SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૫ વિપુલમતિમાં શુધ્ધિ વધતી જાય નહીં પાછુ કદા શુધ્ધિ ઓછી જુમતિમાં આવી ચાલ્યું જાય એ એમ બે વિશેષ ભેદ છે જ્ઞાન ચોથું જાણીએ. (૨) ઋજુ વિપુલ બે ભેદ, મન:પર્યાય જ્ઞાનના વિશેષ સ્થિતિ શુધ્ધિમાં વિપુલ મોખરે રહે. U [10]નિષ્કર્ષ-આનિષ્કર્ષસૂત્ર ૨૪:૨૫નો સંયુકત છે. આ સૂત્ર જુમતિ અને વિપુલમતિ એવા બે ભેદના આધારે મન:પર્યાય જ્ઞાનનું સ્વરૂપ રજૂ કરે છે. નિષ્કર્ષ લાયક સુંદર તત્ત્વ તો એક ચારિત્ર જ છે તેવું લાગે છે. જેના પછીનિચ્ચે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તેવા વિપુલમતિ કે તે સિવાયના ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનની પ્રાપ્તિની ઇચ્છા હોય તો સર્વવિરતિ ચારિત્ર લેવું જ પડશે. - હાલ મન:પર્યાય જ્ઞાન ભરતક્ષેત્રમાં થતું નથી પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિશુદ્ધ ભાવોની આવશ્યકતા છે, તેવા ભાવો સહિતના ચારિત્ર માટે પણ આજનું ચારિત્ર પાયારૂપ બનશે. માટે ચારિત્રને શ્રેષ્ઠ સાધન માની તેના સ્વીકાર કે આદર માટે જ પ્રયત્ન કરવો. | S S T U S T (અધ્યાય ૧ સૂત્રઃ૨૫) [1]સૂત્રહેતુ- આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનમાં રહેલા તફાવતને રજૂ કરે છે. [2]સૂત્રમૂળઃ-વિશુદ્ધયાતિપાતામ્યાંતોષઃ 0 [3]સૂત્ર પૃથક-વિશુદ્ધિ પ્રતિપાતામ્યાં તદ્ વિશેષ: [4] સૂત્રસાર-વિશુધ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) એ બે ભેદ વડેજુમતિ અને વિપુલમતિ] તે બંનેમાં તફાવત છે. [5]શબ્દજ્ઞાન - (૧)વિશુદિનવિશેષ પ્રકારે શુધ્ધિ. (૨)ગપતિપાત-પુનઃપતનનો અભાવ-અવિનાશી (૩)-તે ઋજુમતિ-વિપુલમતિ (૪)વિશેષ-વિશેષતા -તફાવત અથવા ભેદ. U [6]અનુવૃત્તિનું વિપુમતિ મન:પર્યાય સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. Uિ [7]અભિનવટીકા-સૂત્ર ૨૪માં સામાન્યથી જુમતિ અને વિપુલમતિનો ભેદ પ્રગટ કર્યો છે. છતાં સૂત્રકાર ભગવંતે તેના માટે અલગ સૂત્રની રચના કરી હોવાથી અત્રે ફરીથી તે તફાવતની નોંધ કરેલ છે. વિશુદ્ધિકૃત અને અપ્રતિપાતિકૃત એમ બે રીતે તે બંને જ્ઞાનમાં તફાવત છે. (૧)વિશુધ્ધિકૃતઃ-જુમતિ મન:પર્યાયજ્ઞાન કરતાંવિપુલમતિ મન:પર્યાય જ્ઞાન ઘણુંજવધારે શુદ્ધ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy