________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૧ મૂકેલ છે. વ્યાકરણના નિયમ મુજબ વિશેષ્ય-વિશેણનું વચન સમાન હોવું જોઈએ. પરંતુ સૂત્રકારે જે વચન ભેદ કર્યો તે નિયમને માટે કરેલ છે.
આ વચન ભેદ થકી શાસ્ત્રકાર મહર્ષિએવું સૂચવે છે કે મોક્ષના માર્ગ [સાધન ત્રણ નથી પણ એકજ છે. માર્ગશબ્દ ત્રણે સાધનોમાં સમાન રૂપે રહેલ છે. તેથી સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન, સમક્યારિત્ર એ ત્રણેનું એકત્વ કે સમન્વય એ મોક્ષમાર્ગ છે. ત્રણમાંથી કોઈપણ એકનો અભાવ એ મોક્ષનું સાધન બની શકે નહી.
* સમ્મદર્શન સમ્યકજ્ઞાન-સમ્યક ચારિત્રની અલગ અલગ વિચારણા.
પ્રશ્ન:- શબ્દ નયની અપેક્ષાએ સમ્યક દર્શન વગેરે શબ્દોથી ક્ષાયિક અને પૂર્ણ સમ્યફ દર્શન વગરે ગ્રહણ કરવા જોઈએ તે ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર ક્રમમાં જ પ્રગટથવાના. તે મુજબ ચોથાથી સાતમાં ગુણસ્થાનકસુધી ક્ષાયિકદર્શન પછી તેરમા ગુણઠાણે સાયિક જ્ઞાન, ચૌદમાં ગુણઠાણાના અંતે ક્ષાયિક ચારિત્રરહે છે, તેથી ક્ષાયિક ગુણોની પૂર્ણતામાં પૂર્વનો ગુણ હોય તો ઉત્તર પછીનો) ગુણ પ્રગટ થાય. આ નિયમ મુજબ ક્ષાયિકસમ્યક્દર્શન હોય તો અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાની છે.
તો પછી સમ્યક્ટર્સનરૂપ સાધનની શ્રેષ્ઠતા કેમ નથી સ્વીકારતા?
સમાધાન-વળી કેવીતરાગપરમાત્માની સાથોસાથ શ્રીકૃષ્ણ મહારાજા કે શ્રેણિક જેવાભાવિ તીર્થકરોના આત્માઓ પણ શાયિકદર્શનયુક્ત જ હોયછેજેઓદેવકેનારકગતિમાંઅવિરતિવંત હોય તો પણ શાયિક સમ્યફ દર્શનનો સદ્ભાવ તો રહેવાનો જ, પરિણામે જો સભ્યદર્શન ની શ્રેષ્ઠતા સ્વીકારીએ તો ઉક્ત અવિરતિ સમકિત દૃષ્ટિને પણ વંદન કરવું જ પડશે.
બીજી વાત એ કે ચોથા ગુણઠાણે જે ક્ષાયિક સમકિતની વાત તમે સ્વીકારી, તેવી રીતે સાથે સાથે ચૌદમા ગુણઠાણે ક્ષાયિક ચારિત્રને પણ તમે સ્વીકારો છો. જો ક્ષાયિકદર્શનને જ શ્રેષ્ઠ ગણશો તો વચ્ચે દશ તબક્કા [આત્માના વિકાસ ક્રમના પાંચથી ચૌદ સ્થાનકો નો પ્રવાસ બાકી રહેવાથી મોક્ષ થવાનો નથી એટલે માત્ર સમ્યકદર્શનને શ્રેષ્ઠ સાધન ગણી શકાય નહી.
“જે વિણનાણ પ્રમાણ ન હોવે ચારિત્ર તરુ નવિ ફળીયો” પૂ.યશોવિજયજી મહારાજની આ પંકિતથી કદાચ દર્શનની શ્રેષ્ઠતા જણાય ત્યાં પણ એ જ સમજવું કે આ પંકિત સમદર્શનનું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે છે. પણ ત્યાં જ્ઞાન અને ચારિત્રએ બે સાધનોનો લોપ કરવાનો ભાવ નથી. કેમ કે આ વિધિવાય છે નિષેધ વાકય નથી.
પ્રશ્ન-મિથ્યાજ્ઞાનથી જ બધા મતવાળાઓએ કર્મબંધ માનેલ છે તેથી મોક્ષ તો કેવળ સમ્યક જ્ઞાન વડે જ થવો જોઈએ. તો પણ સમ્યક દર્શનાદિ ત્રણને બદલે માત્ર સમ્યકજ્ઞાન જ મોક્ષનું સાધન કેમ નથી ગણતાં?
સમાધાનઃ- આ શંકા યોગ્ય નથી. કેમ કે મોક્ષ પ્રાપ્તિ સાથે સમ્યફદર્શન-સમ્યકજ્ઞાનસમ્યક ચારિત્રનો પ્રત્યક્ષ સંબંધ છે. ત્રણેના સમન્વય વિના મોક્ષ મળે જ નહીં. જ્ઞાનરૂપ આત્માના તત્ત્વાર્થ શ્રધ્ધાન્ પૂર્વક જ સામાયિક-સમતાભાવ રૂપ ચારિત્ર હોઈ શકે છે. * કહ્યું પણ છેકે ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે. અને અજ્ઞાની આત્માની ક્રિયાનિષ્ફળ છે. હવે જો માત્ર જ્ઞાન વડેજ મોક્ષ માની લેવાય તો કેવળજ્ઞાનની પ્રાપ્તિની બીજીજ ક્ષણે મોક્ષ થવો જોઈએ. એક ક્ષણ પણ સંસારમાં રહેવાનું, તીર્થ પ્રવર્તન અથવા ઉપદેશાદિ પ્રવૃત્તિ કરવાનું થઈ જ ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org