SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)ભવ પ્રત્યયો નાર દેવાનામ્ આ બંને સ્ત્રી અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. [7]અભિનવ ટીકા-સૂત્ર ૨૧માં અવધિજ્ઞાન ના બે ભેદ કહ્યાં (૧)ભવ પ્રત્યય (૨)ક્ષયોપશમનિમિત્ત-તેમાં ભવપ્રત્યયદેવ અને નારકીઓને હોય છે તે વાતનો ઉલ્લેખ સૂત્ર ૨૨માં થઈ ગયો. તેના અનુસંધાને આ સૂત્ર કહ્યું છે. ૪ તેથી થોત નિમિત્ત-યા ૩d નિમિતે યર્સ શબ્દથી અહીંયોપશમ નિમિત્ત લેવું કિમ કે નવ પ્રય: પૂર્વે લેવાઈ ગયું છે.] ૪ શેષા” શબ્દઃ “બાકીનાઓનો” એવો શબ્દાર્થ ધરાવે છે. [બાકીના અર્થાત સૂત્રઃ૨૨મુજબ કહેલા દેવ નારક સિવાયના મનુષ્ય અને તિર્યંચો-તેમને ક્ષયોપશમ નિમિત્તે અવધિજ્ઞાન થાય છે. # પવિત્ર છ પ્રકારે-અનુગામી વગેરે છ ભેદ જેની અહીં ચર્ચા કરેલી છે. નોંધઃ-નંદીસૂત્રમાં કહ્યા મુજબ આ જ્ઞાન ગુણસંપન્ન સાધુને થાય.] યોત નિમિત્ત-યથા જે પ્રકાર 3d-કહેવાએલું નિમિત્ત-હેતુ. એવો અર્થ કહ્યો. કહેવાયેલ હેતુ તો ભવ પ્રત્યય પણ છે. છતાં તે લેવાનો નથી એમ જણાવવા માટે ભાષ્યકારે પોતે જ યથોત નિમિત્ત: નો અર્થોપશમ નિમિત્ત: થાય તેમ કહી દીધું. છતાંસૂત્રઆધારે આ વાત જણાવવી હોય તો એમ કહી શકાય કે અધ્યાયઃરના સૂત્રપમાં જ્ઞાને ચાર પ્રકાર કહ્યા છે. તેમાં ત્રીજા અવધિજ્ઞાન માટે ત્યાં લખ્યું કે અવધિજ્ઞાનાવરણના લયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. તેથીયથોતિ નિમિત્તમ ક્ષયોપશમ નિમર: અર્થ નીકળી શકશે. જ પવિત્ન:- આ અવધિજ્ઞાનના ક્ષયોપશમ નિમિત્તે છ પ્રકારો કહ્યા છે. [નોંધ:- અહીં છ પ્રકાર તો મુખ્યતાએ કહ્યા છે. બાકી શ્રીનંદિસૂત્રમાં સૂત્ર૧૦થી અવધિજ્ઞાન ના અનેક પેટા ભેદો કહ્યા છે.] (૧)અનુગામી:- મનુચ્છતિ અવશ્ય તિ મનુ મિ સૂર્યના પ્રકાશની માફક કે ઘડાના રાતા ગુણની માફક ગમે ત્યાં ઉત્પન્ન થયું હોય છતાં બીજા ક્ષેત્રમાં જાય તો પણ જે અવધિજ્ઞાન ચાલ્યું જતું નથી તે. જેમ કોઈ વસ્ત્રને એક સ્થાને રંગહોય. તે વસ્ત્રને એ સ્થાનેથી બીજા સ્થાને લઈ જશો તો પણ વજીનો રંગ કાયમ જ રહે છે તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજા સ્થાને પણ કાયમ રહે છે તે અનુગામીક અનુગામી અવધિજ્ઞાન વાળો જીવ ગમે ત્યાં જાય તો પણ અવધિજ્ઞાન ઉપયોગ પ્રવર્તે છે. (૨)અનનુગામી:- મનુભાવસ્થ પ્રતિપેયં - અનાનુ મિક્સ જેસ્થાનકે રહીને અવધિજ્ઞાન ઉપજયું હોય તે સ્થાને જાય અથવા સ્થાનેરહેત્યારે તેઅવધિજ્ઞાન રહે પણ બીજે સ્થાને જાય ત્યારે તે જ્ઞાનોપયોગ રહેતો નથી તેને અનનુગામી અવધિજ્ઞાન કહ્યું. અહીં ભાષ્યકાર પ્રશ્નાદેશક પુરૂષનું દ્રષ્ટાન્ત આપે છે. જેમ કેટલાંક નિમિત્ત શાસ્ત્ર જાણનારા નિમિત્ત સાથે સંબંધ ધરાવતા પ્રદેશમાં રહીને જ નિમિત્તનું ફળ કહી શકે છે. પણ અન્યત્ર તેનું ફળ બરાબર કહી શકતા નથી. તેમ આ અનનુગામી અવધિજ્ઞાન જે ક્ષેત્રને આશ્રીને ઉત્પન્ન થયું તે ક્ષેત્ર સિવાય બીજા પ્રદેશમાં પ્રવર્તતુ નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy