________________
મારી સવિનય અસ્વીકૃતિ બાદ તેઓએ એક જ પ્રાર્થના કરી કે મારે કેઈક ને કઈક સારું કાર્ય તે આરંભવું જ].
આ રીતે તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધ ટકા લેખનના પગરણ મંડાયા. શ્વેતામ્બર અને દિગંબર બંનેના વિદ્વાનોની ટીકા સામે રાખી વિચાર્યું કે ખૂબ વિસ્તારથી જ પદાર્થ છણાવટ કરવી–પ્રત્યેક સૂત્ર માટે સવહેતુથી નિષ્કર્ષ સુધીના દશ વિભાગે કર્યા. એ રીતે લેખન કાર્ય શરૂ થયું.
પૂ. ગુરુદેવશ્રી સુધર્મસાગરજીની હાર્દિક ઇચ્છા–અંતઃકરણની પ્રેરણા અને પૂર્ણ પ્રયાસેથી તેમજ લેખન મૂંઝવણ સમયે મળેલા તેમના તત્કાળ માર્ગદર્શન થકી માત્ર ૪૦ દિવસમાં પ્રથમ અધ્યાય લેખન કાર્ય પૂર્ણ થયું.
પૂ. આ સુરેન્દ્રસૂરિજી પાઠશાળામાંથી માધુભાઈએ અને પ્રાશ્ય વિદ્યાભવનમાંથી તેમના માનદમંત્રીશ્રીએ જે ઝડપે પુસ્તકે પુરા પાડેલા તે પણ સ્મરણે ન ભૂલાય તેવા જ હતા.
પ્રત્યક્ષ-પરોક્ષ સહાયક બનેલા બધાને યાદ કરી શકતું નથી તે હકીકતને સ્વીકારું છું. આ પ્રધટીકા અભ્યાસુ વગને ઉપયોગી બને તેવી અભ્યર્થનાસહ
દીપરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org