુવિદે પUરે, તે નહીં તે મૂળ વેવ. મામસમૅને વેવ- * સ્થાનાંગ સૂત્ર સ્થાન ર ઉદ્દેશ ૧ સૂત્ર૭૦/૨ તત્ત્વાર્થ સંદર્ભ- અધિગમ-વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર થી ૮ G [9]પદ્ય(૧) શુધ્ધ સમકિત પ્રાપ્તિનાં બે કારણો સૂત્રે કહ્યાં. સ્વભાવને ઉપદેશ ગુરુનો જેથી જીવ દર્શન લહ્યા. (૨) સંસાર પરિણામ શુધ્ધિરૂપ જે ક્રિયા અપૂર્વ સ્ફરે. *યથાપ્રવૃત્તિ કરત-અપૂર્વકરણ-અનિવૃત્તિ કરણત્રણેની વિશેષ ચર્ચા દ્રવ્યલોકપ્રકાશ સર્ગઃ૩-કાર-૨૫-માં જોવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy